ધો.3થી 8ની પરીક્ષા 6 એપ્રિલથી, ટાઇમ ટેબલ-પેપર સ્ટાઇલ જાહેર

બે તબક્કામાં આયોજન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ પેપર સ્ટાઇલમાં ધરખમ બદલાવ, પરીક્ષા સમયે જો સ્થાનિક રજા હશે તો રજા રદ ગાંધીનગરથી ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને…

બે તબક્કામાં આયોજન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ પેપર સ્ટાઇલમાં ધરખમ બદલાવ, પરીક્ષા સમયે જો સ્થાનિક રજા હશે તો રજા રદ

ગાંધીનગરથી ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ’દ્વિતીય સત્રાંત કસોટી’ એટલે કે વાર્ષિક પરીક્ષાનું બ્યુગલ હવે સત્તાવાર રીતે વાગી ગયું છે.

’ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ’ દ્વારા પરીક્ષાનું સત્તાવાર સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં એકસૂત્રતા જળવાય તે હેતુથી આગામી 6 આશિહ 2026 થી 22 આશિહ 2026 દરમિયાન પરીક્ષાઓ યોજવામાં આવશે. GCERT ના પરિપત્ર મુજબ, પરીક્ષા બે અલગ-અલગ તબક્કામાં અને સમય મુજબ લેવામાં આવશે. જેમાં ધોરણ3 થી 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા 6 આશિહ થી શરૂૂ થઈને 11 આશિહ સુધી ચાલશે. આ પરીક્ષાનો સમય સવારે 8:00 થી 10:00 વાગ્યા સુધીનો રહેશે.

આ વિદ્યાર્થીઓ માટે કુલ 40 માર્ક્સનું પેપર રહેશે અને મહત્વની વાત એ છે કે તેમણે જવાબો ’પ્રશ્નપત્રમાં જ’ લખવાના રહેશે, અલગ ઉત્તરવહી આપવામાં આવશે નહીં. બીજી તરફ, ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓની પરીક્ષા 13 આશિહ થી શરૂૂ થઈને 22 આશિહ સુધી ચાલશે. તેમનો સમય સવારે 8:00 થી 11:00 વાગ્યા સુધીનો રહેશે અને પેપર કુલ 80 માર્ક્સનું રહેશે. આ ધોરણના વિદ્યાર્થીઓએ જવાબો અલગ ’ઉત્તરવહી’માં લખવાના રહેશે. આ વ્યવસ્થા વિદ્યાર્થીઓની વય અને ક્ષમતા મુજબ ગોઠવવામાં આવી છે.

’રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ને ધ્યાનમાં રાખીને આ વર્ષે પ્રશ્નપત્રના પરિરૂૂપ એટલે કે ’પેપર સ્ટાઈલ’માં પણ મહત્વનો અને મોટો બદલાવ કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ, આ વખતની પરીક્ષામાં કુલ પ્રશ્નોના 30% પ્રશ્નો ’પરખ’ રાષ્ટ્રીય સર્વેક્ષણ અંતર્ગત ’લર્નિંગ આઉટકમ’આધારિત પૂછવામાં આવશે. એટલે કે ગોખણપટ્ટીને બદલે વિદ્યાર્થીની સમજશક્તિ ચકાસવામાં આવશે. અભ્યાસક્રમની વાત કરીએ તો, પરીક્ષામાં નવેમ્બરથી માર્ચ સુધીનો દ્વિતીય સત્રનો ’અભ્યાસક્રમ’ ધ્યાને લેવામાં આવશે. શિક્ષણ વિભાગે ખાનગી શાળાઓ માટે પણ કડક સૂચનાઓ જારી કરી છે.

સ્વનિર્ભર શાળાઓએ પણ મુખ્ય વિષયો જેવા કે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણના પેપર GCERT ના ફોર્મેટ મુજબ જ તૈયાર કરવાના રહેશે અને તે જ સમયે પરીક્ષા લેવી ફરજિયાત રહેશે. અન્ય એક મહત્વના નિર્ણયમાં, જો પરીક્ષાના દિવસો દરમિયાન કોઈ જિલ્લામાં ’સ્થાનિક રજા’ જાહેર કરાઈ હોય, તો તે રદ ગણીને પણ નક્કી કરેલા ટાઈમ ટેબલ મુજબ પરીક્ષા લેવી પડશે. જોકે, ’સમાવેશી શિક્ષણ’ અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે પરીક્ષામાં વિશેષ છૂટછાટ અને નિયમોનું પાલન કરવાનું રહેશે, જેથી તેઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે.

પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ શાળાઓ તરત બંધ નહીં થાય. વેકેશન પહેલાં વિદ્યાર્થીઓને આગામી ’પરખ’ સર્વેક્ષણ માટે તૈયાર કરવા વાંચન, લેખન અને ગણનની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. આ સમગ્ર કવાયતનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના પાયાના શિક્ષણને મજબૂત કરવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *