પ્રભાસ પાટણ સિંધી સમાજ દ્વારા અમદાવાદમાં છાત્રની હત્યા બદલ સખત કાર્યવાહી કરવા માંગ

અમદાવાદ શહેર ખાતે મણિનગર વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં સિન્ધી સમાજના કિશોર નયન સંતાણીની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવેલ છે જે બાબતે સમગ્ર સિંધી સમાજ, પ્રભાસ…

અમદાવાદ શહેર ખાતે મણિનગર વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં સિન્ધી સમાજના કિશોર નયન સંતાણીની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવેલ છે જે બાબતે સમગ્ર સિંધી સમાજ, પ્રભાસ પાટણ(સોમનાથ) આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે.

અતિશય પીડાદાયક એવા આ બનાવની નિષ્પક્ષ તપાસ થાય તેમજ આ જઘન્ય કૃત્ય કરનારા તત્વોને સખતમાં સખત સજા મળે તેમજ આ ઘટના દરમિયાન શાળા દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી અને બેવડા વલણોનો અમે સખત વિરોધ નોંધાવીએ છીએ.

ઉપરોક્ત ઘટના તેમજ પિડીત પરિવારની વેદના બની અમો આજ રોજ સિંધી સમાજ પ્રભાસ – પાટણ(સોમનાથ) આ આવેદનપત્ર કરી રહ્યા છીએ. આ ઘટનામાં જે કોઇ પણ ગુનેગાર હોય અથવા તપાસમાં ગુનેગાર સાબિત થાય તેવા તમામ લોકો સામે કડક પગલા લેવા માટે અમારી માંગણી સાથે આ સમાજના મોટીસંખ્યામાં લોકો દ્વારા કલેકટર નેઆવેદનપત્ર પાઠવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *