Sports
BCCI ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડથી 28 ગણું વધુ ધનવાન
ભારતીય ક્રિકેટ બોર્ડ વિશ્વનું સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ છે આ વાત સર્વ વિદિત છે. પરંતુ BCCI બાદ આવતા બીજા ક્રમના બોર્ડ વચ્ચે બહુ મોટું અંતર છે તે ચોંકાવનારા સમાચાર છે. BCCI બાદ બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ આવે છે. BCCI આ બીજા ક્રમના ક્રિકેટ બોર્ડ કરતા 28 ગણું ધનવાન છે તેવો રિપોર્ટ ક્રિકબઝે જાહેર કર્યો છે. ગયા મહિને જ BCCI ની કુલ સંપત્તિ 2.25 અરબ અમેરિકન ડોલર(અંદાજિત 18,700 કરોડ રુપિયા) નોંધાઈ છે. ક્રિકબઝની એક રિપોર્ટ અનુસાર ક્રિકબઝ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(ઈઅ) વિશ્વનું બીજા ક્રમનું ધનવાન ક્રિકેટ બોર્ડ છે. જો કે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડની કુલ સંપત્તિ 79 મિલિયન અમેરિકન ડોલર(660 કરોડ રુપિયા) છે. આ આંકડા પરથી કહી શકાય કે BCCI તેના પછીના આવતા ક્રિકેટ બોર્ડ કરતા 28 ગણું ધનવાન છે. વિશ્વના અનેક દેશોમાં વિવિધ રમતોથી નાગરિકો આકર્ષાતા હોય છે. જ્યારે ભારતમાં ટીવી પર રમતો જોતા દર્શકોમાંથી 90 ટકા દર્શકો માત્ર ક્રિકેટ જોવાનું જ પસંદ કરે છે. તેની કુલ સંપત્તિ 47 મિલિયન અમેરિકન ડોલર છે. જે BCCI ના માત્ર 2.09 ટકા જેટલી થવા જાય છે. રિપોર્ટમાં BCCI સમગ્ર વિશ્વમાં અગ્રણી 10 ક્રિકેટ બોર્ડની કુલ સંપત્તિના 85.88 ટકા હિસ્સા સાથે પ્રથમ છે.
Sports
મહિલા T20 વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 23 લાખ 40 હજાર યુએસ ડોલર
પુરુષ અને મહિલાઓને સમાન ઇનામી રકમની ઈંઈઈની જાહેરાત
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ઈંઈઈ) એ મહિલા ઝ20 વર્લ્ડ કપ 2024 માટે ઇનામી રકમની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે હવે પુરૂૂષ અને મહિલાઓને સમાન ઈનામની રકમ આપવામાં આવશે. જેની શરૂૂઆત આવતા મહિને સંયુક્ત આરબ અમીરાતમાં યોજાનાર મહિલા ઝ20 વર્લ્ડ કપથી થશે. ઈંઈઈના નિવેદન મુજબ મહિલા ઝ20 વર્લ્ડ કપ જીતનાર ટીમને હવે 23 લાખ 40 હજાર યુએસ ડોલર મળશે.
ગયા વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમાયેલ મહિલા ઝ20 વર્લ્ડ કપ જીતવા બદલ ઓસ્ટ્રેલિયાને 1 મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ મળી હતી.આ રીતે તેમાં 134 ટકાનો વધારો થયો છે. ભારતીય પુરૂૂષ ટીમને આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા ઝ20 વર્લ્ડ કપની વિજેતા બનવા માટે 23 લાખ 40 હજાર યુએસ ડોલરની ઈનામી રકમ મળી હતી.
ICCએ કહ્યું કે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 પ્રથમ ઈંઈઈ ટૂર્નામેન્ટ હશે. જેમાં મહિલાઓને પુરૂૂષો જેટલી ઈનામી રકમ મળશે જે આ રમતના ઈતિહાસમાં મહત્વની સિદ્ધિ હશે.
મહિલા ઝ20 વર્લ્ડ કપ 3 ઓક્ટોબરથી ઞઅઊમાં રમાશે. અગાઉ તેનું આયોજન બાંગ્લાદેશમાં થવાનું હતું. પરંતુ ત્યાંની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈંઈઈએ મહિલા ઝ20 વર્લ્ડ કપને સંયુક્ત આરબ અમીરાતમાં શિફ્ટ કરી દીધો. ભારત 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે મહિલા ઝ20 વર્લ્ડ કપમાં પોતાની સફર શરૂૂ કરશે.
ઈંઈઈના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ કહ્યું- રમતના ઈતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે અને મને ખુશી છે કે ઈંઈઈ વૈશ્વિક ઈવેન્ટ્સમાં ભાગ લેનારા પુરુષ અને મહિલા ક્રિકેટરોને હવે સમાન પુરસ્કાર આપવામાં આવશે. 2017થી, અમે સમાન ઈનામી રકમ હાંસલ કરવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે દર વર્ષે મહિલાઓની ઈવેન્ટ્સમાં ઈનામની રકમમાં વધારો કર્યો છે અને હવેથી ઈંઈઈ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા માટેની ઈનામની રકમ ઈંઈઈ પુરૂૂષ ક્રિકેટ વર્લ્ડ જીતવા માટે સમાન હશે.
Sports
ગૌતમ ગંભીરના આક્રમક વલણ પર પૂર્વ ક્રિકેટરનો ખુલાસો, શું ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ખતરામાં છે?
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરનું આક્રમક વલણ કોઈનાથી છુપાયેલું નથી. હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પણ આ અંગે ખુલાસો કર્યો છે. લિજેન્ડ્સ લીગ ક્રિકેટ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કાર્તિકે ગંભીર વિશે મોટી વાત કરી છે.
દિનેશ કાર્તિકે ગૌતમ ગંભીરના આક્રમક વલણ વિશે વાત કરી
કાર્યક્રમ દરમિયાન વાત કરતી વખતે કાર્તિકે કહ્યું, ‘તેની આક્રમકતા સામાન્ય રીતે તેના ખેલાડીઓને બચાવવા માટે જોવા મળે છે. ટીમના ખેલાડીઓ આ વખતે એન્જોય કરશે. ગંભીરને જાણ્યા પછી હું કહી શકું છું કે તે કોઈ કારણ વગર ગુસ્સે થઈ જાય તેવો વ્યક્તિ નથી. મને ખાતરી છે કે જે પણ જરૂરી હશે તેના માટે તે સખત શબ્દોનો ઉપયોગ કરશે અને ખેલાડીઓ પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન મેળવવું તેનું કામ હશે. છે.
કાર્ટિને આગળ કહ્યું, ‘ગંભીર એવો ખેલાડી છે જેણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કર્યું છે. તેની પાસે રમતના પલ્સ રાખવાની કળા છે, જે કોચ માટે જરૂરી છે. તે કોચ તરીકે તેના પ્રારંભિક તબક્કામાં છે, મને વિશ્વાસ છે કે તે તમામ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરશે. કોચિંકનો વર્કલોડ તેના માટે અત્યાર સુધી સારો રહ્યો છે. હવે તે બાંગ્લાદેશ શ્રેણી પર છે, બાંગ્લાદેશ માટે અહીં ભારતને હરાવવું આસાન નહીં હોય.
કાર્તિક અને શિખર ડેબ્યુ કરશે
તમને જણાવી દઈએ કે આ વખતે દિનેશ કાર્તિક લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં રમતા જોવા મળ્યા હતા. તેની સાથે શિખર ધવન પણ આ ટૂર્નામેન્ટમાં ભારત તરફથી રમતા જોવા મળશે. આ કાર્યક્રમ દરમિયાન, સુરેશ રૈના, જે પહેલાથી જ આ લીગમાં રમી રહ્યો છે, તેણે કાર્તિક અને શિખરનું ટુર્નામેન્ટમાં સ્વાગત કર્યું. આ બંને ખેલાડીઓ આ સિઝનમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ડેબ્યૂ કરતા જોવા મળશે.
Sports
ભારતે પાંચમી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, હોકી ફાઇનલમાં ચીનને તેના જ ઘરમાં હરાવી ઇતિહાસ રચ્યો
ભારતે ફાઇનલમાં ચીનને 1-0થી હરાવીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024નો ખિતાબ જીતી લીધો છે. પ્રથમ ત્રણ ક્વાર્ટર ગોલ રહિત રહ્યા બાદ આખરે ટીમ ઈન્ડિયાએ ચોથા અને છેલ્લા ક્વાર્ટરમાં શાનદાર ગોલ કરીને 1-0ની સરસાઈ મેળવી લીધી હતી જે અંત સુધી ટકી હતી. મેચનો એકમાત્ર ગોલ ભારતના જુગરાજે કર્યો હતો. ઈતિહાસમાં આ પાંચમી વખત છે જ્યારે ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે.
મેચની શરૂઆતમાં ચીને આક્રમક વલણ અપનાવીને ભારતીય ડિફેન્સને બેકફૂટ પર મૂકી દીધું હતું. ભારતને પહેલા ક્વાર્ટરમાં બે પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ બંને વખત ચીનના ગોલકીપરે પોતાની ગોલ પોસ્ટ સુરક્ષિત રાખી. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમોએ ગોલ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. પરંતુ મેચનો એકમાત્ર ગોલ 51મી મિનિટે આવ્યો, જ્યાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે જુગરાજને પાસ કર્યો અને તેણે બોલને ગોલ પોસ્ટમાં ધકેલતા શાનદાર ગોલ કર્યો.
આ જીત સાથે ભારતે ગોલ્ડ મેડલ અને ચીને સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે ત્રીજા સ્થાન માટે પાકિસ્તાને દક્ષિણ કોરિયાને 5-2થી હરાવ્યું હતું. અંતિમ ક્ષણોમાં ચીનના ખેલાડીઓએ લાંબા સમય સુધી બોલ પર કબજો જમાવ્યો હતો, પરંતુ ભારતનું ડિફેન્સ પણ શાનદાર હતું. આ પહેલા ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજ દરમિયાન ભારત અને ચીન આમને-સામને આવ્યા હતા, જ્યાં ટીમ ઈન્ડિયાએ 3-0થી આસાન વિજય નોંધાવ્યો હતો.
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 2011માં થઈ હતી, જ્યાં ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. જે બાદ 2016માં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને 3-2થી હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. 2018માં ભારત અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. 2023માં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે મલેશિયાને 4-3થી હરાવીને ચોથી વખત આ ટ્રોફી જીતી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
ગુજરાત17 hours ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
રાષ્ટ્રીય19 hours ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી