Uncategorized
303 ભારતીયો સાથેનું ચાર્ટર્ડ વિમાન ફ્રાન્સમાં અટકાવાયું
ફ્રાન્સે ભારતીયોને લઈ જતું ચાર્ટર્ડ પ્લેન ટેકઓફ કરતા અટકાવ્યું છે. આ વિમાનમા કેટકાક સગીરો સહિત 303 ભારતીય નાગરિકો સવાર છે, જે મધ્ય અમેરિકન દેશ નિકારાગુઆ જઈ રહ્યા હતા. ફ્રાન્સની પોલીસ આ ભારતીય નાગરિકોની મુસાફરીની માહિતીની તપાસ કરી રહી છે. આ વિમાને દુબઈથી ઉડાન ભરી હતી.
મોડેથી મળતા અહેવાલ મુજબ ફ્રાંસના સત્તાવાળાઓએ ચાર્ટડ પ્લેનને અટકાવાયાની જાણ કરતા ભારતીય દુતાવાસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ જાણી મુસાફરોને તકલીફ ન પડે તે સુનિશ્ર્ચિત કર્યુ હતું.
મળતી માહિતી મુજબ ફ્રાન્સે ભારતીય નાગરિકોને લઈને નિકારાગુઆ જઈ રહેલા એક વિમાનને જપ્ત કર્યું છે. આ પ્લેનમાં 303 ભારતીય નાગરિકો સવાર છે. ફ્રેન્ચ એજન્સીઓને શંકા છે કે વિમાનનો ઉપયોગ માનવ તસ્કરી માટે કરવામાં આવી રહ્યો છે. ફ્રેન્ચ પ્રોસીક્યુટર્સે જણાવ્યું હતું કે એક અનામી સૂચનાને પગલે પ્લેનને અટકાયતમાં લેવામાં આવ્યું હતું. આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે ભારતે પ્રજાસત્તાક દિવસના અવસર પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે. મેક્રોને પોતે ટ્વીટ કરીને આ આમંત્રણ સ્વીકારવાની જાણકારી આપી છે. યુએસ પ્રમુખ જો બિડેને ઇનકાર કર્યા પછી મેક્રોનને મુખ્ય અતિથિ બનવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.
ફ્રેન્ચ અધિકારીઓએ દાવો કર્યો છે કે, ભારતથી નિકારાગુઆ જઈ રહેલા પ્લેનનો ઉપયોગ માનવ તસ્કરી માટે થઈ શકે છે. ફ્રેન્ચ અધિકારીઓએ માહિતી આપી છે કે આ મુસાફરોની મુસાફરીની શરતો અને હેતુઓ અંગે તપાસ શરૂૂ કરવામાં આવી છે. અધિકારીઓ માનવ તસ્કરીની શંકા અંગે તપાસ હાથ ધરી છે. અહેવાલ મુજબ ફ્રાંસની વિશેષ ટીમો આ મામલે પુછપરછ માટે બે વ્યક્તિની અટકાયત કરી છે.
ફ્લાઇટમાં રોમાનિયન ચાર્ટર કંપનીના પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે દુબઇથી ઉડાન ભરી હતી. જ્યારે પોલીસે દરમિયાનગીરી કરી ત્યારે તે ટેકનિકલ સ્ટોપ માટે નાના વત્રી એરપોર્ટ પર ઉતર્યું હતું. યાત્રીઓને શ્રેષ્ઠ સંભવિત સ્વાગત સુવિધાઓ પૂરી પાડવા માટે, વત્રી એરપોર્ટ પર રિસેપ્શન હોલને વ્યક્તિગત પથારી સાથે વેઇટિંગ લોન્જમાં રૂૂપાંતરિત કરવામાં આવ્યો છે, પોલીસે જણાવ્યું હતું. ફ્રાન્સના સત્તાવાળાઓએ હજુ એ જણાવ્યું નથી કે આ ભારતીય નાગરિકોને હજુ કેટલા દિવસ રાખવામાં આવશે અથવા તેમને ભારતમાં મોકલવાની કોઈ તૈયારી છે કે કેમ તે હવે જોવું જ રહ્યું.
