સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને રવિવારે વડાપ્રધાન લીલીઝંડી બતાવી કરશે ફલેગઓફ

મુસાફરોના પ્રવાસ સમયમાં નોંધપાત્ર થશે ઘટાડો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શનાર્થીઓ માટે આનંદના સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.25 મે ના ગુજરાત પ્રવાસ દરમ્યાન અમદાવાદથી…

મુસાફરોના પ્રવાસ સમયમાં નોંધપાત્ર થશે ઘટાડો

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શનાર્થીઓ માટે આનંદના સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.25 મે ના ગુજરાત પ્રવાસ દરમ્યાન અમદાવાદથી સોમનાથ વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી શકે છે.આ નવી વંદે ભારત ટ્રેન શરૂૂ થવાથી મુસાફરોના પ્રવાસ સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. વેસ્ટર્ન રેલવેના મેમ્બર અનિષભાઇ રાચ્છે આ અંગેની શક્યતા વ્યક્ત કરી છે. વેરાવળ રેલવે સ્ટેશન પર આ નવી સેવા માટેની ઔપચારિક વ્યવસ્થાઓ શરૂૂ કરી દેવામાં આવી છે. આ નવી સેવાથી સોમનાથ મંદિરના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને વધુ સારી અને ઝડપી યાત્રાનો લાભમળશે. વંદે ભારત એક્સપ્રેસ ભારતની સૌથી આધુનિક અને ઝડપી ટ્રેન છે, જે મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત પ્રવાસની સુવિધા પૂરી પાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *