સૌ.યુનિ.માં 89.666 બેઠકમાંથી 45729 હજુ પણ ખાલી

સ્નાતકમાં 32 અને અનુસ્નાતકમાં 28 રાઉન્ડ પૂર્ણ થવા છતાં માત્ર 50 ટકા સીટ જ ભરાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશપાત્ર 1,00,558 બેઠક…

સ્નાતકમાં 32 અને અનુસ્નાતકમાં 28 રાઉન્ડ પૂર્ણ થવા છતાં માત્ર 50 ટકા સીટ જ ભરાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશપાત્ર 1,00,558 બેઠક છે. જોકે તેની સામે ગુજરાતના 56,143 વિદ્યાર્થીઓએ જ આ યુનિવર્સિટીમાં એડમિશન માટે રસ દાખવ્યો છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ મારફત સ્નાતકમાં 32 અને અનુસ્નાતકમાં પ્રવેશના 28 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા બાદ પણ 50%થી વધુ સીટો ખાલી રહી છે. શૈક્ષણિક વર્ષ શરૂૂ થઈ ગયા બાદ એક સત્ર પૂર્ણ પણ થઈ ગયું અને દિવાળીનું વેકેશન પણ આવી ગયું તેમ છતાં પણ GCAS દ્વારા વિદ્યાર્થીઓને એડમિશનની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. જેની પાછળનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની નિરસતાના કારણે અનેક સીટો ખાલી રહે છે. જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ એડમીશન લે તે માટે તમામ યુનિવર્સિટીઓ ઉંધા માથે થઈ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીનો સંપર્ક કરવામાં આવ્યા બાદ મળેલી વિગત મુજબ, ઞૠ એટલે કે સ્નાતકમાં ઇન્ટેક કેપેસિટી એટલે કે પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સીટ 89,666 છે. જોકે તેની સામે ગુજરાતભરમાંથી અહીં એડમિશન લેતા વિદ્યાર્થીઓની સંખ્યા 43,937 જ થઈ છે. જ્યારે 45,729 સીટ હજુ પણ ખાલી રહી છે. જેથી કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન લેવામાં વિદ્યાર્થીઓમાં ભારે નિરસતા જોવા મળે છે. 50 ટકા જેટલી સીટ ખાલી રહેતા સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોએ મનોમંથન કરવાની જરૂૂર છે.

જ્યારે ઙૠ એટલે કે અનુસ્નાતક કક્ષાના કોર્સમાં 10,892 સીટ છે. જેની સામે ગુજરાતમાંથી 12,171 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રસ દાખવ્યો છે. જોકે તેમાં યુનિવર્સિટી સ્થિત 29 ભવનોમાં 1,642 સીટ છે. જેની સામે 1,052 એડમિશન જ થયા છે એટલે કે ત્યાં પણ 590 બેઠક ખાલી રહી છે. જ્યારે એ સિવાયની 9,250 બેઠક અનુસ્નાતક કક્ષાના કોર્સ ચલાવતી કોલેજોની છે. જેની સામે 11,119 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રસ દાખવ્યો છે. જેથી કહી શકાય કે યુનિવર્સિટીના ભવનો કરતા અમૂક ખાનગી કોલેજોમાં એડમિશન માટે વિદ્યાર્થીઓ પડાપડી કરતા હોય છે.

જે તે યુનિવર્સિટીના ભવનો અને કોલેજમાં વિદ્યાર્થીઓના એડમિશન થયા બાદ કેટેગરી લિસ્ટ આપવામાં આવતું નથી. જેથી કઈ કેટેગરીની કેટલી જગ્યા ખાલી છે તે ભવન અધ્યક્ષ કે કોલેજોના આચાર્યને ખ્યાલ આવતો નથી. કઈ કેટેગરીની કેટલી જગ્યા ખાલી છે તે આપવામાં આવે તો તે પ્રમાણે નવા એડમિશન આપવામાં સરળતા રહે છે. જે કેટેગરીની જગ્યા 3 વખતથી વધુની ચોઇસ ફિલિંગ પર ખાલી રહે તો તે કેટેગરીની જગ્યા અન્ય કેટેગરીમાં ક્ધવર્ટ કરવાની છૂટ આપવી. કારણ કે અમુક ભવનો અને કોલેજોમાં એક તરફ પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળે તો બીજી તરફ અમુક કેટેગરીમાં એડમિશન ન થતા સીટ ખાલી હોય છતાં પણ અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નથી. કોઈ વિદ્યાર્થીને ઓફર લેટર મોકલ્યા બાદ તે જે તે કોલેજમાં અભ્યાસ માટે આવતો નથી અને ફી પણ ભરતો નથી. તો તેવા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવાની સત્તા કોલેજ કે યુનિવર્સિટી પાસે નહીં પરંતુ વિદ્યાર્થી પાસે હોવાથી તે સીટ બિન ઉપયોગી પડી રહે છે અને અન્ય વિદ્યાર્થીઓને એડમિશન મળતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *