ગુજરાત
પોલીસ કમિશનર કચેરીમાં શસ્ત્ર પૂજન અને બહાર પોલીસ કર્મીઓની શરાબ પાર્ટી?
ગુજરાતમાં દારૂૂબંધી છે ત્યારે અમદાવાદમાં શહેર પોલીસનો દીવા તળે જ અંધારા જેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદમાં નવી શહેર પોલીસ કમિશનરની કચેરી સામે જ પોલીસ કર્મચારીઓ જાહેર રોડ ઉપર દારૂૂની મહેફિલ માણતા જોવા મળ્યા છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
એક તરફ વિજયા દશમી પર્વની ઉજવણીમાં ઉચ્ચ અધિકારીઓ પોલીસ કમિશનર કચેરી ખાતે હાજર હતા. બીજી તરફ કેટલાક પોલીસ કર્મચારીઓ પોલીસ કમિશનર કચેરીની સામે જ જાહેર રોડ ઉપર દારૂૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા. પોલીસ કમિશનર કચેરીની સામે જ દારૂૂની મહેફિલની છોળો ઉડતી જોવા મળતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.
પોલીસ કર્મચારીઓ જાહેરમાં રસ્તા પર ચા પીતા હોય તેમ દારુ પીતા જોવા મળ્યા હતા. આ પોલીસ કર્મચારીઓ પાસેથી દારૂૂની કેટલીક બોટલ પણ મળી આવી હતી.જોકે, આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું?
પોલીસ કમિશનર કચેરી ખાતે વિજયા દશમી દરમિયાન શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિકે શસ્ત્ર પૂજા કરી હતી. આ દરમિયાન શહેરના તમામ આઇપીએસ અધિકારીઓ પણ હાજર હતા. આ દરમિયાન જ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીની સામે જ કેટલાક પોલીસ કર્મી જાહેરમાં દારૂૂની મહેફિલ માણતા જોવા મળતા કેટલાક સવાલ ઉભા થઇ રહ્યાં છે.
ગુજરાત
સ્વ.પોપટભાઇ સોરઠિયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહની સજા માફીને હાઇકોર્ટમાં પડકાર
પૌત્ર હરેશ સોરઠિયાની અરજી દાખલ, સરકારને કોર્ટની નોટિસ
15મી ઓગસ્ટ 1988ના રોજ કોંગ્રેસના તત્કાલિન ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયાની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે ટાડા હેઠળ આજીવન કેદની સજા સંભળાવતા અનિરુદ્ધસિંહ જાડેજા (રિબડા)ને આપવામાં આવેલી માફીને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાની અરજીના આધારે ન્યાયમૂર્તિ ડીએમ દેસાઈએ રાજ્ય સરકાર, જેલના નિવૃત્ત એડીજીપી અને સુધારણા ટીએસ બિષ્ટ અને અનિરુદ્ધસિંહને નોટિસ પાઠવી વધુ સુનાવણી 28 ઓક્ટોબરે રાખી છે.
ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિને જાહેર ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા પોપટભાઇ સોરઠીયાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે ત્યારબાદ જાડેજા અને એક નિલેશ કુમારની ધરપકડ કરી હતી, જેમને સાક્ષીઓ પ્રતિકૂળ હોવાથી કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, રાજ્ય સરકારની અપીલના આધારે, જઈએ 1997માં જાડેજાને આજીવન કેદની સજા ફટકારી હતી.
દરમિયાન, અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ 29 જાન્યુઆરી, 2018ના રોજ ટી.એસ. બિષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. બાદમાં તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો કારણ કે તેણે તેની સજાના 18 વર્ષની સજા ભોગવી હતી. જો કે, હરેશે એડવોકેટ સુમિત સિકરવાર મારફત અરજી દાખલ કરીને માફીને પડકારી હતી. તેમણે દલીલ કરી હતી કે 2017માં ઘડવામાં આવેલી માફીની નીતિનું પાલન કરવામાં આવ્યું નથી. જાડેજા ત્રણ વર્ષથી ફરાર હતો. તેથી, તેમને જેલમાં પાછા મોકલવા જોઈએ, સોરઠીયાએ દલીલ કરી હતી.
ક્રાઇમ
લોરેન્સ બિશ્ર્નોઈના સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર ઉપર પ્રતિબંધ
કેન્દ્રીય ગૃહમંત્રાલયે ટ્રાન્સફર-સ્થળાંતર ઉપર પ્રતિબંધ ઓગસ્ટ-2025 સુધી લંબાવી દીધો
કોઈ પણ રાજ્યની પોલીસને કસ્ટડી મળશે નહીં, પૂછપરછ સાબરમતી જેલમાં જ કરવી પડશે
અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈનું ના મુંબઈના એનસીપી અજીત પવાર જૂથના નેતા બાબા સીદીકી ઉપરાંત કેનેડાના ખાલિસ્તાન તરફી નેતા હરદિપસિંહ નિજ્જરની હત્યામાં ઉછળ્યું છે. પરંતુ ગુજરાત બહારની પોલીસ સાબરમતી જેલમાંથી તેનો કબજો લઈ શકતી નથી તેની પાછળ કાયદાકીય જોગવાઈ હોવાનુું જણાય છે.
ગોંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈના ટ્રાન્સફર-સ્થળાંતર ઉપર કેન્દ્રીય ગૃહમંત્રાલયે પ્રતિબંધ ફરમાવ્યો છે. એક વર્ષના પ્રતિબંધની મુદત ગત ઓગસ્ટ માસમાં પૂર્ણ થતાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફરી એકવર્ષ એટલે કે, ઓગસ્ટ-2025 સુધી આપ્રતિબંધ લંબાવી દીધો છે. જેથી કોઈપણ રાજ્યની પોલીસને લોરેન્સની કસ્ટડી મળી શકશે નહીં અને મંજુરી લઈને જ સાબરમતિ જેલમાં પુછપરછ કરી શકશે.
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે. જેને લઈને મુંબઈ પોલીસ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી ઈચ્છે છે, પરંતુ વારંવાર મુંબઈ પોલીસની અરજી ફગાવી દેવામાં આવી રહી છે. ક્યા કારણે મુંબઈ પોલીસને લોરેન્સ બિશ્ર્નોઈની કસ્ટડી મળી નથી તે જાણવું રસપ્રદ છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. એપ્રિલ મહિનામાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ અને હવે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આવી સ્થતિમાં મુંબઈ પોલીસ પૂછપરછ માટે ગેંગસ્ટરની કસ્ટડી માંગી રહી છે.
એપ્રિલની ઘટના બાદ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, મુંબઈ પોલીસે સાબરમતી જેલમાંથી લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી માટે ઘણીવાર અપીલ કરી, પરંતુ ગૃહ મંત્રાલયના એક આદેશના કારણે તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઓગસ્ટ મહિનામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સ્થળાંતર પ્રતિબંધ (ટ્રાન્સફર પ્રતિબંધ)ને એક વર્ષ માટે લંબાવ્યો હતો, જેના કારણે તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ તેને રાખવામાં આવ્યો છે.
જો કોઈ રાજ્યની પોલીસ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવા માંગે છે તો તેને જેલ પરિસરની અંદર જ કરવી પડશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ આદેશના કારણે જ મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી બાબા સિદ્દીકીની હત્યા મામલે ગેંગસ્ટર સામે તપાસ ચાલી રહી છે.
ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 268 હેઠળ લાદવામાં આવેલો પ્રતિબંધક આદેશ આ વર્ષે ઓગસ્ટમાં સમાપ્ત થવાનો હતો, પરંતુ હવે તેને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023ની કલમ 303 હેઠળ લંબાવવામાં આવ્યો છે. સાબરમતી સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ ડીઆઈજી શ્વેતા શ્રીમાળીએ પુષ્ટિ કરી કે આ નવો આદેશ ઓગસ્ટ 2025 સુધી અમલમાં રહેશે.
ડ્રગ્સના કેસમાં સાબરમતી જેલમાં બંધ છે લોરેન્સ બિશ્ર્નોઈ
રાજસ્થાનનો ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈને ડ્રગ્સના કેસમાં ગુજરાત પોલીસે પકડ્યો હતો. કચ્છમાંથી પકડાયેલ ડ્રગ્સકાંડમાં લોરેન્સ બિશ્ર્નોઈને પકડવામાં આવ્યા બાદ તે એક વર્ષથી સાબરમતિ જેલમાં છે. લોરેન્સના જેલવાસ દરમિયાન જ સલમાનખાનના ઘર ઉપર ફાયરીંગ, અમુક વેપારીઓને કોલ કરી ખંડણી માંગવી અને છેલ્લે મુંબઈમાં બાબાસીદીકીની હત્યામાં તેનું નામ ઉછળી રહ્યું છે. પરંતુ અન્ય રાજ્યોની પોલીસને આજ સુધી લોરેન્સ બિશ્ર્નોઈનો કબજો મળ્યો નથી.
ગુજરાત
દેણું વધી જતાં રાવલના યુવાનનો ઝેરી દવા પી આપઘાત
માનપરમાં નદીમાં નહાવા પડેલા પરપ્રાંતીય આધેડનું મોત
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની સીમમાં રહેતા અરજણભાઈ કારાભાઈ વાઘેલા નામના 45 વર્ષના કોળી યુવાનને પોતાના પર દેવું વધી જતા તેમણે પોતાના હાથે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાહેર મૃતકના પુત્ર કાનાભાઈ અરજણભાઈ વાઘેલાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
નાહવા પડેલા પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ
પંચમહાલ જિલ્લાના લુણાવાડા તાલુકાના મૂળ રહીશ અને હાલ ભાણવડ તાબેના માનપર ગામે રહીને એક આસામીની વાડીમાં મજૂરી કામ કરતા અરજુનભાઈ નાનાભાઈ નાયક નામના 45 વર્ષના આદિવાસી યુવાન મંગળવારે માનપર ગામની નદીમાં નાહવા માટે પડતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જેન્તીભાઈ નાયક (ઉ.વ. 30) એ ભાણવડ પોલીસને કરી છે.
મહિલાએ ઝેરી દવા પીધી: મૃત્યુ
મધ્ય પ્રદેશ રાજ્યના ખારગોન જિલ્લાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા મમતાબેન મુકેશભાઈ વાસ્કેલ નામના 22 વર્ષના આદિવાસી મહિલાએ સોમવારે રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર માંડવીમાં મુંડા મારવાની ઝેરી દવા ગટગટાવી લેતા તેમને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ઉષ્માબેન હાલસીંગભાઇ કનાશ (ઉ.વ. 60, રહે. મૂળ મધ્યપ્રદેશ) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
રાષ્ટ્રીય19 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય19 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત