Connect with us

રાષ્ટ્રીય

PM મોદીની CJIના ઘરે ગણપતિ પૂજાથી ચંદ્રચૂડની વિશ્ર્વસનિયતા સામે સવાલ

Published

on

વડાપ્રધાનની તરફેણમાં અને વિરોધમાં નામાંકિત વકીલો, નિવૃત્ત જજોના નિવેદનોનો મારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડના ઘરે ગણેશ પૂજામાં ગયા તેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. મોદીએ ચંદ્રચૂડના ઘરે આરતી કરીને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતાં ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની વિશ્વસનિયતા ખતમ કરી નાખી હોવાના આક્ષેપો સાથે ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. મહેશ જેઠમલાણી અને હરીશ સાલ્વે જેવા કેટલાક વકીલો મોદી અને ચંદ્રચૂડના બચાવમાં પણ ઉતર્યા છે પણ આ વકીલોનાં હિતો ભાજપ સાથે સંકળાયેલાં હોવાથી તેમના બચાવને ગંભીરતાથી લેવામાં આવી નથી. વધુ પડતાં વકીલો મોદીની ઝાટકણી કાઢી રહ્યા છે.


ભાજપ પણ મોદીનો બચાવ કરી રહ્યો છે. મોદી ધાર્મિક આસ્થાના કારણે ચીફ જસ્ટિસના ઘરે ગયા હતા અને તેમની મુલાકાતને કારણે સુપ્રીમ કોર્ટની કામગીરી પર કોઈ અસર નહીં પડે એવી તેમની દલીલ છે. બંધારણવિદો અને વકીલો આ દલીલને બકવાસ ગણાવે છે. તેમનું કહેવું છે કે, મોદીને પોતાની આસ્થા જ દર્શાવવી હતી તો કોઈ જાહેર ગણપતિ મંડપ કે ગરીબ વ્યક્તિના ઘરે પણ જઈ શક્યા હોત પણ તેમનો ઈરાદો ન્યાયતંત્ર અને ચીફ જસ્ટિસ પોતાના તાબા હેઠળ છે એવું બતાવવાનો છે. આ મુલાકાતને મોદી ખાનગી પણ રાખી શક્યા હોત પણ તેના બદલે તેમણે ઈરાદાપૂર્વક તેના વીડિયો અને ફોટા વાયરલ કરાવીને જસ્ટિસ ચંદ્રચૂડની ઈમેજને મોટો ફટકો મારી દીધો હતો.


વરિષ્ઠ વકીલોના મતે, મોદીએ ચંદ્રચૂડ પોતાના મિત્ર હોય એવો દેખાવ ઉભો કરીને ખૂબ ખરાબ મેસેજ આપ્યો છે. દેશના ચીફ જસ્ટિસ સાથે પોતાને ઘરના સંબંધો હોવાનું બતાવીને મોદીએ દેશના ન્યાયતંત્રને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દીધું હોવાની ટીકા ટોચના વકીલો કરી રહ્યા છે. મોદીએ ચંદ્રચૂડના ઘરે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપીને સરકાર અને ન્યાયતંત્રના સંબંધો અંગેની મર્યાદારેખા ઓળંગી છે એવી ટીકા પણ થઈ રહી છે. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની પણ સંખ્યાબંધ જાણીતા વકીલ અને બંધારણવિદોએ આકરી ટીકા કરી છે. મોદીને પોતાના ઘરે ધાર્મિક કાર્યક્રમ માટે હાજર રહેવાનું નિમંત્રણ આપીને દેશના ચીફ જસ્ટિસે લક્ષ્મણરેખા પાર કરી દીધી હોવાની ટીકાઓ પણ થઈ રહી છે.


મોદી વિરોધી નિવેદનો ઉપર નજર નાખીએ તો ભારતના મુખ્ય ન્યાયાધીશે ચૂંટાયેલી પાંખ અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાના વિભાજન માટે બનાવાયેલી રેખા ઓળંગીને વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. ચીફ જસ્ટિસે ન્યાયતંત્રના સિધ્ધાંતો સાથે સમાધાન કર્યું છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને ચીફ જસ્ટિસના કૃત્યની આકરી ટીકા કરવી જોઈએ. ઇન્દિરા જયસિંહ ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ જણાવ્યું હતું.


ચીફ જસ્ટિસ ચંદ્રચુડે મોદીને પોતાના ઘરે ખાનગી બેઠક કરવાની મંજૂરી આપી એ વાત ચોકાવનારી છે. ન્યાયતંત્રની જવાબદારી મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની છે, કોઈ પણ સરકાર બંધારણની મર્યાદામાં રહીને કામ કરે છે તેની ખાતરી કરવાની છે. તેમણે આ મર્યાદા તોડી દીધી છે. પ્રશાંત ભૂષણ, જાણીતા વકીલ
બંધારણ દ્વારા સત્તાનું વિભાજન કરાયું એ પ્રમાણે ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે અંતર જળવાવું જોઈએ. મોદી સાથે ચીફ જસ્ટિસની બેઠકના કારણે ન્યાયતંત્ર વિશેની લોકોની ઈમેજ પર અસર થઈ છે પણ ચુકાદા પર તેની અસર થતી નથી. જજ સ્વતંત્ર રીતે પોતાને આપવો હોય એ જ ચુકાદો આપે છે. જસ્ટિસ આર.એમ. લોઢા (ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ) એ કહ્યું હતું.


મોદીએ ચંદ્રચૂડના ઘરની મુલાકાત લઈને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી દીધો એ બિલકુલ યોગ્ય નથી. મોદીને કોને નિમંત્રણ આપેલું તેની મને ખબર નથી પણ હું એટલું ચોક્કસ કહીશ કે, આ પ્રકારની મુલાકાતોને લીધે લોકોની નજરમાં ન્યાયતંત્રની ખરાબ અસર ઉભી થાય છે. તેના કારણે ચીફ જસ્ટિસના ભવિષ્યના ચુકાદાઓને અસર નહીં થાય પણ તેમની ઈમેજને ચોક્કસ થઈ છે.


તેના કારણે ખોટો મેસેજ ગયો હોવાનું જસ્ટિસ (નિવૃત્ત) ગોવિંદ માથુર (અલાહાબાદ હાઈકોર્ટ)નું માનવું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડના ઘરે કોઈ પણ સંજોગોમાં જવાની જરૂૂર નહોતી. સુપ્રીમ કોર્ટ સામે સરકાર વિરોધી કેસો આવી રહ્યા છે અને લાંબા સમયથી માનવાધિકાર ભંગને લગતા કેસો પણ આવી રહ્યા છે એ સંજોગોમાં વડાપ્રધાન અને ચીફ જસ્ટિલની મુલાકાતના કારણે પીડિતો અને અરજદારોના મનમાં ભય પેદા થઈ ગયો છે. તેમ જસ્ટિસ (નિવૃત્ત) રેખા શર્મા (દિલ્હી હાઈકોર્ટ)એ જણાવ્યું છે.
ભારતના ઈતિહાસમાં કદી આવું બન્યું નથી. મારા મતે મોદીએ ચંદ્રચૂડના ઘરની મુલાકાતનો ફોટો મૂક્યો એ જ ખોટું નથી પણ મોદી તેમના ઘરે ગયા એ પણ ખોટું છે. મોદી અને ચંદ્રચૂડ બંને શું મેસેજ આપવા માગે છે એ સમજવાની જરૂૂર છે. આ મુદ્દો આસ્થાનો નથી પણ ન્યાયતંત્રની સ્વતંત્રતાનો છે. તેમ દુષ્યંત દવે (સુપ્રીમ કોર્ટના વકીલ)એ કહ્યું છે.


મોદી તરફીમાં દેશના ચીફ જસ્ટિસ ન્યાયતંત્રના વડા હોવાને કારણે ઘરે ગણેશ પૂજા કરે કે વડાપ્રધાનને નિમંત્રણ આપે તેમાં ખોટું નથી પણ બંનેએ સાથે જાહેરમાં ન જવું જોઈએ. આ ઘટના સાથે ચીફ જસ્ટિસની પ્રામાણિક્તાને જોડી તેમને બદનામ કરતા આક્ષેપો બાલિશ અને અપરિપક્વ છે. આ ઘટનાને મદ્દો ના બનાવવો જોઈએ. તેમ જસ્ટિસ (નિવૃત્ત) કે. ચંદ્રુે (મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ) જણાવ્યું હતું.


મોદીની ચંદ્રચૂડના ઘરે ગણેશ પૂજામાં ભાગ લેવાની વાતનો વિવાદ ઉભો કરાયો તેનું મને આશ્ચર્ય થઈ રહ્યું છે. કોઈ રાજકારણી કોઈ જજ કે ચીફ જસ્ટિસના ઘરે સામાજિક પ્રસંગ માટે ના જઈ શકે એ વાત જ વાહિયાત છે. ન્યાયતંત્ર અને સરકાર પોતપોતાનાં કામ કરે છે. તેમાં અંગત સંબંધો વચ્ચે ક્યાંથી આવ્યા? તેમ મહેશ જેઠમલાણી (સુપ્રીમ કોર્ટના વકીલ)નો મત છે.


વડાપ્રધાન ચીફ જસ્ટિસના ઘરે જાહેરમાં જાય ને પૂજા કરે તેની ટીકા કરે એ બિલકુલ નોનસેન્સ કહેવાય. કોઈએ ખોટું કામ કરવું હોય તો આ રીતે ધોળે દાહડે જાહેરમાં ના કરે. આ પ્રકારની વાતોને મોટું સ્વરૂૂપ આપી દેવાય અને ટોચના હોદા પર બેઠેલા લોકો તેને ઉછાળે એ જોતાં દેશનું બંધારણ ખતરામાં છે એવું લાગે છે. તેમ હરીશ સાલ્વે (ભૂતપૂર્વ સોલિસિટર જનરલ)નું માનવું છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાષ્ટ્રીય

બહુચરાઈ હિંસાના આરોપીઓ આવ્યા સામે,મુખ્ય આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર,નેપાળ ભાગી રહ્યા હતા

Published

on

By

બહુચરાઈ હિંસાના મુખ્ય આરોપીઓનો સામનો કરવામાં આવ્યો છે. ઘટનાના મુખ્ય આરોપી સરફરાઝ અને ફહીમને ગોળી વાગી હતી. બંને નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બે દિવસમાં બે નામના આરોપીઓની ધરપકડ કર્યા બાદ ગુરુવારે બે આરોપીઓનું એન્કાઉન્ટર થયું હતું. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ પણ કરી છે. તે જ સમયે, કેટલાક આરોપીઓ નેપાળમાં છુપાયેલા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

બહુચરાઈ હિંસાના આરોપીઓ સામે આવ્યા
મળતી માહિતી મુજબ આરોપીઓને ગોળી વાગી છે. હાલમાં, ગોળી માર્યા બાદ તેની હાલત વિશે હજુ સુધી માહિતી બહાર આવી નથી. આરોપીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે કે નહીં. આને લગતી કોઈ માહિતી હજુ સુધી સામે આવી નથી. પોલીસ છેલ્લા બે-ત્રણ દિવસથી આ મામલે સતત તપાસ કરી રહી હતી. ઘટના અંગે માહિતી આપતાં એડીજી અમિતાભ યશે જણાવ્યું કે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ એન્કાઉન્ટર સંબંધિત સંપૂર્ણ માહિતી હજુ ઉપલબ્ધ નથી.

મૂર્તિ વિસર્જન દરમિયાન કોમી હિંસા થઈ હતી
તમને જણાવી દઈએ કે બહરાઈચમાં દશેરાના દિવસે દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન એક પાર્ટી ડીજે વગાડી રહી હતી ત્યારે બીજા સમુદાયના લોકોએ તેના પર વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ બંને પક્ષો વચ્ચે વિવાદ શરૂ થયો અને અન્ય સમુદાયના લોકોએ ઘરની છત પરથી પથ્થરમારો શરૂ કર્યો.

રામ ગોપાલ મિશ્રાની હત્યા બાદ મામલો ગરમાયો હતો
આ પથ્થરમારામાં 12 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 22 વર્ષના રામ ગોપાલ મિશ્રાને નિર્દયતાથી ગોળી મારી દેવામાં આવી હતી. રામ ગોપાલ મિશ્રાની હત્યા કરતા પહેલા તેમની સાથે નિર્દયતાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યો હતો. જે બાદ પીડિતાનો પરિવાર રાજ્યના સીએમ યોગી આદિત્યનાથને મળ્યો અને ન્યાયની વિનંતી કરી. સીએમ યોગીએ પણ પીડિત પરિવારને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.

Continue Reading

રાષ્ટ્રીય

રેલવેમાં વેઈટિંગની સમસ્યાનો અંત આવશે, હવે રિઝર્વેશન ટિકિટ 60 દિવસ પહેલા જ બુક થશે.

Published

on

By

દિવાળીથી છઠ સુધી સામાન્ય લોકોને વારંવાર રેલવેમાં લાંબી રાહ જોવી પડે છે. તેનું મુખ્ય કારણ એ છે કે વર્તમાન સિસ્ટમ હેઠળ લોકો 120 દિવસ પહેલા રેલવે રિઝર્વેશન ટિકિટ બુક કરાવે છે. હવે રેલવે બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે, જેનાથી લાંબા સમય સુધી રાહ જોવાની સમસ્યા દૂર થઈ શકે છે. નવી સિસ્ટમ આવતા મહિનાથી અમલમાં આવશે.

રેલ્વે બોર્ડે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે 1 નવેમ્બર, 2024થી આરક્ષણ ટિકિટનું એડવાન્સ બુકિંગ ફક્ત 60 દિવસ પહેલા જ કરવામાં આવશે. જ્યારે 120 દિવસ અગાઉ એડવાન્સ ટિકિટ બુક કરવાની સેવા 31 ઓક્ટોબર 2024 સુધી ચાલુ રહેશે.

તાજ અને ગોમતી એક્સપ્રેસમાં જૂની સિસ્ટમ લાગુ રહેશે
રેલવે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે કેટલીક સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોમાં રિઝર્વેશનની જૂની સિસ્ટમ જે એક જ દિવસમાં મુસાફરી પૂરી કરે છે, એટલે કે એડવાન્સ ટિકિટ બુક કરવા માટે નક્કી કરવામાં આવેલી નીચી મર્યાદા, પહેલાની જેમ જ લાગુ રહેશે. આ પ્રકારની ટ્રેનમાં તાજ એક્સપ્રેસ અને ગોમતી એક્સપ્રેસ સહિત ઘણી ટ્રેનોનો સમાવેશ થાય છે.

વિદેશી નાગરિકો માટે 365 દિવસની મર્યાદા
રેલવે બોર્ડે એમ પણ કહ્યું છે કે વિદેશી નાગરિકો અથવા પ્રવાસીઓ માટે 365 દિવસ અગાઉ રેલવે રિઝર્વેશન ટિકિટ બુક કરવાની સુવિધા પહેલાની જેમ જ યથાવત રહેશે. આમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ફ્રેન્કફર્ટથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટને મળી બોમ્બની ધમકી, છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

Published

on

By

છેલ્લા 4 દિવસથી ભારતીય વિમાનોને બોમ્બની ધમકીઓ મળી રહી છે. આજે વિસ્તારા અને ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળી હતી. ધમકી મળ્યા બાદ વિસ્તારાની ફ્રેન્કફર્ટ-મુંબઈ ફ્લાઈટ UK 028નું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી.લેન્ડિંગ પછી તરત જ ફ્લાઈટને અલગ-અલગ વિસ્તારમાં લઈ જવામાં આવી હતી અને તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસમાં કંઈ મળ્યું ન હતું.

