રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી

મુખ્યમંત્રીની અધિકારીઓને સૂચના, સ્વાગત કાર્યક્રમમાં 3349 રજૂઆતોમાંથી 1757નું નિવારણ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, રાજકોટ અને અમદાવાદ મહાનગરપાલિકા,…

મુખ્યમંત્રીની અધિકારીઓને સૂચના, સ્વાગત કાર્યક્રમમાં 3349 રજૂઆતોમાંથી 1757નું નિવારણ

સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, રાજકોટ અને અમદાવાદ મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, ગ્રામ પંચાયતના રસ્તાઓ બનાવવા, જમીન મહેસુલ, હેતુફેર સહિતની વિવિધ રજૂઆતો થઈ હતી. જેના અનુસંધાને તેમણે આ રજૂઆતકર્તાઓને શાંતિપૂર્વક સાંભળીને તથા હકારાત્મક વલણ દાખવીને મહાનગરપાલિકા તથા પોલીસ તંત્રને સ્પર્શતી રજૂઆતોમાં કડક કાર્યવાહી માટે સુચનાઓ પણ આપી હતી.

સિંચાઈ યોજના પડતી મુકાયા છતાં કેટલાંક ખેડૂત ખાતેદારોના 7/12માં કલમ-4ના પ્રાથમિક જાહેરનામામાં યથાવત રહેલી નોંધને કારણે ખેડૂતોને લાંબા સમયથી પડતી સમસ્યાનો અંત લાવી તે નોંધ દૂર કરવાનો નિર્ણય પણ આ કાર્યક્રમ દરમિયાન કરાયો હતો.

એવી જ રીતે, મુખ્યમંત્રીએ રહેણાંક હેતુ માટેની સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ કરનારા કેસમાં કડક કાર્યવાહી કરવા, ખેડૂતોની જમીન માપણીના પ્રશ્નો, રોડ રસ્તા પરના દબાણ હટાવવાના, પર્યાવરણ જાળવણી સહિતના પ્રશ્નોને નાગરિકો પરત્વે હકારાત્મક દ્રષ્ટિકોણ રાખીને જિલ્લા વહીવટી તંત્ર કડક કાર્યવાહી કરે તેવી સ્પષ્ટ સુચનાઓ આપી હતી. જૂન મહિનાના સ્વાગત ઓનલાઈનમાં ગ્રામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્વાગત મળીને કુલ 3349 રજૂઆતો મળી હતી. તેમાંથી 50 ટકા એટલે કે 1757 જેટલી રજૂઆતોનું નિવારણ લાવી દેવાયું છે. સ્વાગતમાં કુલ 98 જેટલા અરજદારો રાજ્યભરમાંથી હાજર રહ્યા હતા. જેમાંથી 12 જેટલા અરજદારોને મુખ્યમંત્રીએ રૂૂબરૂૂ સાંભળ્યા હતા.

મુખ્યમંત્રી સમક્ષ રાજ્ય સ્વાગત માટે આવેલા અન્ય 86 જેટલા અરજદારોની અરજીઓ મુખ્યમંત્રી જનસંપર્ક કાર્યાલયના અધિકારીઓએ સાંભળીને તે અંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષક તથા સંબંધીત વિભાગોને જરૂૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી તથા સંબંધિત વિભાગોને યોગ્ય કાર્યવાહી માટે મોકલી આપી હતી. તેમણે, લોકોની રજૂઆતો સમસ્યાઓના સુચારૂૂ નિવારણ માટે જે સૂચનાઓ અપાઈ હોય તેનું પાલન સુનિશ્ચિત કરવા તાકીદ કરી છે.

અરજદારોને ગાંધીનગર સુધી આવવું પડે નહીં તેવી સ્થિતિ સર્જો

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અરજદારો નાગરિકોને પોતાની આવી નાની રજૂઆતો માટે રાજ્ય સ્વાગત સુધી આવું જ ન પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવું છે. રાજ્ય સ્વાગતમાં તેમની સમક્ષ રજૂ થયેલા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત વિભાગો તથા જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને પોલીસ અધિક્ષકો તથા અધિકારીઓને જરૂૂરી સુચનાઓ તેમણે આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *