Connect with us

રાષ્ટ્રીય

મદરેસાઓને ફંડ રોકવા અંગે રાજકારણ અયોગ્ય

Published

on

નેશનલ કમિશન ફોર ચાઈલ્ડ પ્રોટેક્શન (એનસીપીસીઆર)એ દેશનાં તમામ રાજ્યોને પત્ર લખીને મદરેસાઓને આપવામાં આવતા ફંડને રોકવા કહેતાં વિવાદ ઉભો થઈ ગયો છે. રાષ્ટ્રીય બાળ પંચ બંધારણીય સત્તામંડળ નથી તેથી કોઈ પણ રાજ્ય સરકારને આદેશ ના આપી શકે પણ આ વાત તેણે સૂચનના સ્વરૂૂપમાં કરી છે.
રાષ્ટ્રીય બાળ પંચનું કહેવું છે કે, મદરેસાઓ આ રાઈટ-ટુ-એજ્યુકેશન (આરટીઆઈ)ના નિયમોનું પાલન કરતા નથી તેથી તેમને ફંડ ના અપાય. બાળ પંચે નગાર્ડિયન્સ ઑફ ફેઇથ ઓર ઓપોનન્ટ્સ ઑફ રાઈટ્સ:

કોન્સ્ટિટ્યુશનલ રાઈટ્સ ઑફ ચિલ્ડ્રન વર્સસ મદરેસાથ નામનો રિપોર્ટ બનાવ્યો છે કે જેમાં મદરેસાઓ શું કામ કરે છે, કઈ રીતે શિક્ષણ આપે છે, ક્યા ક્યા વિષયો ભણાવાય તેની વિગતો આવરી લેવાઈ છે. આ વિગતો પ્રમાણે, મદરેસાઓમાં સંપૂર્ણ ધ્યાન ધાર્મિક શિક્ષણ પર અપાય છે તેથી બાળકોને અન્ય વિષયોનું જરૂૂરી શિક્ષણ મળતું નથી. આ કારણે મદરેસાઓમાં ભણનારાં બાળકો અન્ય બાળકોથી પાછળ રહે છે.


આ સ્થિતિ સુધારવા માટે બાળ પંચે રાજ્યોને લખેલા પત્રમાં ત્રણ ભલામણ કરી છે. પહેલી ભલામણ એ છે કે, રાજ્ય સરકારો દ્વારા મદરેસા અને મદરેસા બોર્ડને આપવામાં આવતું ફંડ બંધ કરવું જોઈએ. બીજી ભલામણ એ છે કે, બિન-મુસ્લિમ બાળકોને મદરેસાઓમાંથી દૂર કરવાં જોઈએ. બંધારણની કલમ 28 મુજબ કોઈપણ બાળકને માતા-પિતાની સંમતિ વિના ધાર્મિક શિક્ષણ ન આપી શકાય. ત્રીજી ભલામણ એ છે કે, ધાર્મિક અને ઔપચારિક શિક્ષણ એક સંસ્થામાં એકસાથે ના આપવું જોઈએ.


બાળ પંચની ભલામણ સામે રાજકીય પ્રતિક્રિયાઓ શરૂૂ થઈ ગઈ છે ને મોદી સરકારના માથે માછલાં ધોવાવાનું પણ શરૂૂ થઈ ગયું છે. સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવે આ હિલચાલને મદરેસાઓ બંધ કરી દેવાની દિશામાં પહેલું કદમ ગણાવ્યું છે. અખિલેશના કહેવા પ્રમાણે, ભાજપ સરકાર બંધારણમાં કરાયેલી તમામ જોગવાઓએ બદલી નાખવા માગે છે. ભાજપ નફરતનું રાજકારણ રમવા માગે છે, ભાજપ ભેદભાવનું રાજકારણ રમવા માગે છે, લોકોને ધર્મ અને જ્ઞાતિના નામે લડાવીને રાજકારણ રમવા માગે છે. મોટા ભાગના મદરેસાઓમાં ક્યા પ્રકારનું શિક્ષણ અપાય છે એ આખી દુનિયા જાણે છે.

ભાજપ અને હિંદુવાદી સંગઠનો તો વરસોથી મદરેસાઓને આતંકવાદનાં ઉછેર કેન્દ્રો ગણાવે છે. મદરેસાઓ બંધ કરાવવા માટે બીજાં બે કારણ પણ છે. પહેલું કારણ એ કે, મદરેસા દેશના બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. જે દેશ સેક્યુલારિઝમને વરેલો હોય એ દેશમાં સ્કૂલમાં ધર્મનું શિક્ષણ અપાય ને તેના માટે સરકાર ફંડ આપે એ જ સેક્યુલારિઝમની મોટી મજાક કહેવાય. કમનસીબે આપણા બંધારણના ઘડવૈયા લઘુમતીઓનાં વારસાનું રક્ષણ કરવાના નામે મદરેસાઓનું તૂત ઘૂસાડતા ગયા તેમાં વરસોથી આ મજાક ચાલી રહી છે. બીજું કારણ એ છે કે, મદરેસાઓમાં આધુનિક શિક્ષણ અપાતું નથી તેથી મુસ્લિમોનાં બાળકો આધુનિક શિક્ષણથી વંચિત રહી જાય છે.

મુસ્લિમોનાં બાળકો સાથે થઈ રહેલો આ ઘોર અન્યાય છે અને બંધારણીય જોગવાઈ હેઠળ જ આ ઘોર અન્યાય થયો. જે રીતે ટ્રિપલ તલાક સહિતની બકવાસ પ્રથાઓ મુસ્લિમ પર્સનલ લો હેઠળ પોષાઈ એવું જ આ કિસ્સામાં પણ થયું છે એવું મદરેસાઓમાં પણ થયું છે. મદરેસાઓને અપાતું ફંડ રોકીને એ દિશામાં પહેલું પગલું ભરાયું હોય તો એ પગલાને આવકારવું જોઈએ.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાષ્ટ્રીય

કલમ 370 નાબુદી ભાજપ-અબ્દુલ્લા પરિવારનું ફિક્સિગં

Published

on

By


નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ બુધવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે અન્ય પાંચ મંત્રીઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે. દરમિયાન, અવામી ઇત્તેહાદ પાર્ટીના પ્રમુખ અને સાંસદ શેખ અબ્દુલ રશીદ ઉર્ફે એન્જિનિયર રશીદે બુધવારે આરોપ લગાવ્યો હતો કે ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મામલે વડાપ્રધાન મોદી સાથે સાંઠગાંઠ કરી છે.


રાશિદે દાવો કર્યો હતો કે પીએમ મોદીએ આ પગલું ભરતા પહેલા અબ્દુલ્લા પરિવારની સલાહ લીધી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે બદલામાં ભાજપે નેશનલ કોન્ફરન્સ (ગઈ)ને ઘાટીમાં ફરી સત્તામાં લાવવામાં મદદ કરી હતી.


ન્યૂઝ એજન્સી અગઈંથ સાથે વાત કરતા રાશિદે કહ્યું, ઓમર અબ્દુલ્લા રાજ્યનો દરજ્જો, કલમ 370 અને 35અ વિશે વાત કરે છે. ઓમર અબ્દુલ્લા 370થી ભાગી રહ્યા છે. જ્યારે પીએમ મોદીએ કલમ 370 હટાવી ત્યારે તેઓ 3 દિવસ પહેલા ફારુક અબ્દુલ્લાને મળ્યા હતા. મીટિંગ પછી ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે કંઈપણ હટાવવાનું નથી, પરંતુ તેને દૂર કરવામાં આવ્યું અને ફારુક અને ઓમર અબ્દુલ્લાને ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા.
વધુમાં તેમણે કહ્યું હતું કે, અબ્દુલ્લા પરિવાર સાથે મોદીએ ચર્ચા કરીને કલમ 370 હટાવી હતી. આ બધું મેચ ફિક્સિંગ જેવું હતું. તેમાં કોઈ શંકા નથી કે ભાજપે એનસીને સત્તામાં આવવામાં મદદ કરી છે.ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2019 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી હતી.


મહત્વનું છે કે, 2005માં શ્રીનગરમાં સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (એસઓજી) દ્વારા ઇજનેર રાશિદની આતંકવાદીઓને સમર્થન કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ મહિના અને 17 દિવસની અટકાયત કરવામાં આવી હતી. તેના પર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓનો આરોપ હતો અને તેને કારગો, હુમહામા અને રાજ બાગ જેલમાં રાખવામાં આવ્યા હતા.


જો કે, શ્રીનગરના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટે પાછળથી માનવતાના આધાર પર તેમની સામેના તમામ આરોપો રદ કર્યા હતા. ઓગસ્ટ 2019 માં, રશીદને ફરીથી ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (ઞઅઙઅ) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમની જેલવાસ દરમિયાન, તેમણે જેલમાંથી 2024ની સંસદીય ચૂંટણી માટે તેમનું નામાંકન ભર્યું અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાને હરાવીને 204,000 મતોના માર્જિનથી જીત્યા હતા.

Continue Reading

રાષ્ટ્રીય

હૈદરાબાદમાંથી 1 કરોડનું ઇનામ ધરાવતી મહિલા નક્સલવાદી ઝડપાઇ

Published

on

By


તેલંગાણા પોલીસે એક મોટી કાર્યવાહીને અંજામ આપીને હૈદરાબાદના મહેબૂબ નગરમાંથી નક્સલવાદી મહિલા કલ્પના ઉર્ફે સુજાતાની ધરપકડ કરી છે. તેના પર 1 કરોડ રૂૂપિયાનું ઈનામ હતું. આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોની પોલીસ તેને શોધી રહી હતી. સુજાતા નક્સલવાદી નેતા કોટેશ્વર રાવ ઉર્ફે કિશનજીની વિધવા છે. બીજાપુર, સુકમા અને દંતેવાડામાં 100થી વધુ ઘટનાઓને અંજામ આપવામાં સુજાતાનો હાથ હતો. 60 વર્ષની સુજાતાએ દક્ષિણ બસ્તર વિભાગીય સમિતિના પ્રભારી સહિત અનેક પદો પર કામ કર્યું છે.
પોલીસે જણાવ્યું કે જ્યારે તે પકડાઈ ત્યારે તે સારવાર માટે તેલંગાણા પહોંચી હતી. સુજાતા નક્સલવાદી નેતા કોટેશ્વર રાવ ઉર્ફે કિશનજીની વિધવા છે. તે કિશનજી સાથે બંગાળથી બસ્તર આવી હતી. કિશનજીને બંગાળનો હવાલો સોંપવામાં આવ્યા પછી તેઓ પણ થોડો સમય બંગાળમાં રહ્યા. 2011માં કિશનજીની હત્યા થયા બાદ તેઓ બસ્તર ગયા હતા.


મોટા હુમલા પાછળ સુજાતાનું મગજ હતું. તેણે કરાવેલા નક્સલવાદી હુમલાઓમાં 2007માં એરરાબરમાં 23 સૈનિકો શહીદ થયા હતા. એપ્રિલ 2010માં તાડમેટલામાં 76 સૈનિકો શહીદ થયા હતા જ્યારે 2010માં ગદીરસમાં 36 જવાનો શહીદ થયા હતા. 2013માં ખીરામમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા પર થયેલા હુમલામાં 31 જવાનો શહીદ થયા હતા. 2013માં ચટાગુફામાં 25 સૈનિકો શહીદ થયા હતા. 2017ના મીંપામાં ટેકુલગુડેમમાં 21 સૈનિકોના બલિદાનની ઘટના પાછળ પણ તેનો હાથ છે.

Continue Reading

રાષ્ટ્રીય

વાવ બેઠક ઉપર કોંગ્રેસ ઠાકોરને ટિકિટ નહીં આપે

Published

on

By

આ બાબત પહેલાથી જ નક્કી હોવાનો સાંસદ ગેનીબેનનો ખુલાસો

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી યોજાશે, ગઇકાલે કેન્દ્રીય ચૂંટણી પંચે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક માટે પણ શિડ્યૂલ જાહેર કરી દીધુ હતુ. આગામી 13મી નવેમ્બરે વાવ વિધાનસભા બેઠક માટે મતદાન યોજાશે. આ પેટા ચૂંટણીને લઇને હવે કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઇ રહી છે.


