જૂન-ઓગસ્ટમાં અલનિનોના પ્રભાવની 62 ટકા શકયતા, દરિયાકાંઠાના વિસ્તારોમાં અસાધારણ તાપમાનથી ચિંતા વધી
સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં શિયાળો ટૂંકો રહ્યા બાદ હવે આગામી ચોમાસુ નબળુ રહેવાની અમંગળ આગાહી આવી છે. અલનિનોના પ્રભાવના કારણે ગુજરાતમાં ચોમાસુ નબળુ રહેવાની આગાહી કરાઈ છે. જેના કારણે ચિંતાની લાગણી ફેલાયેલ છે. ચાલુ વર્ષે શિયાળાના દિવસો ઘટયા છે અને ગરમીના દિવસો વધી ગયા છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ તાપમાનમાં અસાધારણ વધારો ચિંતાજનક છે.
ભારતના સૌથી લાંબા 2,340 કિલોમીટરના કિનારા ધરાવતા ગુજરાતમાં હાલ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, રાજ્યમાં હીટવેવથી સીવિયર હીટવેવની સ્થિતિ 13 માર્ચ સુધી ચાલુ રહેશે, ત્યારબાદ ધીમે ધીમે ઘટાડો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છના કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા વધુ તકલીફદાયક બની છે. દીવ જેવા સ્થળોએ માર્ચની શરૂૂઆતમાં જ મહત્તમ તાપમાન 41.3ઓઈ સુધી પહોંચ્યું છે, જે સીઝનલ નોર્મલ કરતાં ઘણું વધુ છે.
આ તીવ્ર ગરમી વચ્ચે, આગામી દક્ષિણ-પશ્ચિમ ચોમાસા (જૂન-સપ્ટેમ્બર 2026) માટે ચિંતા વધી રહી છે.NOAA અને WMOની તાજી આગાહી અનુસાર, જૂન-ઓગસ્ટમાં એલ નિનોની 62% શક્યતા છે, જે પછીના મહિનાઓમાં 80%થી વધુ થઈ શકે છે. એલ નિનો ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં, મોન્સૂન વરસાદને ઓછો કરી શકે છે. ઐતિહાસિક રીતે, 1980 પછીના 14 એલ નિનો વર્ષોમાંથી 9માં વરસાદ લાંબા ગાળાના સરેરાશથી 10%થી વધુ ઓછો રહ્યો છે.
પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ (IOD) આ વખતે એલ નિનોની અસરને ઓછી કરી શકે છે, પરંતુ તેની આગાહી અને અસર વિશ્વસનીય નથી. નિષ્ણાતો કહે છે કે એપ્રિલ-મેમાં વધુ સ્પષ્ટ ચિત્ર મળશે. ગુજરાતમાં બ્લુ ઇકોનોમી, શિવરાજપુર બીચ જેવા ટુરિઝમ સર્કિટ અને કાંડલા જેવા બંદરોના વિકાસ સાથે, કિનારાના વિસ્તારોમાં પાણીની અછત, માછીમારી અને ખેતી પર અસર પડી શકે છે.
માછીમારોને સાવચેતીની સલાહ આપવામાં આવી છે. IMDના તાજેતરના બુલેટિન (12-16 માર્ચ 2026) અનુસાર, દક્ષિણી કિનારાના કેટલાક ભાગોમાં મજબૂત પવન અને ઊંચી લહેરોને કારણે સમુદ્રમાં જવાનું ટાળવું જોઈએ. હાલ કોઈ સાયક્લોનનું જોખમ નથી, પરંતુ અરબી સમુદ્ર પર નજર રાખવામાં આવી રહી છે. આ વર્ષે વહેલી તારીખે જ હીટવેવની શરૂૂઆત થઈ છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘણા સ્થળોએ તાપમાન 38-42ઓઈ વચ્ચે રહ્યું છે. કિનારાના ગામડાઓ, માછીમાર સમુદાય અને ઔદ્યોગિક વિસ્તારોને તાત્કાલિક ગરમી અને ચોમાસાની અનિશ્ચિતતા સામે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે. IMDના અપડેટ્સ પર નજર રાખો.
24 કલાકમાં તાપમાન ઘટશે, ગરમીમાં આંશિક રાહતની આશા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન ઘટી શકે છે. ગઇકાલે મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં અને પવન ફૂંકાવાના કારણે અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા ગરમીના પ્રકોપથી આંશિક રાહત મળી હતી. જોકે આજે રાજકોટ અને સુરત સહિતના જિલ્લાઓમાં હીટવેવની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન ઘટી શકે છે. જેના પગલે જે કાળઝાળ ગરમી બે-ચાર દિવસથી અનુભવાઇ રહી છે તેમાં થોડી રાહત મળી શકે છે. જ્યારે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા હાલ નથી. આજે 13 માર્ચના રોજ રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ અને સુરતમાં હીટવેવની શક્યતા છે. જેના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાઇ વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહી શકે છે.
