રાજ્ય સરકારના મુખ્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી થોડા દિવસોમાં ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદીનો આ પ્રથમ રાજ્યનો પ્રવાસ હશે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ આવતીકાલે રાજ્યની મુલાકાત લે તેવી શક્યતા છે. રાજ્ય સરકારના સૂત્રોએ માહિતી આપી હતી કે, નસ્ત્રપ્રાપ્ત માહિતી અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે અને રાજ્યના કોઈપણ આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારોની મુલાકાત લઈ શકે છે. જોકે, હજુ સુધી કોઈ ખાસ વિગતો આપવામાં આવી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સપ્તાહના અંતે કચ્છના સરહદી વિસ્તારોની મુલાકાત લે તેવી શક્યતા છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ રવિવારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પલ્લવ ચાર રસ્તા ખાતે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરશે.
PM મોદી ગુજરાતના સરહદી વિસ્તારની મુલાકાતે આવશે
રાજ્ય સરકારના મુખ્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી થોડા દિવસોમાં ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી…
