ધ્રોલની હોસ્પિટલમાં વિદ્યાર્થિનીનો ગળાફાંસો ખાઈ આપઘાત

ધો. 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની આત્મહત્યાનું કારણ અકબંધ, પરિવારમાં ગમગીની છવાઈ જામનગર જિલ્લામાં ફરી એકવાર વિદ્યાર્થી જીવનને ઝંઝોળતી દુખ:દ ઘટના સામે આવી છે. ધ્રોલ સ્થિત…

ધો. 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની આત્મહત્યાનું કારણ અકબંધ, પરિવારમાં ગમગીની છવા

જામનગર જિલ્લામાં ફરી એકવાર વિદ્યાર્થી જીવનને ઝંઝોળતી દુખ:દ ઘટના સામે આવી છે. ધ્રોલ સ્થિત જી.એમ. પટેલ સ્કૂલની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ગઈકાલે ગળાફાંસો ખાઈ લઈ પોતાની જીવાદોરી ટૂંકાવતાં શિક્ષણ જગત અને પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ બનાવને પગલે ધ્રોલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે, જ્યારે વિદ્યાર્થીનીના વાલીઓએ ઘટનાને લઈને શંકા વ્યક્ત કરી પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માંગ ઉઠાવી છે.

મળતી માહિતી મુજબ દ્રારકા-ખંભાળિયા વિસ્તારની રહેવાસી અને ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરતી હિરલ હાથિયા નામની 17 વર્ષીય વિદ્યાર્થિની ધ્રોલની જી.એમ. પટેલ સ્કૂલની હોસ્ટેલમાં રહેતી હતી. શનિવારે જ હિરલને તેના વાલીઓ હોસ્ટેલમાં મૂકી ગયા હતા. પરંતુ થોડા જ સમયમાં આ દુખ:દ ઘટના બનતાં પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

હિરલે હોસ્ટેલ રૂૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એ.કુબાવતે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. બાદમાં મૃતદેહને કાયદેસરની કાર્યવાહી માટે જામનગર ખસેડી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો.

હાલ સુધી વિદ્યાર્થીનીએ આ પગલું કયા કારણસર ભર્યું તે અંગે સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. ઘટનાના રહસ્યને ઉકેલવા ધ્રોલ પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. બીજી તરફ વિદ્યાર્થીનીના વાલીઓએ ઘટનાને લઈને શંકા વ્યક્ત કરી પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી છે, જેથી સમગ્ર મામલાની સચ્ચાઈ સામે આવી શકે.

આ બનાવે શિક્ષણ જગતમાં પણ ચિંતાનો માહોલ સર્જ્યો છે. સહપાઠીઓ અને શિક્ષકો માટે પણ આ ઘટના અત્યંત દુ:ખદ બની છે. સમાજને સંદેશ આપતો અંત આવી દુ:ખદ ઘટનાઓ સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે. વિદ્યાર્થીઓ પર વધતું માનસિક દબાણ, એકલતા અને ભય જેવી લાગણીઓને સમયસર સમજવી અને તેમની સાથે સંવાદ જાળવવો અત્યંત જરૂૂરી બની ગયો છે. પરિવાર, શિક્ષકો અને સમાજ જો વિદ્યાર્થીઓને પ્રેમ, સમજ અને સહારો આપે તો કદાચ અનેક નિર્દોષ જીવ બચાવી શકાય. દરેક બાળકનું જીવન અમૂલ્ય છે તેને સાચવવાની જવાબદારી આખા સમાજની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *