ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૌશિક વેકરિયા સહિતના આગેવાનો જોડાયા
ગુજરાતમાં ભાગીને થતા લગ્નોના મામલે કાયદાકીય ફેરફારોની માગણીને લઈને આજે ગાંધીનગરમાં એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં DyCM હર્ષ સંઘવી અને ભાજપના નેતા કૌશિક વેકરિયા સાથે પાટીદાર સમાજના અગ્રણી આગેવાનો જોડાયા હતા. સમાજ દ્વારા મુખ્યત્વે લગ્નની નોંધણી કાયદામાં સુધારો કરવાની માગણી કરવામાં આવી છે.
આ માગણીનો મૂળ હેતુ એ છે કે યુવક-યુવતીઓ દ્વારા ભાગીને કરવામાં આવતા લગ્નના કિસ્સાઓમાં, માતા-પિતાની જાણ બહાર અને તેમની સંમતિ વિના થતા લગ્નો પર અંકુશ લાવી શકાય. સમાજની સ્પષ્ટ માગ છે કે લગ્નની નોંધણી વખતે યુવક અને યુવતીના માતા-પિતાની સહી ફરજિયાત બનાવવામાં આવે. આ કાયદાકીય ફેરફારથી સામાજિક સમસ્યાઓ ઘટશે અને પરિવારની સહમતી જળવાઈ રહેશે. સરકારે પાટીદાર સમાજના આગેવાનોની રજૂઆત ધ્યાનથી સાંભળી છે અને આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે તેમ જણાવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર આ સંવેદનશીલ મુદ્દે કયા પ્રકારના કાયદાકીય પગલાં લે છે અને લગ્ન નોંધણીના કાયદામાં કેવા સુધારા લાવવામાં આવે છે.