અધિકારીઓએ ક્રૂને બોમ્બની ધમકી વિશે જાણ કરી ત્યારે વિમાન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ઉડી રહ્યું હતું. ફ્લાઈટમાં 147 મુસાફરો સવાર હતા. લેન્ડિંગ પછી, એરક્રાફ્ટને આઇસોલેશનમાં લઈ જવામાં આવ્યું હતું, જ્યાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. આ પછી તુર્કીથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ પર ધમકી આપવામાં આવી હતી. આ ધમકી સોશિયલ મીડિયા પર પણ આપવામાં આવી હતી.

આ અંગે વિસ્તારાના પ્રવક્તાએ જણાવ્યું કે ફ્રેન્કફર્ટથી મુંબઈ જતી વિસ્તારાની ફ્લાઈટ UK 028ને સોશિયલ મીડિયા પર ધમકી મળી હતી. પ્રોટોકોલ મુજબ, તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જે બાદ પ્લેન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયું અને તેને આઈસોલેશન બેમાં લઈ જવામાં આવ્યું. જ્યાં તમામ ગ્રાહકોને ઉતારી દેવામાં આવ્યા હતા.

વિસ્તારાએ કહ્યું કે અમે ફરજિયાત સુરક્ષા તપાસ પૂર્ણ કરવા માટે સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. વિસ્તારામાં, અમારા ગ્રાહકો, ક્રૂ અને એરક્રાફ્ટની સલામતી અમારા માટે અત્યંત મહત્વની છે.બોમ્બની ધમકીઓ મળવાની પ્રક્રિયા અટકી રહી નથી. ગુરુવારે જર્મનીના ફ્રેન્કફર્ટથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટ (બોઈંગ 787 એરક્રાફ્ટ)ને બોમ્બની ધમકી મળી હતી. ધમકી મળ્યા બાદ ફ્લાઈટનું મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ પછી તરત જ ફ્લાઈટને અલગ-અલગ વિસ્તારમાં લઈ જવામાં આવી હતી અને તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસમાં કંઈ મળ્યું ન હતું.

Continue Reading
રાષ્ટ્રીય3 mins ago

બહુચરાઈ હિંસાના આરોપીઓ આવ્યા સામે,મુખ્ય આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર,નેપાળ ભાગી રહ્યા હતા

ગુજરાત12 mins ago

ટ્રાફિક માટે સમસ્યારૂપ બનેલા સર્કલો તોડવાનું શરૂ

આંતરરાષ્ટ્રીય36 mins ago

પૂર્વ PM શેખ હસીના પર લટકી ધરપકડની તલવાર!! બાંગ્લાદેશની કોર્ટે 18 નવેમ્બર સુધીમાં હાજર થવાનો આદેશ

રાષ્ટ્રીય55 mins ago

રેલવેમાં વેઈટિંગની સમસ્યાનો અંત આવશે, હવે રિઝર્વેશન ટિકિટ 60 દિવસ પહેલા જ બુક થશે.

આંતરરાષ્ટ્રીય59 mins ago

ફ્રેન્કફર્ટથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટને મળી બોમ્બની ધમકી, છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

ક્રાઇમ1 hour ago

રાજ્યભરમાં EDના દરોડા, એકસાથે 23 સ્થળોએ સર્ચ ઓપરેશન, કરોડા રૂપિયાની ટેક્સ ચોરીના પાડયા દરોડા

રાષ્ટ્રીય2 hours ago

સલમાનખાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ બિશ્નોઈ ગેંગના શૂટરની ધરપકડ

રાષ્ટ્રીય2 hours ago

બાંગ્લાદેશમાંથી ભારત આવેલા શરણાર્થીઓને મળશે નાગરિકતા, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

ક્રાઇમ2 hours ago

કોચે 13 વર્ષની ખો-ખો ખેલાડી પર દુષ્કર્મ , ટ્રેન મોડી પડવાના બહાને હોટલમાં લઈ ગયો

Sports2 hours ago

IND VS NZ: માત્ર 46 રનમાં જ ટીમ ઈન્ડિયા ઓલઆઉટ, એશિયામાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો શરમજનક રેકોર્ડ

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય22 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય22 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત23 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Trending