રાજકોટ રેન્જના આઇજીપીનું વાર્ષિક ઇન્સ્પેક્શન, ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ ગત શનિવારે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા, ત્યારે જામનગરની એસ.પી. કચેરીમાં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરાયું હતું. આ…

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ ગત શનિવારે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા, ત્યારે જામનગરની એસ.પી. કચેરીમાં તેઓને ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરાયું હતું. આ વેળાએ જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ તથા જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને બુકે આપીને સ્વાગત કરાયું હતું.જામનગર શહેર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેકશન માટે જામનગર આવી પહોંચ્યા પછી આઇ.જી. અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી, જેમાં જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ઉપરાંત જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા એએસપી, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ વગેરે આ એન્યુઅલ ક્રાઇમ કોન્ફ્રન્સ માં જોડાયા હતા અને જામનગર જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગેની સમીક્ષા કરી હતી.


આઈ જી અશોકકુમાર યાદવ એ જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં કોઈ પણ દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે, વ્યાજખોરો સામે વધુ સખત બની ગુનાઓ નોંધી કાર્યવાહી કરાશે, આ ઉપરાંત દરીયાઈ સુરક્ષાને વધુ સર્તક કરાશે, જે માટે અન્ય એજન્સીઓ સાથે સંકલન કરાશે. દરીયાઈ સુરક્ષા વધુ મજબુત કરવા પોલીસ કટીબદ્ધ છે, તેમ આઈ. જી. અશોકકુમાર યાદવ દ્વારા જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *