Connect with us

રાષ્ટ્રીય

મદરેસાઓને ફંડ રોકવા અંગે રાજકારણ અયોગ્ય

Published

on

નેશનલ કમિશન ફોર ચાઈલ્ડ પ્રોટેક્શન (એનસીપીસીઆર)એ દેશનાં તમામ રાજ્યોને પત્ર લખીને મદરેસાઓને આપવામાં આવતા ફંડને રોકવા કહેતાં વિવાદ ઉભો થઈ ગયો છે. રાષ્ટ્રીય બાળ પંચ બંધારણીય સત્તામંડળ નથી તેથી કોઈ પણ રાજ્ય સરકારને આદેશ ના આપી શકે પણ આ વાત તેણે સૂચનના સ્વરૂૂપમાં કરી છે.
રાષ્ટ્રીય બાળ પંચનું કહેવું છે કે, મદરેસાઓ આ રાઈટ-ટુ-એજ્યુકેશન (આરટીઆઈ)ના નિયમોનું પાલન કરતા નથી તેથી તેમને ફંડ ના અપાય. બાળ પંચે નગાર્ડિયન્સ ઑફ ફેઇથ ઓર ઓપોનન્ટ્સ ઑફ રાઈટ્સ:

કોન્સ્ટિટ્યુશનલ રાઈટ્સ ઑફ ચિલ્ડ્રન વર્સસ મદરેસાથ નામનો રિપોર્ટ બનાવ્યો છે કે જેમાં મદરેસાઓ શું કામ કરે છે, કઈ રીતે શિક્ષણ આપે છે, ક્યા ક્યા વિષયો ભણાવાય તેની વિગતો આવરી લેવાઈ છે. આ વિગતો પ્રમાણે, મદરેસાઓમાં સંપૂર્ણ ધ્યાન ધાર્મિક શિક્ષણ પર અપાય છે તેથી બાળકોને અન્ય વિષયોનું જરૂૂરી શિક્ષણ મળતું નથી. આ કારણે મદરેસાઓમાં ભણનારાં બાળકો અન્ય બાળકોથી પાછળ રહે છે.


આ સ્થિતિ સુધારવા માટે બાળ પંચે રાજ્યોને લખેલા પત્રમાં ત્રણ ભલામણ કરી છે. પહેલી ભલામણ એ છે કે, રાજ્ય સરકારો દ્વારા મદરેસા અને મદરેસા બોર્ડને આપવામાં આવતું ફંડ બંધ કરવું જોઈએ. બીજી ભલામણ એ છે કે, બિન-મુસ્લિમ બાળકોને મદરેસાઓમાંથી દૂર કરવાં જોઈએ. બંધારણની કલમ 28 મુજબ કોઈપણ બાળકને માતા-પિતાની સંમતિ વિના ધાર્મિક શિક્ષણ ન આપી શકાય. ત્રીજી ભલામણ એ છે કે, ધાર્મિક અને ઔપચારિક શિક્ષણ એક સંસ્થામાં એકસાથે ના આપવું જોઈએ.


બાળ પંચની ભલામણ સામે રાજકીય પ્રતિક્રિયાઓ શરૂૂ થઈ ગઈ છે ને મોદી સરકારના માથે માછલાં ધોવાવાનું પણ શરૂૂ થઈ ગયું છે. સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવે આ હિલચાલને મદરેસાઓ બંધ કરી દેવાની દિશામાં પહેલું કદમ ગણાવ્યું છે. અખિલેશના કહેવા પ્રમાણે, ભાજપ સરકાર બંધારણમાં કરાયેલી તમામ જોગવાઓએ બદલી નાખવા માગે છે. ભાજપ નફરતનું રાજકારણ રમવા માગે છે, ભાજપ ભેદભાવનું રાજકારણ રમવા માગે છે, લોકોને ધર્મ અને જ્ઞાતિના નામે લડાવીને રાજકારણ રમવા માગે છે. મોટા ભાગના મદરેસાઓમાં ક્યા પ્રકારનું શિક્ષણ અપાય છે એ આખી દુનિયા જાણે છે.

ભાજપ અને હિંદુવાદી સંગઠનો તો વરસોથી મદરેસાઓને આતંકવાદનાં ઉછેર કેન્દ્રો ગણાવે છે. મદરેસાઓ બંધ કરાવવા માટે બીજાં બે કારણ પણ છે. પહેલું કારણ એ કે, મદરેસા દેશના બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. જે દેશ સેક્યુલારિઝમને વરેલો હોય એ દેશમાં સ્કૂલમાં ધર્મનું શિક્ષણ અપાય ને તેના માટે સરકાર ફંડ આપે એ જ સેક્યુલારિઝમની મોટી મજાક કહેવાય. કમનસીબે આપણા બંધારણના ઘડવૈયા લઘુમતીઓનાં વારસાનું રક્ષણ કરવાના નામે મદરેસાઓનું તૂત ઘૂસાડતા ગયા તેમાં વરસોથી આ મજાક ચાલી રહી છે. બીજું કારણ એ છે કે, મદરેસાઓમાં આધુનિક શિક્ષણ અપાતું નથી તેથી મુસ્લિમોનાં બાળકો આધુનિક શિક્ષણથી વંચિત રહી જાય છે.

મુસ્લિમોનાં બાળકો સાથે થઈ રહેલો આ ઘોર અન્યાય છે અને બંધારણીય જોગવાઈ હેઠળ જ આ ઘોર અન્યાય થયો. જે રીતે ટ્રિપલ તલાક સહિતની બકવાસ પ્રથાઓ મુસ્લિમ પર્સનલ લો હેઠળ પોષાઈ એવું જ આ કિસ્સામાં પણ થયું છે એવું મદરેસાઓમાં પણ થયું છે. મદરેસાઓને અપાતું ફંડ રોકીને એ દિશામાં પહેલું પગલું ભરાયું હોય તો એ પગલાને આવકારવું જોઈએ.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાષ્ટ્રીય

નાયબ સિંહ સૈની આજે બીજી વખત લેશે CM પદના શપથ, આ 12 ધારાસભ્યો બની શકે છે મંત્રી

Published

on

By

આજે નાયબ સિંહ સૈની બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, મનોહર લાલ ખટ્ટર સહિત બીજેપીના ઘણા નેતાઓ હાજર રહેશે. આ માટે પંચકુલામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સૈનીની સાથે 12થી 13 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લઈ શકે છે. નાયબ કેબિનેટમાં સામેલ થવા માટે મંત્રીઓને ફોન આવવા લાગ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રુતિ ચૌધરીનું મંત્રી બનવું નિશ્ચિત છે. ગૌરવ ગૌતમ પણ ડેપ્યુટી કેબિનેટમાં મંત્રી હશે. મહિપાલ ધાંડા પણ મંત્રી બની શકે છે. આ સિવાય અનિલ વિજ અને કૃષ્ણલાલ પંવારને પણ શપથ માટે બોલાવવામાં આવ્યા છે. વિપુલ ગોયલ, રાવ નરબીર, આરતી રાવ, કૃષ્ણા બેદી અને રણબીર ગંગવા પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. ઘણા રાજ્યોના સીએમ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ સૈનીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

સૈની બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે
નાયબ સિંહ સૈની બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. અગાઉ, 12 માર્ચ, 2024 ના રોજ, તેઓ પ્રથમ વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. હરિયાણામાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી છે. છેલ્લા 10 વર્ષથી સત્તામાં રહેલી ભાજપે 48 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી છે.
હરિયાણામાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. સીએમ બનતા પહેલા નાયબ સિંહ સૈની હરિયાણા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ હતા. તેઓ 2019માં સાંસદ તરીકે ચૂંટાયા હતા. સૈની અંબાલાના નારાયણગઢથી આવે છે.

જો તેમની રાજકીય સફરની વાત કરીએ તો તેઓ ભાજપના પ્રદેશ મહામંત્રી, જિલ્લા મહામંત્રી અને જિલ્લા પ્રમુખ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. 2014માં સૈની નારાયણગઢથી ધારાસભ્ય બન્યા અને પછી 2016માં હરિયાણા સરકારમાં રાજ્યમંત્રી બન્યા.

હરિયાણાને અગ્રણી રાજ્ય બનાવવું પડશે – સૈની
નાયબ સિંહ સૈનીને ગુરુવારે બીજેપી વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ પછી તેમણે કહ્યું કે હું ભાગ્યશાળી છું કે મને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યો છે અને મને સેવક બનીને મારા 2.80 કરોડ પરિવારના સભ્યોની સેવા કરવાની તક મળી રહી છે. આજે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણી પાસે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન અને નેતૃત્વ છે. ફરી એક વાર, મિશન ડબલ એન્જિન સરકાર હેઠળ હરિયાણાને એક નૉન-સ્ટોપ અગ્રણી રાજ્ય તરીકે સ્થાપિત કરવાનું છે.

Continue Reading

રાષ્ટ્રીય

યોગી-રાજનાથ સહિત આ VIPની સુરક્ષામાં મોટો ફેરફાર, NSG કમાન્ડોને હટાવીને CRPF તહેનાત કરવામાં આવશે

Published

on

By

કેન્દ્ર સરકારે NSG કમાન્ડોને VIP સુરક્ષા ડ્યુટીમાંથી સંપૂર્ણ રીતે હટાવવા અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત આ 9 VIPની સુરક્ષાની જવાબદારી આવતા મહિના સુધીમાં CRPFને સોંપવાનો આદેશ આપ્યો છે.

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે CRPFને VIPની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે જેમની સુરક્ષા હેઠળ NSG તૈનાત છે. ગૃહ મંત્રાલયે તાજેતરમાં CRPF VIP સુરક્ષા વિંગમાં વિશેષ પ્રશિક્ષિત કર્મચારીઓની નવી બટાલિયન ઉમેરવાની મંજૂરી આપી છે, જેમને તાજેતરમાં સંસદની સુરક્ષા ફરજોમાંથી દૂર કરવામાં આવ્યા છે.

CRPF આ 9 VIPની સુરક્ષા કરશે

1- યુપીના સીએમ યોગી આદિત્યનાથ
2-માયાવતી
3-રાજનાથ સિંહ
4-લાલ કૃષ્ણ અડવાણી,
5-સર્બાનંદ સોનોવાલ,
6-રમણ સિંહ,
7-ગુલામ નબી આઝાદ,
8-એન ચંદ્રબાબુ નાયડુ
9.ફારૂક અબ્દુલ્લા

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સીઆરપીએફ જેમાં છ વીઆઈપી સુરક્ષા બટાલિયન છે તેને આ હેતુ માટે બીજી સાતમી બટાલિયનને સામેલ કરવાનું કહેવામાં આવ્યું છે. નવી બટાલિયન તે હશે જે થોડા મહિના પહેલા સુધી સંસદની સુરક્ષામાં લાગેલી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે ગયા વર્ષે સંસદમાં સુરક્ષામાં ખામી સામે આવ્યા બાદ સંસદની સુરક્ષા સીઆરપીએફ પાસેથી સીઆઈએસએફને સોંપવામાં આવી હતી.

Continue Reading

રાષ્ટ્રીય

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

Published

on

By

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ, જેગુઆર ચલાવવાનો શોખ, પ્લેનમાં મુસાફરી અને 5 સ્ટાર હોટેલમાં રૂમ તમે વિચારતા હશો કે અમે એક મોટા ઉદ્યોગપતિની વાત કરી રહ્યા છીએ.ના, અહીં અમે એક ચોરની વાત કરી રહ્યા છીએ, જેની પત્ની બિહારના સીતામઢીમાં એક નેતા અને જિલ્લા પંચાયતની સભ્ય છે. બીજી પત્ની ભોજપુરી ફિલ્મોની હિરોઈન છે અને મુંબઈમાં રહે છે. આ ચોરની ખાસિયત એ છે કે તે જે શહેરમાં ગુનો કરવા જાય છે ત્યાં તે પહેલા એક છોકરીને ઈમ્પ્રેસ કરે છે અને પછી તેની સાથે લગ્ન કરે છે.

બે વર્ષ પહેલા આ ચોરને ગાઝિયાબાદની કવિનગર કોતવાલી પોલીસે પકડી લીધો હતો. પોલીસે આ ચોરની જગુઆર કાર પણ કબજે કરી હતી. જોકે આ કાર તેની પત્નીના નામે રજીસ્ટર્ડ છે. બિહારના સીતામઢીના રહેવાસી આ ચોરની ઓળખ મોહમ્મદ ઈરફાન ઉર્ફે ઉજાલે તરીકે થઈ છે. આ ચોરને કેટલી પત્નીઓ છે તેનો ચોક્કસ આંકડો પોતે પણ નથી જાણતો. જોકે, પોલીસ પૂછપરછ દરમિયાન તેણે 10 પત્નીઓ અને 6 ગર્લફ્રેન્ડના નામ આપ્યા હતા.

જિલ્લા પંચાયત સભ્યની પત્ની છે
તેણે કહ્યું કે ઘણી એવી ગર્લફ્રેન્ડ હતી જેને તે ફરી મળી શક્યો નહીં. જ્યારે તેને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તે જે શહેરમાં દુષ્કર્મ કરવા જાય છે, ત્યાં તેની એક યુવતી સાથે મિત્રતા થાય છે. તેણે જણાવ્યું કે તેની પહેલી પત્ની ગામમાં રહે છે અને તે જિલ્લા પંચાયતની સભ્ય છે. જ્યારે બીજી ભોજપુરી ફિલ્મોની હિરોઈન છે. દુનિયાની નજરમાં મોહમ્મદ ઈરફાન ભલે ચોર હોય, પરંતુ તેના ગામના લોકો તેને ભગવાન માને છે.

ચોરીના પૈસાથી ગામમાં વિકાસ થયો હતો
હકીકતમાં, તે ગામની બહાર ચોરી કરે છે અને ચોરીના પૈસાનો મોટો ભાગ પોતાના ગામના વિકાસમાં ખર્ચ કરે છે. આ સમયે તેના ગામના તમામ રસ્તાઓ પાકા કરી દેવામાં આવ્યા છે અને ગામમાં વીજળીની લાઈનો નાખવામાં આવી છે અને તેનો સંપૂર્ણ ખર્ચ ઈરફાને ઉઠાવ્યો છે. આ જ કારણ છે કે ઈરફાનની પત્ની પહેલીવાર બિનહરીફ ચૂંટણી જીતી હતી, જ્યારે બીજી વખત તેણે જંગી માર્જિનથી ચૂંટણી જીતી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈરફાન હંમેશા મોટી ચોરીઓ કરતો હતો.

ઈરફાન મોટી ચોરીઓ કરતો હતો
તે કોઈ પણ ઘટના માટે અઠવાડિયામાં 10 દિવસ શહેરમાં રહેતો હતો અને આલીશાન મકાનોની રેકીંગ કરતો હતો. આ સમયગાળા દરમિયાન જ્યારે પણ તેને તક મળતી ત્યારે તે લાખો કરોડનો માલસામાન લઈને ફરાર થઈ જતો હતો. તે પોતાની જગુઆર કારમાં બિહારથી દિલ્હી જતો હતો, પરંતુ તે વધુ અંતર એરોપ્લેન દ્વારા જતો હતો. સામાન્ય રીતે, જ્યારે પણ તે કોઈ પણ શહેરમાં જતો ત્યારે તેણે 5 સ્ટાર હોટલમાં રહેવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. ચમકતા કપડા પહેરવાનો શોખીન આ ચોર જે પણ શહેરમાં જાય ત્યાં એક છોકરીને મિત્ર બનાવતો. જ્યાં સુધી તે એ શહેરમાં રહ્યો ત્યાં સુધી બંને સાથે જ રહેતા હતા. તે લોકોને પોતાની ઓળખ ઉદ્યોગપતિ આર્યન ખન્ના તરીકે જણાવતો હતો.

Continue Reading
રાષ્ટ્રીય6 mins ago

નાયબ સિંહ સૈની આજે બીજી વખત લેશે CM પદના શપથ, આ 12 ધારાસભ્યો બની શકે છે મંત્રી

આંતરરાષ્ટ્રીય14 mins ago

ખાલીસ્તાની આતંકી પન્નુની કબૂલાત,ભારત વિરુદ્ધ કેન્દ્રમાં માહિતી આપવાનું કર્યું કબુલ

રાષ્ટ્રીય16 hours ago

યોગી-રાજનાથ સહિત આ VIPની સુરક્ષામાં મોટો ફેરફાર, NSG કમાન્ડોને હટાવીને CRPF તહેનાત કરવામાં આવશે

રાષ્ટ્રીય16 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

રાષ્ટ્રીય16 hours ago

3 દિવસમાં 12 ફ્લાઈટને બોમ્બની ધમકી…ફેક ઈન્ફર્મેશન આપનારને મળશે આવી સજા

મનોરંજન17 hours ago

રકુલ પ્રીત સિંહને બેલ્ટ વિના 80 કિલો વજન ઉંચકવું પડ્યું ભારે, પીઠના ભાગે પહોંચી ગંભીર ઈજા

આંતરરાષ્ટ્રીય17 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

રાષ્ટ્રીય17 hours ago

સ્પેકટ્રમ વોર, જિયો- એરટેલનો મસ્ક-બેઝોસ સામે ખુલ્લો વિરોધ

ગુજરાત17 hours ago

દિવાળી પહેલાં ભેટ, મધ્યાહન ભોજનના કરારી સુપરવાઈઝરને 15ને બદલે 25 હજાર પગાર

રાષ્ટ્રીય17 hours ago

દિવાળી 31 ઓક્ટોબરે ઉજવાશે, ધાર્મિક સભામાં લેવાયો નિર્ણય

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય16 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય17 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત2 days ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

Trending