ગંદકીના ઘર જેવા ખૂલ્લા પ્લોટોની તાત્કાલિક સફાઇ કરવા કોંગ્રેસના કાર્યાલય મંત્રીની રજૂઆત
કોંગ્રેસનાં કાર્યાલય મંત્રી જયદીપ મયાત્રાએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી જણાવેલ છે કે , શહેર ના વોર્ડ નંબર 03 ના સદગુરુ પાર્ક શેરી ન. 01 થી 07 રાજકોટ- માધાપર ઓવર-બ્રિજ વિસ્તારમાં આવેલ જાહેર લાઇટના થાંભલા પર ગાંડીવેલ અને ઝાંખરા વધુ પ્રમાણમા ફેલાઈ ગયા છે જેના કારણે થાંભલાની પ્રકાશ વ્યવસ્થા સંપૂર્ણપણે અસરગ્રસ્ત થઈ ગઈ છે. રાત્રિના સમયે પ્રકાશ ન મળતાં સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડે છે તેમજ અકસ્માતની સંભાવના પણ વધી જાય છે.
તે ઉપરાંત, વિસ્તારના ખાલી પડેલા અનેક પ્લોટોમાં ગંદકી, જંગલી વનસ્પતિ અને બિન જરૂૂરી વનસ્પતિ ખૂબ જ મોટી માત્રામા ફેલાઈ ગઈ છે.
પત્રમા રોશની શાખા અને ગાર્ડન શાખા સંયુક્ત રીતે લાઇટના થાંભલા પર ચડેલી વેલ તાત્કાલિક દૂર કરે , વિસ્તારમા આવેલા ખાલી પ્લોટોના માલિકોને મહાનગરપાલિકા દ્વારા યોગ્ય નોટિસ આપી સફાઈ , વનસ્પતિ દૂર કરવાનું કામ અને ગંદકી નિવારણની કાર્યવાહી કરે તેમજ જો માલિકો દ્વારા કાર્યવાહી ન કરવામા આવે તો મહાનગરપાલિકા દ્વારા સ્વયં કાર્યવાહી કરી જરૂરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામા આવે તેવી માંગણી જયદીપ મયાત્રા દ્વારા કરવામા આવી છે.