નિકારાગુઆ એ મધ્ય અમેરિકન દેશ છે. નિકારાગુઆ ઉત્તરમાં હોન્ડુરાસ, પૂર્વમાં કેરેબિયન, દક્ષિણમાં કોસ્ટા રિકા અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગરથી ઘેરાયેલું છે. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારાઓ માટે આ દેશ સ્વર્ગ સમાન છે. દર વર્ષે હજારો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ આ દેશમાંથી યુએસ-મેક્સિકો બોર્ડર પર પહોંચે છે. ગેરકાયદેસર વસાહતીઓને પણ આ માર્ગ પર ઘણા પડકારોનો સામનો કરવો પડે છે, જેમાં ભૌગોલિક સ્થાન અને ચોરી અને લૂંટ જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. નિકારાગુઆમાં આ સ્થળાંતર કરનારાઓ પર કોઈ વિશેષ તપાસ કરવામાં આવતી નથી.
માનવ તસ્કરીમાં અમારો હાથ નથી: એરલાઈન્સ
ચાર્ટર્ડ વિમાન ભાડે આપનારી રોમાન્યાની લીજન્ડ એરલાઈન્સે આ મામલે સત્તાવાર રીતે કોઈ ટીપ્પણી કરી નથી પણ તેના વકીલ તરીકે ઓળખાયેલા લિલિયાના બકાયોકેએ ફ્રાંસની ટીવી ચેનલને જણાવ્યું હતું કે, એરલાઈન્સની માનવ તસ્કરીમાં કોઈ ભૂમિકા નથી નામ આપ્યા વિના તેણે જણાવ્યું હતું કે, એક કસ્ટમરે પ્લેનને ભાડે રાખ્યું હતું અને તે દરેક મુસાફરના ઓળખ દસ્તાવેજોની ચકાસણી માટે જવાબદાર છે. આ કસ્ટમરે 48 કલાક પહેલા મુસાફરોની માહિતી એરલાઈનને આપી હતી.
Uncategorized
શહેર-જિલ્લામાં દારૂ વેચનારાઓ પર પોલીસની ધોંસ
આઠ દરોડામાં ઈંગ્લિશ દારૂની નાની મોટી 11પ બાટલી ઝડપાઈ: નવ શખ્સોની અટકાયત
જામનગર શહેર તેમજ જિલ્લામાં પોલીસે જુદા જુદા 8 સ્થળોએ દારૂ અંગેના દરોડા પાડી કુલ ઈંગ્લીશ દારૂની નાની મોટી 11પ બોટલ કબજે કરી છે અને આઠ જેટલા શખ્સોની મુદામાલ સાથે ધરપકડ કરી છે.
જામનગર સીટી એ ડિવિઝન પોલીસે દિગ્વિજય પ્લોટ શેરી નંબર 42 માં રજા મેન્શન પાસે રહેણાંક મકાનમાં રેડ પડી હતી. આ દરમિયાન યોગેશ્વર રમણીકલાલ વિઠલાણીના રહેણાંક મકાનમાંથી 3500ની કિંમતની 7 બોટલ તથા 31 ચપલા દારૂ સહિત 6600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે વધુ તપાસ કરતા અશોક ઉર્ફે મિર્ચી ખટાઉભાઈ મંગે નામના શખ્સનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં દારૂની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે કિસાન ચોકમાં આવેલ માલદે ભુવન શેરી નંબર ત્રણમાં રેડ પાડી હતી. આ વેળાએ 12000 ની કિંમતની 24 બોટલ દારૂના જથ્થા સાથે નીકળેલ કરણ ગુલાબભાઈ ડાભી નામના કોડીના દંગા પાસે સોનલ નગર મેઈન રોડ સર્કલ જામનગરમાં રહેતા શખ્સને પકડી પાડ્યો હતો.
આ ઉપરાંત પોલીસે દારૂ સંબંધીત વધુ એક દરોડો કિસાન ચોકમાં નંદા બ્રધર્સ વાળી ગલીમાં પાડ્યો હતો. જ્યાં રવિ અમરીશભાઈ ધેયડા નામના શખ્સના કબજામાંથી 24 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધી હતો.પોલીસે 12 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી આદરી છે. આ ઉપરાંત જામનગર શહેરના વિશ્રામ વાડી વિસ્તારમાં રહેતા ક્રિષ્ના ઉર્ફે એકો મહેન્દ્ર ગોરી ના રહેણાંક મકાનમાંથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો. જોકે આરોપી હાજર મળ્યો ન હતો.
તેજ રીતે દિગ્વિજય પ્લોટ 58 માં આવેલ બાળકોના સ્મશાન પાસેથી સુરેશ ઉર્ફે સુરિયો ગંગારામ જોશી દારૂૂની બોટલ સાથે પકડાયો હતો. જ્યારે દર્શન ઉર્ફે ખેતો હરીશભાઈ ચાંદરાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ આદરી છે. તો નાગર ચકલા પાસે જાહેરમાં દારૂની બાટલી સાથે નીકળેલા કૃણાલ મહેશભાઈ ઝીંઝુવાડીયાને પોલીસે પકડી પાડ્યો હતો.
મેઘપર પોલીસે મોટીખાવડી ગામે આવેલ નાગાર્જુન પેટ્રોલ પંપ પાછળ નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજાની ટ્રાન્સપોર્ટ ની ઓફિસમાં રેડ પડી હતી જ્યાં ત્રણ બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. મેકર પોલીસે નરેન્દ્રસિંહ જાડેજા તેમજ નવલભાઇ ખેરાભાઈ બુજડ નામના બંને શખ્સોની અટક કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સીટીસી ડિવિઝન પોલીસે અંતરાશ્રમ ફાટક પાસે આવાસ કોલોની બ્લોક નંબર 51 માં બીપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયાના મકાનમાં રેડ પડી હતી. જ્યાં તપાસ હાથ ધરતા 9200 ની કિંમતની 23 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પરિસ્થિતિ પારખી આરોપી બીપીન હાજર ન મળતા તેમને ફરારી જાહેર કરાયો છે.
Uncategorized
વડાપ્રધાનની સભા પહેલાં કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ પાંચ આતંકી ઢેર
બારામુલ્લા અને કઠુઆમાં સેનાની કાર્યવાહી, બે જવાનની શહીદીનો બદલો લેવાયો
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આજે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે ઉત્તર કાશ્મીર જિલ્લાના પટ્ટન વિસ્તારમાં ચક ટેપર કરીરીમાં ગોળીબાર શરૂૂ થયો હતો. આ ઓપરેશન હાલ ચાલુ છે.
Uncategorized
શહેરમાં ગાબડારાજ: પ્રજાના કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય
સરકારે પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી..
જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની હાલત દિનપ્રતિદિન વણસતી જાય છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ ઉબડખાબડ બની ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો સ્થિતિ વધુ ગંભીર છે. લોકોને સ્વયંભૂ ખાડા પૂરવાની ફરજ પડી છે. શહેરી વિસ્તારોમાં સરકાર દ્વારા માર્ગોની મરામત માટે નાણા ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ નાણાંનો ઉપયોગ કેટલી હદે થશે તે અંગે શંકાઓ વ્યક્ત થઈ રહી છે.
સરકારી તંત્ર દ્વારા પ્રેસ રિલીઝ અને અન્ય માધ્યમો દ્વારા સતત માહિતી આપવામાં આવે છે, પરંતુ આ માહિતીમાં મોટાભાગે કરાયેલી કામગીરીની વાહવાહી અને આંકડાઓની માયાજાળ જોવા મળે છે. વાસ્તવિક સ્થિતિ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટે લેવામાં આવતા પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને મળતી નથી. મેયર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પંચાયતના પ્રમુખો, કલેક્ટરો વગેરેએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા વાસ્તવિક સ્થિતિ જાહેર કરવી જોઈએ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની માહિતી આપવી જોઈએ.
લોકો સરકારી તંત્ર પાસેથી વાસ્તવિક માહિતી અને કાર્યક્ષમ કામગીરીની અપેક્ષા રાખે છે. લોકો સરકારી તંત્રની ઢીલાશ અને ભૂલો સ્વીકારવા તૈયાર છે, પરંતુ તેને છુપાવવાના પ્રયાસો સામે વિરોધ કરે છે. સરકારી તંત્રને લોકોની અપેક્ષાઓને પૂરી કરવા માટે વધુ પારદર્શી અને જવાબદાર બનવું જરૂૂરી છે. વાસ્તવિક સ્થિતિ સ્વીકારવી અને તેના સંદર્ભમાં તત્કાળ પગલાં લેવા, કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને આપવી અને પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી છે.
પ્રશાસનિક અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરવો જોઈએ. જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની દયનીય સ્થિતિ પાછળ સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર જવાબદાર છે. પ્રજાનાં કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે લોકોએ એક થઈને સરકારને જવાબદાર બનાવવી પડશે.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય11 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો