Connect with us

ગુજરાત

ગેમ ઝોન અગ્નિકાંડની આગમાં શેકાતો રાજકોટનો વિકાસ, કોર્પોરેશનની TP અને ફાયર શાખાનો વહીવટ ઠપ

Published

on

નાના મકાનોથી માંડી હાઇરાઇઝ બિલ્ડિંગોના પ્લાન પાસ કરવા, બી.યુ. પરમિશન અને કમ્પ્લીશન સહિતની કામગીરી મંથર

અનેક અધિકારીઓ જેલમાં જતા કોર્પોરેશનના કર્મચારીઓ- અધિકારીઓના મનોબળ ઉપર વિપરીત અસર, બિલ્ડરોની માઠી દશા

જૂનો સ્ટાફ બદલી નખાયો, નવા સ્ટાફમાં અનુભવ અને કોન્ફિડન્સનો અભાવ, એકસાથે અનેક કામગીરીનું પણ ભારણ

પ્રજાના પ્રતિનિધિઓ સાઇડલાઇન, વાજબી ભલામણો કરવામાં પણ ગાંધીનગરનો ડર, બિલ્ડરોની રજૂઆતોનું પરિણામ શૂન્ય

રાજકોટમાં સર્જાયેલ ગેમઝોન અગ્નિકાંડ બાદ શહેરના રિયલએસ્ટેટ સેક્ટરમાં સુકા પાછળ લીલુ બળે તે કહેવત સાર્થક થઈ રહી છે અને કોર્પોરેશનની ટી.પી. શાખા તથા ફાયર વિભાગના પોણો ડઝન અધિકારીઓ સસ્પેન્ડ થઈ જતાં અને કેટલાક અધિકારીઓએ નોકરી છોડી દેતા શહેરના બાંધકામ ઉદ્યોગ ઉપર તેની વિપરીત અસરો થઈ રહી છે અને અનેક નવા પ્રોજેક્ટ તથા નાના મકાનોના પ્લાન પાસ કરાવવા, બી.યુ. પરમિશન મેળવવા તેમજ કમ્પ્લીશન મેળવવા સહિતની મહત્વની કામગીરી ઠપ જેવી થઈ ગઈ છે.


મહાનગરપાલિકામાં હાલ કર્મચારીઓ-ઈજનેરો-અધિકારીઓમાં ‘ભય’નું વાતાવરણ જોવા મળે છે. કોઈ અધિકારી કે કર્મચારી રૂટીન કામ કરવાનું પણ જોખમ લેવા તૈયાર નથી. જેની સીધી અસર બાંધકામ વ્યવસાય ઉપર પડી છે.


કોર્પોરેશનની ટી.પી. શાખા, ફાયર શાખા, સહિતના મહત્વના વિભાગોમાં ફરજ બજાવવા કોઈ કર્મચારી કે અધિકારી તૈયાર નથી. સ્ટાફનું મનોબળ તુટી ગયું છે ત્યારે મ્યુનિ. કમિશનર ખુદ પહેલ કરી વાતાવરણ સુધારે અને રૂટીન વહીવટ પાટે ચડાવે તે જરૂરી છે.


ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ થયેલ સીટની તપાસમાં મહાપાલિકાના અધિકારી-કર્મચારીઓની જે પ્રકારે ધરપકડ થઈ અને જેલ હવાલે કરવામાં આવ્યાએ પછી મહાપાલિકામાં કર્મચારીઓ-અધિકારીઓમાં સન્નાટો છવાઈ ગયો છે. આ તપાસની અસરમાંથી આજે પણ મહાપાલિકાના કર્મચારીઓ બહાર આવ્યા નથી. બાંધકામ વ્યવસાય સાથે સિધી રીતે જોડાયેલા ફાયર અને ટીપી વિભાગની સ્થિતી એવી છે કે અહીં અધિકારીઓ દબાણમાં કામ કરવા તૈયાર નથી જેની અસર સીધી બાંધકામ વ્યવસાય પર પડી છે.


અગ્નિકાંડ બાદ તપાસ સમિતીની રચનાથી અધિકારીઓની બદલીઓ સહીતના સરકારના નિર્ણય જે તે સમયે આવશ્યક અને જરૂૂરી હતા પરંતુ એના પછી સર્જાયલ ઘટનાક્રમ પણ ખુબ કમનશીબ રહ્યો છે. ટીપીઓ સાગઠિયા સહીત અનેક એટીપીની ધરપકડથી કર્મચારીઓ સ્તબ્ધ થયા, ચિફ ફાયર ઓફિસર ખેર, અધિકારી ઠેબાની ધરપકડ બાદ આવેલ અધિકારી મારૂૂ એસીબીમાં લાંચ લેતા ઝડપાઈ જતા આ પદ પર આજે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. રાજકોટના વર્ગ-3ના અધિકારી અમિત દવેને ચાર્જ સોંપાયો પરંતુ આખરે તેમણે તો નોકરીમાંથી રાજીનામું આપી દેતા મહાપાલિકાનું તંત્ર સ્તબ્ધ થઈ ગયુ હતું.

આજે રાજકોટ મહાપાલિકાના કર્મચારીઓનું મનોબળ સાવ તળિયે પહોંચ્યું છે એમની પરિસ્થિતી અંગે બોલવા કોઈ અધિકારી કે પદાધિકારી તૈયાર નથી. રાજકોટ મહાપાલિકાના કર્મચારી-અધિકારીઓના નૈતિક બળ અને મનોબળની વરવી સ્થિતીથી જાણકાર કોઈપણ રાજકિય નેતાઓમાં એટલો દમ નથી કે સાચી વાતને સ્વીકારે અને ઉંચો અવાજ કરી ગાંધીનગર સુધી આ વાત પહોંચાડે.


રાજકોટમાં ચીફ ફાયર ઓફીસરની ખૂરશી પર બેસવા કોઈ તૈયાર નથી. ટાઉન પ્લાનીંગ વિભાગમાં પ્લાન મુકતા પહેલા પ્રિ-ફાયર એનઓસી લેવાનું ફરજીયાત હોય છે. જે હાલ બંધ થતાં નવા પ્લાન ઈનવર્ડ તતાં બંધ થયા છે. પ્રથમ દ્રષ્ટિએ આ સામાન્ય વાત લાગે પણ જેઓએ મૂડીરોકાણ કરી પ્લોટ પર બાંધકામનું ગણિત કર્યું હોય એ તમામ આંકડાઓ ફરી જતાં રાજકોટના અનેક નાના-મોટા બિલ્ડરો હાલ કફોડી સ્થિતીમાં આવી ગયા છે.
જો આ સ્થિતીમાં ફેરફાર થશે નહીં તો આવનારા સમયમાં કેટલી વધુ ગંભીર સ્થિતી બનશે એની કલ્પના પણ થરથરાવી મૂકે એવી છે.


જે બાંધકામો પરિપૂર્ણ થયા હોય અને ઇઞ પરમિશન બાદ બેંક લોનની આર્થિક ગણતરીઓ જેમાં હોય એમં પણ ફાયર વિભાગનું ફાઈનલ એનઓસી લેવાનું હોેય તે પણ બંધ થઈ જતાં આવા બિલ્ડરોની આર્થિક ભીંસમાં ફસાયા છે.


સવાલ ફકત એકાદ અધિકારીઓની કામગીરી પૂરતો જ નથી. રાજકોટ મહાપાલિકામાં ટી.પી. વિભાગમાં સંપૂર્ણ નવો સ્ટાફ, બિનઅનુભવી સ્ટાફ પર અનેક પ્રકારની માહિતીઓ આપવાના, નોટીસો આપવાના, બાંધકામો દૂર કરવાના વગેરે દબાણો એક સાથે આપી દેવાતા હાલ પ્લાન મંજૂરીની પ્રક્રિયામાં પણ વિલંબ થાય. આ કર્મચારીઓના મનોબળની સ્થિતી અંગે ધ્યાન આપનારૂૂ પણ કોઈ નથી એ સૌથી મોટી કમનશીબી છે.


રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા સરકારમાં અનેક રજૂઆત થઈ પરંતુ એમના પ્રશ્ર્નો-સમસ્યાનું કોઈ નિરાકરણ હજૂ આવ્યું નથી. બિલ્ડીંગ વ્યવસાય સંલગ્ન મહત્ત્વની પ્રક્રિયાઓ ખોરંભે ચડતા અનેક મિલ્કતોના દસ્તાવેજો અટકી પડયા છે. બાંધકામ ઉદ્યોગમાં કરોડો-અબજો રૂૂપિયા ફસાઈ ચૂકયા છે. રાજકોટના બિલ્ડરોની એક જ અપીલ છે કે, અમારો વાંક શું? ગુન્હો શું? રાજકોટના બિલ્ડર દ્વારા બંધાયેલ એકપણ બિલ્ડીંગમાં બિલ્ડરના વાંકે કયારેય અકસ્માત થયો છે ? આવો પ્રશ્ર્ન કોઈ તો પૂછો ગાંધીનગરના માંધાતાઓને એવા આર્તનાદ સાથે ટુંક સમયમાં જ જેમ મહાપાલિકામાંથી કર્મચારી-અધિકારીઓ રાજીનામા આપે છે એમ કેટકેટલાય બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલ વ્યવસાયિકો રાજકોટથી હિજરત કરી જાય તો નવાઈ નહીં.

ગાંધીનગરમાં રાજકોટનો રાજકીય અવાજ દબાયો, હવે મહાજનો એકત્ર થાય તે જરૂરી

છેલ્લા બે-ત્રણ વર્ષથી ગુજરાતમાં બદલાયેલા રાજ્કીય સમિકરણોના કારણે ગાંધીનગરમાં રાજકોટનું રાજકીય મહત્વ ઘટી ગયું છે. તેમાંય ગેમ ઝોન અગ્નિકાંડ અને સસ્પેન્ડ ટીપીઓ સાગઠીયાના કૌંભાડોના કારણે સ્થિતિ વધુ બગડી છે અને ગાંધીનગરમાં બેઠેલા સતાધીશો પણ રાજકોટના તમામ નેતાઓ-પદાધિકારીઓને ચોરની નજરે જોવા લાગ્યા છે. જેના કારણે રાજકોટનો રાજકીય અવાજ સંપૂર્ણ પણે દબાઇ ગયો છે. ભાજપનું જે જૂથ પાવરમાં છે તેનું કાંઇ ગાંધીનગરમાં ઉપજતુ નથી અને હાંસિયામાં ધકેલાઇ ગયેલું વિજયભાઇ જૂથ નિરાંતે તમાસો નિહાળી રહ્યુ છે. જેના કારણે રાજકોટની સ્થિતિ દિવસે-દિવસે બગડી રહી છે. અધિકારીઓ પણ ઘરની ધોરાજી ચલાવી રહ્યા છે અને ગાંધીનગરથી સુચના હોવાનું જણાવી કામો ટલ્લે ચડાવી રહ્યા છે. તમામ બિલ્ડરોને ચોર સમજીને કે, ચોરની નજરે જોવાથી સમસ્યાનો ઉકેલ આવે તેમ નથી. અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપર પણ ભરોસો મુકવો પડે તેમ છે. સરવાળે રાજકોટના વિકાસ અને હજારો લોકોને રોજગારી આપતા વ્યવસાયનો મામલો છે. ત્યારે આ બાબતે જરૂર પડે તો મહાજનોએ એકઠા થઇ લડત ચલાવવી પડે તો તે પણ કરવું ઘટે.
રાજકિય વર્તુળોમાંથી મળતી માહિતી પ્રમાણે હાલ બધા જ રાજકિય આગેવાનો અને પદાધિકારીઓ પણ મુંઝાયેલા છે. શું કરવું ? શું કહેવું ? શું યોગ્ય – શું અયોગ્ય ? વગેરે પ્રશ્ર્નોમાં બધા જ અટવાયેલા છે. આવી વિકટ પરિસ્થિતીનો ભોગ અત્યારે તો સૌથી વધુ રાજકોટના બિલ્ડર્સ-ડેવલપર બન્યા છે. આ વ્યવસાય સામાન્ય નથી. શહેરના અર્થતંત્ર પર પણ ઘણી અસર પહોંચાડી શકે છે. રોકાણકારો, કોન્ટ્રાકટર, મજૂરો સહીત અનેક વ્યવસાયો બાંધકમ ઉદ્યોગ પર નિર્ભર હોય છે. જેઓએ રાતાપાણીએ રોવાનો વારો આવે એવી ભારોભાર શકયતાઓ છે. ગાંધીનગરના સત્તાધિશોએ હકિકતોની જાત તપાસ કરી રાજકોટના બાંધકામ જગતને તંત્ર સર્જિત આર્થિક મંદીની શકયતાઓમાંથી ઉગારી લેવું ઘટે. અલબત્ત જયાં સુધી રાજકોટ મહાપાલિકાના તંત્રની સ્થિતી આવીને આવી રહેશે એ શકય દેખાતું નથી.

ગુજરાત

કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત

Published

on

By

શહેરના રેલનગરમાં આવાસ ટાઉનશીપમાં રહેતા યુવાને કોઈના દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં તેવી સ્યુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.


જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલી ભગીની ટાઉનશીપમાં રહેતા અક્ષય ભીમજીભાઈ સરવૈયા (ઉ.વ.24) નામના યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પ્રનગર પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોિસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસને મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, મારા મોત માટે હું જ જવાબદાર છું તેમ લખેલું હતું.


પ્રાથમિક તપાસમાં મૃતક અક્ષય એક બહેનનો એકનો એક મોટો ભાઈ હતો તે અગાઉ સીટીબસમાં નોકરી કરતો હતો તેના પિતા રીક્ષાચાલક છે. યુવાને આ પગલું શા માટે ભરી લીધું? તે અંગે પરિવારજતો પણ અજાણ હોયપોલીસે આપઘાતનું કારણ જાણ તપાસ હાથ ધરી છે. જ્યારે એકના એકપુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Continue Reading

ગુજરાત

વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું

Published

on

By

ત્રણ કરોડની 3000 ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત કરાવાઇ: લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ તોળાતી કાર્યવાહી

કાલાવડ રોડ પર વાગુદડ ગામમાં મહંતયોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશ ધામેલીયા દ્વારા સરકારી ખરાબાની 3000 ચોરસ મીટર જગ્યા ઉપર આશ્રમ બનાવી અને દબાણ કરી કબજો કરવામાં આવ્યો હતો. આ આશ્રમમાંથી તાજેતરમાં જ ગાંજાના છોડવા પણ ઝડપાયા હતા. સરકારી જમીન પર કબજો જમાવતા તંત્ર દ્વારા નોટીસ ફટકારવાામં આવી હતી. નોટીસનો જવાબ નહીં આપતા રાજકોટ કલેકટરના માર્ગદર્શન અને સુચનાથી આજે ત્રણ કરોડની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલ આશ્રમના દબાણ ઉપર બુલડોઝર ફેરવી અને ખુલ્લી કરાવાઇ હતી.


રાજકોટના ભાગોળે આવેલ વાગુદડ ગામે વિવાદિત યોગી ધર્મનાથ સાધુના આશ્રમ આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. રાજકોટ જિલ્લા કલેકટર ની સૂચના મુજબ લોધિકા મામલતદાર તેમજ ફાયરની અને પોલીસને બંદોબસ્ત વચ્ચે યોગી ધર્મનાથ સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું હતું. વાગુદાળ -વાજડીવડનો સર્વે નંબર 32 પર સરકારી જમીન પર આશ્રમ બનાવી લેવામાં આવ્યો હતો જે આજે તંત્ર દ્વારા 3000 ચો. મી જેટલી જમીન ખુલી કરવામાં આવી હતી આ જમીનની બજારની અંદાજિત કિંમત 3 કરોડ રૂૂપિયા જેટલી આંકવામાં આવી હતી અને આગામી દિવસોમાં ફરી કોઈ દબાણ ન કરે તે માટે જમીનને ફરતે આગામી દિવસોમાં બાઉન્ડ્રી દિવાલ બાંધવામાં આવશે


પરમહંતયોગી ધરમ નાથ ઉર્ફે જીજ્ઞેશ ધામેલીયા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ અનુસંધાને આગામી દિવસોમાં કલેક્ટર તંત્ર દ્વારા સાધુ સામે લેનગ્રેબિંગની ફરિયાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે. આગામી દિવસોમાં મામલતદાર દ્વારા લેનગ્રેબિંગ કમિટીને આ અંગે ભલામણ કર્યા બાદ સરકાર તરફથી ફરિયાદી બને અને મહંત સામે ફરિયાદ નોંધાય તેવી સુત્રોમાં ચર્ચા થઇ રહી છે. કલેકટર તંત્ર જિલ્લામાં રહેલા બે હજારથી વધુ ધાર્મિક દબાણ પર નોટીસો આપવામાં આવી છે. અને ટૂંક સમયમાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે

Continue Reading

ગુજરાત

રાજકોટ શહેર-જિલ્લાના 22 નાયબ મામલતદારોની બદલી

Published

on

By

બે વર્ષથી એક જ જગ્યાએ રહેલા નાયબ મામલતદારો બદલ્યા

દિવાળીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકર પ્રભવ જોશી દ્વારા દિવાળી પહેલા નાયબ મામલતારોને બદલી કરવામાં આવી છે. એક સાથે રાજકોટ શહેર અને ગ્રામ્યના 22 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. એક જ જગ્યાએ બે વર્ષથી પણ વધુ સમય રહેલા નાયબ મામલતારોની બદલી કરવામાં આવી છે.


જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા ગઈકાલે 22 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી હતી. મુખ્યત્વે ઘણા સમયથી ખાલી જગ્યાઓ પડેલી જગ્યા ઉપર બદલી કરવામાં આવી છે તેમજ અન્ય તે મહેસુલ પુરવઠા દબાણ સહિતની જગ્યાઓ બે વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા નાયબ મામલેદારોની બદલી જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે ત્યારે દિવાળી પહેલા બદલી કરવામાં આવતા જ નાયબ મામલતારોને દિવાળી પણ બગડી છે.


આગામી દિવસોમાં નાયબ મામલતદારોના પ્રમોશન પણ આવી શકે છે અને રાજકોટ જિલ્લાના છ જેટલા નાયબ મામલતદારને મામલતદારના પ્રમોશન તેવી શક્યતાઓ છે. તે પહેલા કલેકટર દ્વારા નાયબ મામલતદારોની બદલીનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો છે.

કલેકટરો સાથે રેવન્યુ સચિવની રેવ્યૂ બેઠક
રાજકોટ સહિત રાજ્યભરના કલેકટરો સાથે રેવન્યુ સચિવ દ્વારા આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેવન્યુ અને દબાણો અંગે માહિતી મેળવવામાં આવી હતી તેમજ વિવિધ કલેકટરો અને કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયમાં સરકારી જમીનો ખુલ્લી કરવા અંગેની પણ માહિતીઓ કલેકટર પાસેથી રેવન્યુ સચિવએ મેળવી હતી.

Continue Reading
રાષ્ટ્રીય11 hours ago

ફરી રેલ દુર્ઘના..આસામમાં લોકમાન્ય તિલક એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર

રાષ્ટ્રીય12 hours ago

ડેન્ગ્યુના દર્દીએ ભૂલથી પણ ન ખાવી આ વસ્તુઓ, વધી જશે તકલીફ અને રિકવરીમાં થશે સમસ્યા

રાષ્ટ્રીય12 hours ago

‘UPમાં એન્કાઉન્ટર નહીં પરંતુ હત્યા થઇ રહી છે…’ બહરાઇચ હિંસા મામલે અખિલેશ યાદવે યોગી સરકાર પર કર્યા આકરા પ્રહારો

Sports12 hours ago

શિખર ધવનનું સુખ અને સફળતાનું સમીકરણ,જાણો કઈ રીતે મેળવી સફળતા

ગુજરાત12 hours ago

કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત

ગુજરાત12 hours ago

વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું

ગુજરાત13 hours ago

રાજકોટ શહેર-જિલ્લાના 22 નાયબ મામલતદારોની બદલી

રાષ્ટ્રીય13 hours ago

ચિટફંડ કેસમાં EDના સહારા ગ્રૂપની વિવિધ ઓફિસો પર દરોડા

રાષ્ટ્રીય13 hours ago

મથુરામાં વીજથાંભલા સાથે ગાડી ટકરાયા બાદ રિવર્સ લેવા જતા ચાર કચડાઇ મર્યા

રાષ્ટ્રીય13 hours ago

બિહારમાં લઠ્ઠાકાંડ 28ને ભરખી ગયો, 25થી વધુ સારવારમાં, 3ની ધરપકડ

ક્રાઇમ17 hours ago

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

રાષ્ટ્રીય14 hours ago

બહુચરાઈ હિંસાના આરોપીઓ આવ્યા સામે,મુખ્ય આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર,નેપાળ ભાગી રહ્યા હતા

આંતરરાષ્ટ્રીય2 days ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

રાષ્ટ્રીય1 day ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

ગુજરાત2 days ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

ગુજરાત2 days ago

શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં

ગુજરાત2 days ago

શાકભાજીના કચરામાંથી ખાતર બનાવતા પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર દેસાઇ

ગુજરાત2 days ago

શહેરમાં લટકતા જોખમી 1270 બોર્ડ-બેનરો ઉતારતી મનપા

ગુજરાત2 days ago

ગોંડલ તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

ગુજરાત2 days ago

ફાયર વિભાગ માટે 3.54 કરોડના 4 વાહનોનું લોકાર્પણ

Trending