‘PM મોદી કે ભારત વિરુદ્ધ પુરાવા નથી’, ભારત સરકારના ઠપકા બાદ ટ્રુડો સરકારની અક્કલ આવી ઠેકાણે

કેનેડા સરકાર ફરી એકવાર ભારતની સામે બેનકાબ થઇ છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલા કેસને લઈને કેનેડાને શરમનો સામનો કરવો પડ્યો છે. ટ્રુડો સરકારે…

કેનેડા સરકાર ફરી એકવાર ભારતની સામે બેનકાબ થઇ છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલા કેસને લઈને કેનેડાને શરમનો સામનો કરવો પડ્યો છે. ટ્રુડો સરકારે સ્વીકાર્યું છે કે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પર લાગેલા આરોપો સંબંધિત કોઈ પુરાવા નથી. ઉપરાંત, ટ્રુડો સરકારે કહ્યું કે તેની પાસે આ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી.

કેનેડા સરકારનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ગ્લોબ એન્ડ મેલ અખબારે ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો છે.

હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાની સમર્થક હતો અને તેના પર ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ હતો. જૂન 2023માં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતીય એજન્સીઓ પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ નિવેદનથી ભારત-કેનેડા સંબંધોમાં તણાવ વધી ગયો છે.

કેનેડા દ્વારા કરવામાં આવેલા નિજ્જરની હત્યાના આરોપોને ભારતે સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. ભારતે કહ્યું હતું કે કેનેડા તેના દેશમાં ખાલિસ્તાની ગતિવિધિઓને રોકવામાં નિષ્ફળ રહ્યું છે.

ગ્લોબ એન્ડ મેલ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કેનેડા પાસે ભારતીય અધિકારીઓને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડવાના પુરાવા છે. અખબારે કોઈપણ પુરાવા વિના ભારતીય પીએમ સહિત ઘણા મોટા લોકો પર આરોપો લગાવ્યા. હવે આ અહેવાલ બાદ કેનેડાની સરકારે સ્પષ્ટતા કરી છે કે તેમની પાસે એવા કોઈ પુરાવા નથી કે જે આ કેસમાં ભારતીય અધિકારીઓને સીધો દોષિત ઠેરવે.

ટ્રુડોના ભારત વિરુદ્ધ નિવેદન બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. પરિણામે, ભારતે કેનેડા સાથેની વેપાર વાટાઘાટો સ્થગિત કરી અને રાજદ્વારી પ્રવૃત્તિઓમાં ઘટાડો કર્યો. તેનાથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર કરારો પર પણ અસર પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *