Connect with us

ગુજરાત

દ્વારકામાં 70 વાહનચાલકો સામે કાર્યવાહી કરી 14 વાહનો ડિટેન કરતું પોલીસતંત્ર

Published

on

ટ્રાફિક નિયમન ભંગ બદલ તમામ સામે કરાઇ કાર્યવાહી

દેવભૂમિ દ્વારકામાં બેફામ બની ગયેલા વાહન ચાલકો તેમજ રેંકડી ધારકો સામે પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી છે. સુવિખ્યાત યાત્રાધામ કે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ યાત્રાળુ આવે છે, ત્યારે દ્વારકામાં ટ્રાફિક નિયમનને ઘોળીને પી જતા તેમજ મોટર વાહન અધિનિયમનો ઉલાળીયો કરનારા વાહન ચાલકો સામે પોલીસ તંત્ર દ્વારા મંગળવારે સધન કાર્યવાહી કરવામાં આવી હતી.


જેમાં આર.ટી.ઓ.ને સાથે રાખીને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સંયુક્ત ઓપરેશનમાં 70 વાહન ચાલકો સામે કાર્યવાહી કરાવી હતી. જે પૈકી 14 વાહનો ડીટેઈન કરાયા હતા. દ્વારકામાં પ્રથમ વખત આ પ્રકારની કડક કાર્યવાહીમાં જિલ્લા ટ્રાફિક વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. વી.એમ. સોલંકી, આર.ટી.ઓ. અધિક તલસાણીયા તેમજ તેમની ટીમ દ્વારા વાહનોમાં બ્લેક ફિલ્મ, એલ.ઈ.ડી. લાઇટો, ઘોંઘાટીયા સાયલેન્સર, લાયસન્સ તથા કાગળ વગર નીકળેલા વાહન ચાલકો વિગેરે નિયમોનું ઉલ્લંઘન કરતા આસામીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.આ જ રીતે આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આરટીઓ અને પોલીસની સંયુક્ત ચેકિંગ કાર્યવાહી કરવામાં આવશે.

ક્રાઇમ

લોરેન્સ બિશ્ર્નોઈના સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર ઉપર પ્રતિબંધ

Published

on

By

કેન્દ્રીય ગૃહમંત્રાલયે ટ્રાન્સફર-સ્થળાંતર ઉપર પ્રતિબંધ ઓગસ્ટ-2025 સુધી લંબાવી દીધો

કોઈ પણ રાજ્યની પોલીસને કસ્ટડી મળશે નહીં, પૂછપરછ સાબરમતી જેલમાં જ કરવી પડશે

અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈનું ના મુંબઈના એનસીપી અજીત પવાર જૂથના નેતા બાબા સીદીકી ઉપરાંત કેનેડાના ખાલિસ્તાન તરફી નેતા હરદિપસિંહ નિજ્જરની હત્યામાં ઉછળ્યું છે. પરંતુ ગુજરાત બહારની પોલીસ સાબરમતી જેલમાંથી તેનો કબજો લઈ શકતી નથી તેની પાછળ કાયદાકીય જોગવાઈ હોવાનુું જણાય છે.


ગોંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈના ટ્રાન્સફર-સ્થળાંતર ઉપર કેન્દ્રીય ગૃહમંત્રાલયે પ્રતિબંધ ફરમાવ્યો છે. એક વર્ષના પ્રતિબંધની મુદત ગત ઓગસ્ટ માસમાં પૂર્ણ થતાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફરી એકવર્ષ એટલે કે, ઓગસ્ટ-2025 સુધી આપ્રતિબંધ લંબાવી દીધો છે. જેથી કોઈપણ રાજ્યની પોલીસને લોરેન્સની કસ્ટડી મળી શકશે નહીં અને મંજુરી લઈને જ સાબરમતિ જેલમાં પુછપરછ કરી શકશે.


મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે. જેને લઈને મુંબઈ પોલીસ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી ઈચ્છે છે, પરંતુ વારંવાર મુંબઈ પોલીસની અરજી ફગાવી દેવામાં આવી રહી છે. ક્યા કારણે મુંબઈ પોલીસને લોરેન્સ બિશ્ર્નોઈની કસ્ટડી મળી નથી તે જાણવું રસપ્રદ છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. એપ્રિલ મહિનામાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ અને હવે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આવી સ્થતિમાં મુંબઈ પોલીસ પૂછપરછ માટે ગેંગસ્ટરની કસ્ટડી માંગી રહી છે.
એપ્રિલની ઘટના બાદ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, મુંબઈ પોલીસે સાબરમતી જેલમાંથી લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી માટે ઘણીવાર અપીલ કરી, પરંતુ ગૃહ મંત્રાલયના એક આદેશના કારણે તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઓગસ્ટ મહિનામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સ્થળાંતર પ્રતિબંધ (ટ્રાન્સફર પ્રતિબંધ)ને એક વર્ષ માટે લંબાવ્યો હતો, જેના કારણે તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ તેને રાખવામાં આવ્યો છે.
જો કોઈ રાજ્યની પોલીસ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવા માંગે છે તો તેને જેલ પરિસરની અંદર જ કરવી પડશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ આદેશના કારણે જ મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી બાબા સિદ્દીકીની હત્યા મામલે ગેંગસ્ટર સામે તપાસ ચાલી રહી છે.


ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 268 હેઠળ લાદવામાં આવેલો પ્રતિબંધક આદેશ આ વર્ષે ઓગસ્ટમાં સમાપ્ત થવાનો હતો, પરંતુ હવે તેને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023ની કલમ 303 હેઠળ લંબાવવામાં આવ્યો છે. સાબરમતી સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ ડીઆઈજી શ્વેતા શ્રીમાળીએ પુષ્ટિ કરી કે આ નવો આદેશ ઓગસ્ટ 2025 સુધી અમલમાં રહેશે.

ડ્રગ્સના કેસમાં સાબરમતી જેલમાં બંધ છે લોરેન્સ બિશ્ર્નોઈ
રાજસ્થાનનો ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈને ડ્રગ્સના કેસમાં ગુજરાત પોલીસે પકડ્યો હતો. કચ્છમાંથી પકડાયેલ ડ્રગ્સકાંડમાં લોરેન્સ બિશ્ર્નોઈને પકડવામાં આવ્યા બાદ તે એક વર્ષથી સાબરમતિ જેલમાં છે. લોરેન્સના જેલવાસ દરમિયાન જ સલમાનખાનના ઘર ઉપર ફાયરીંગ, અમુક વેપારીઓને કોલ કરી ખંડણી માંગવી અને છેલ્લે મુંબઈમાં બાબાસીદીકીની હત્યામાં તેનું નામ ઉછળી રહ્યું છે. પરંતુ અન્ય રાજ્યોની પોલીસને આજ સુધી લોરેન્સ બિશ્ર્નોઈનો કબજો મળ્યો નથી.

Continue Reading

ગુજરાત

દેણું વધી જતાં રાવલના યુવાનનો ઝેરી દવા પી આપઘાત

Published

on

By

માનપરમાં નદીમાં નહાવા પડેલા પરપ્રાંતીય આધેડનું મોત

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની સીમમાં રહેતા અરજણભાઈ કારાભાઈ વાઘેલા નામના 45 વર્ષના કોળી યુવાનને પોતાના પર દેવું વધી જતા તેમણે પોતાના હાથે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાહેર મૃતકના પુત્ર કાનાભાઈ અરજણભાઈ વાઘેલાએ કલ્યાણપુર પોલીસને કરી છે.


નાહવા પડેલા પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ
પંચમહાલ જિલ્લાના લુણાવાડા તાલુકાના મૂળ રહીશ અને હાલ ભાણવડ તાબેના માનપર ગામે રહીને એક આસામીની વાડીમાં મજૂરી કામ કરતા અરજુનભાઈ નાનાભાઈ નાયક નામના 45 વર્ષના આદિવાસી યુવાન મંગળવારે માનપર ગામની નદીમાં નાહવા માટે પડતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જેન્તીભાઈ નાયક (ઉ.વ. 30) એ ભાણવડ પોલીસને કરી છે.


મહિલાએ ઝેરી દવા પીધી: મૃત્યુ
મધ્ય પ્રદેશ રાજ્યના ખારગોન જિલ્લાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા મમતાબેન મુકેશભાઈ વાસ્કેલ નામના 22 વર્ષના આદિવાસી મહિલાએ સોમવારે રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર માંડવીમાં મુંડા મારવાની ઝેરી દવા ગટગટાવી લેતા તેમને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ઉષ્માબેન હાલસીંગભાઇ કનાશ (ઉ.વ. 60, રહે. મૂળ મધ્યપ્રદેશ) એ કલ્યાણપુર પોલીસને કરી છે.

Continue Reading

કચ્છ

મુન્દ્રામાં લાકડાના ભુંસાના નામે આવેલા સાત ક્ધટેનરમાંથી આઠ કરોડના કાજુ પકડાયા

Published

on

By

ગાંધીધામ DRI શાખાનું ઓચિંતુ ચેકિંગ, વિયેતનામથી મુન્દ્રા ઇમ્પોર્ટ થયા હતા


ડીઆરઆઈ, ગાંધીધામની શાખાએ મુંદ્રામાં એક મોટા દાણચોરીના પ્રયાસને નાકામ કરતા લાકડાના ભુંસાના નામે આવેલા 7 ક્ધટેનરમાંથી 8 કરોડના કાજુ પકડી પાડ્યા હતા.ઠીક દિવાળી પહેલા જ્યારે ડ્રાયફ્રુટ્સની બજાર ગરમી પકડે છે ત્યારે દાણચોરો પણ ડ્રાયફુટની સ્મગલીંગ માટે સક્રિય થઈ જતા હોય છે. આવી સ્થિતિમાં ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટીલેજન્સની ગાંધીધામ શાખાને મળેલી ચોક્કસ બાતમીના આધારે વીયેતનામથી મુંદ્રા ઈમ્પોર્ટ થયેલા 7 ક્ધટેનરને રોકીને તપાસ આરંભાઈ હતી.જેમાંથી લાકડાનો ભુંસો કે જે અગરબતી માટે પણ કામ આવે છે, તેની સાથે છુપાવેલા કાજુના પેકેટ્સ મળી આવ્યા હતા, જેની ગણના કરતા તે અંદાજે 100 મેટ્રીક ટન થવા જાય છે. ભારતીય બજારો અનુસાર આ કાજુની કિંમત 8 કરોડ થવા જાય છે.


ડીઆરઆઈની પ્રાથમિક તપાસમાં નવસારી, બરોડા, વાપીના એક સમુહએ એક કંપની બનાવીને આ આયાત કરી હોવાનું ખુલ્યુ હતું, જેમના સબંધીતોનીઓન રેકર્ડ ભુંસો જ ડિક્લેર કરાયો છે, જેની કિંમત 25 લાખ આસપાસ છે, ત્યારે જો કદાચ કસ્ટમ પકડીને ક્ધટેનર ખોલીને ચેક પણ કરે તો પકડાય નહી તે માટે ક્ધટેનરમાં ચોતરફ લાકડાનો ભુંસો ભરી નાખવામાં આવ્યો હતો અને તેની વચ્ચોવચ્ચ કાજુના પેકેટ્સ રખાયા હતા.


ધ્રાંગધ્રામાં તબીબની પત્ની સાથે છેડતી, ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો
ગુજરાત મિરર, સુરેન્દ્રનગર તા.17 ધ્રાંગધ્રાના પ્રતિષ્ઠિત ડોક્ટરના પત્ની સાથે તેમના દવાખાના પૂર્વ કર્મચારી અને અન્ય 3 શખસ દ્વારા પગારના પૈસા બાબતને લઈને ડોક્ટરના ઘરે ગયા હતા. જ્યાં જઈને ડોક્ટરની પત્ની ઉપર હુમલો કરી છેડછાડ કર્યાની ધ્રાંગધ્રા સીટી પોલીસમાં 4 શખસ સામે ફરિયાદ નોધાઈ હતી. ધ્રાંગધ્રામા રહેતા આર્મીના પૂર્વ અધિકારી અને પ્રતિષ્ઠિત ડોક્ટર શંકર દત્તાના ઘરે દવાખાનાના પૂર્વ કર્મચારી તાહીર અને અન્ય 3 શખસ ગયા હતા. ઉપરાંત મહિલા પર હુમલો કરી છેડછાડ કરાઈ હતી. સીટી પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ કે.એચ.ડોડીયા કરી રહ્યા છે. ડોક્ટરના ઘરના સીસીટીવી કેમેરાની તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Continue Reading
ક્રાઇમ6 mins ago

લોરેન્સ બિશ્ર્નોઈના સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર ઉપર પ્રતિબંધ

રાષ્ટ્રીય11 mins ago

સલમાન મુક્તિધામ મુકામ પર આવી માફી માગે તો બિશ્નોઈ સમાજ માફ કરશે

આંતરરાષ્ટ્રીય16 mins ago

ફૂટબોલ ચાહકોના દિલ તૂટશે, મેસીએ આપ્યો નિવૃત્તિનો સંકેત

રાષ્ટ્રીય19 mins ago

નિકિતા પોરવાલે ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો

Sports20 mins ago

સનરાઈઝર્સ હૈદરાબાદ વિસ્ફોટક વિકેટકીપર હેનરિક ક્લાસેનને ચૂકવશે 23 કરોડ રૂપિયા

Sports23 mins ago

ભારત-ન્યૂઝીલેન્ડની તમામ વન-ડે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

આંતરરાષ્ટ્રીય39 mins ago

છ વર્ષ બાદ ધ વિકટોરિયાઝસિક્રેટ ફેશન શોની જમાવટ

આંતરરાષ્ટ્રીય41 mins ago

ખાલિસ્તાનીઓના કારણે ભારત કેનેડાના સંબંધો વધુ બગડશે

ગુજરાત48 mins ago

દેણું વધી જતાં રાવલના યુવાનનો ઝેરી દવા પી આપઘાત

કચ્છ50 mins ago

મુન્દ્રામાં લાકડાના ભુંસાના નામે આવેલા સાત ક્ધટેનરમાંથી આઠ કરોડના કાજુ પકડાયા

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય19 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય19 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત20 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Trending