વિજય હજારે ટ્રોફીમાં ઘણા ખેલાડીઓ જે કાં તો ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા અથવા ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે રનની સખત જરૂૂર હતી તેઓ પોતાનું ફોર્મ બતાવી રહ્યા છે. સરફરાઝ ખાન તેમાંથી એક છે. 2024માં ભારત માટે પોતાની છેલ્લી મેચ રમનાર સરફરાઝ ખાન 8 જાન્યુઆરીએ પૂરજોશમાં હતો.
310ના સ્ટ્રાઇક રેટથી વિસ્ફોટક બેટિંગ કરતા, સરફરાઝ ખાને સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા. તેણે પ્રથમ વખત અભિષેક શર્માના 30 રનના ઓવરની મદદથી 15 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. ભારતના વિસ્ફોટક બેટ્સમેન અભિષેક પણ પાર્ટ ટાઇમ સ્પિન બોલિંગ કરે છે અને સરફરાઝે આનો ફાયદો ઉઠાવીને 6,4,6,4,6,4 સાથે શક્તિશાળી પ્રહાર કર્યો હતો.
પહેલા બેટિંગ કરતા પંજાબે 45.1 ઓવરમાં 216 રન બનાવ્યા. અનમોલપ્રીત સિંહે 75 બોલમાં 57 રનની અડધી સદી ફટકારી અને ત્યારબાદ રમણદીપ સિંહે 74 બોલમાં 72 રન બનાવ્યા. જવાબમાં, મુંબઈએ અંગક્રિશ રઘુવંશી (32 બોલમાં 23 રન) અને મુશીર ખાન (22 બોલમાં 21 રન) દ્વારા મજબૂત શરૂૂઆત કરી. ત્રીજા નંબરે બેટિંગ કરતા સરફરાઝે 20 બોલમાં 62 રન બનાવીને ઇનિંગને મજબૂત બનાવી. મુંબઈ 26.2 ઓવરમાં 215 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જેના કારણે મેચ એક રનથી હારી ગઈ. સરફરાઝ ખાને આ ઘરેલુ ક્રિકેટ સિઝનમાં ધૂમ મચાવી છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 100 (47 અણનમ), 52 (40), 64 (25) અને 73 (22) રન બનાવ્યા. ત્યારબાદ તેણે વિજય હજારે ટ્રોફીમાં 55 (49), 157 (75) અને હવે 62 (20) રન બનાવ્યા છે.