અહીં પહેલા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની વિધાનસભામાં જીત થઇ હતી, આ પછી બનાસકાંઠા લોકસભા જીતતા ગેનીબેન વાવ બેઠક પરથી રાજીનામુ આપી દીધુ હતુ. કોંગ્રેસના બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વાવ બેઠક અને કોંગ્રેસની રણનીતિ અંગે મોટો ખુલાસો કર્યો છે. સાંસદ ગેનીબેન ઠાકોરે આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કરતાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઠાકોર સમાજના ઉમેદવારને ટિકીટ નહીં આપે. આ બાબતે પહેલાથી જ વાટાઘાટો થઇ ચૂકી છે.


સાંસદ ગેનીબેન ઠાકોરે ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, કોંગ્રેસ ફરી એકવાર વાવ વિધાનસભામાં જંગી લીડથી જીતશે. કોંગ્રેસમાંથી વાવ માટે ટિકીટ માંગનારા ચાર લોક જ છે. પરંતુ રણનીતિ પ્રમાણે કોંગ્રેસ વાવ પેટાચૂંટણીમાં ઠાકોર ઉમેદવારે ટિકીટ નહીં આપે. ગેનીબેને કહ્યું કે, જ્યારે લોકસભાની ટિકીટ ઠાકોર સમાજને આપી ત્યારે જ નક્કી થઇ ગયુ હતુ કે, કોંગ્રેસ તમામ લોકોને સાથે રાખીને ચૂંટણી લડશે અને જીતશે. અહીં બનાસકાંઠામાં પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીતનો ઇતિહાસ રહેલો છે, શંકરસિંહ વાઘેલાથી લઇને થરાદની પેટાચૂંટણીમાં કોંગ્રેસે બાજી મારી છે.

વાવ બેઠક પર જાતિગત સમીકરણ ખૂબ મહત્વનું છે. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવની બેઠક ખાલી પડી હતી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરે યોજાશે. જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. વાવ બેઠકની ચૂંટણીની જાહેરાતને લઈ ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીએ નિવેદન આપ્યું હતું કે ભાજપ ચૂંટણી માટે હંમેશા તૈયાર જ હોય છે. વિજયના વિશ્વાસ સાથે મેદાનમાં ઉતરીશું. લોકસભામાં વાવ વિધાનસભાનું પરિણામ ભાજપ માટે પોઝિટિવ હતું.

Continue Reading
ગુજરાત29 seconds ago

હૈદરાબાદમાં મૃત્યુ પામેલા અગ્નિવીરને મહેતા કોલેજમાં શ્રદ્ધાંજલિ અપાઇ

ગુજરાત3 mins ago

જામજોધપુરના વસંતપુર ગામના વૃધ્ધનો ગળેફાંસો ખાઇ આપઘાત

ગુજરાત6 mins ago

જી.જી.હોસ્પિટલના સર્જરી વિભાગમાં તબીબોની અછતથી દર્દીઓ હેરાન

ગુજરાત7 mins ago

જીયાણા ગામે કૂવામાંથી નવજાત શિશુની લાશ મળી

ક્રાઇમ11 mins ago

રાજકોટના સોની વેપારી સાથે રૂા.2.56 કરોડની ઠગાઈ

ગુજરાત11 mins ago

માતાના મઢે દર્શને જતા પદયાત્રીનું અજાણ્યા ટેમ્પોની ઠોકરે મોત

ક્રાઇમ13 mins ago

દેવભૂમિ દ્વારકામાં ગૌવંશની હત્યાથી અરેરાટી

ગુજરાત14 mins ago

તળાજાના જુના સાંગાણા ગામના બે સિંહ મહેમાન બન્યા

ક્રાઇમ16 mins ago

હળવદમાં આસ્થા ટેક્નો પ્લાસ્ટ કંપનીમાં આધેડ સહિત 3 ઉપર 6 શખ્સોનો હુમલો

ગુજરાત18 mins ago

ખંભાળિયામાં કારમાં ગરબા વગાડતા જતા યુવાન પર હુમલો, મારી નાખવાની ધમકી

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય18 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય18 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત19 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Trending