અમરેલી
બગસરા પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની બઘડાટી
બગસરામાં નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં કોંગ્રેસના સાત સભ્યો તથા ભાજપના 18 સભ્યો હાજર રહ્યા હતા નગરપાલિકાના પ્રમુખ જોસનાબેન રીબડીયા ના અધ્યક્ષ સ્થાને તથા ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી ની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભામાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી કોંગ્રેસના સભ્યો દ્વારા મેઘાણી હાઇસ્કુલ ના કોમ્પ્યુટરની ફી 200 ની જગ્યાએ 400 કરવા માટેનો ઠરાવ કરવા બાબતે કોંગ્રેસનો સભ્ય દ્વારા બગડાટી બોલાવવામાં આવી હતી અને વિરોધ વ્યક્ત કર્યો હતો જ્યારે કોંગ્રેસના સભ્યો દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ભણતરમાં ફ્રી કરી દેવા માટેની જોગવાઈ છે છતાં ફી ડબલ કરી વિદ્યાર્થીઓ ઉપર વધુ બોજો નાખવા ની જરૂૂર નથી તેમ કોંગ્રેસના સભ્ય દ્વારા જણાવેલ હતું
આ ઉપરાંત બગસરાના વિકાસના કામો જેવા કે રોડ રસ્તા સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી અને અમુક મુદ્દાઓ યોગ્ય ન હોવાથી કોંગ્રેસ ના સભ્યો દ્વારા વિરોધ કરી . બગડાટી બોલાવી તુ તુ મે મે શરૂૂ કરાઈ હતી આ ઉપરાંત આયે સામાન્ય સભામાં ધારાસભ્ય જેવી કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા જેમાં કોંગ્રેસના નગરપાલિકાના સદસ્ય અનિલ શેખ દ્વારા ધારાસભ્ય જેવી કાકડીયા ને પણ કહેવામાં આવ્યું હતું કે તમે કોઈપણ સભ્ય નો નિર્ણય ફેરફાર કરી શકો નહીં માત્ર તમે અંદર બેસી અને હાજરી આપી શકો છો માટે તમારા નગરપાલિકાની કામગીરીમાં કોઈ અંદાજી ન કરવા વિનંતી કરી હતી તેમજ નગરપાલિકાના અગાઉ પણ પ્રમુખ પતિઓને સામાન્ય સભા હોય કે અન્ય વહીવટ હોય જે ન કરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો છતાં નગરપાલિકાની મહિલા સદસ્યોના પતિઓએ અંદર બેસી અને અમુક ઈશારાથી તેમની પત્નીઓને હાથ ઊંચો કરો કે ના કરો તેવું ઈશારા થી પણ કહેવા લાગ્યા હતા આવું કરવાથી આનો કોઈ અર્થ નથી નરેન્દ્ર મોદી મહિલાઓને ગમે એટલું ઊંચું સ્થાન આપે પરંતુ અહીં બગસરા નગરપાલિકા માં કંઈક ઉલટુ છે.
અહીં નગરપાલિકાના પ્રમુખ કાંઈ વહીવટ કરતા નથી અને પ્રમુખ પતિ જ વહીવટ કરે છે પ્રેસ મીડિયા દ્વારા પ્રમુખ નું ઇન્ટરવ્યૂ કરવા માટે પત્રકારો ગયા હતા ત્યારે તેમને પ્રમુખ પતિ એવી રીબડીયાએ તેમના પત્ની પ્રમુખને કીધું કે આપણે ઇન્ટરવ્યૂ દેવું નથી આપણે કંઈ બોલી શકીએ નહીં તેમ કહી અને મહિલા નગરપાલિકાના પ્રમુખ નનૈયો કર્યો આ ભાજપની સરકારમાં નરેન્દ્ર મોદી સાહેબ ગમે એટલે હથોડા પછાડે પરંતુ બગસરા નગરપાલિકાના પ્રમુખ પતિ સભ્ય પતિઓ મહિલાઓને આગળ કરવા દેવા માંગતા નથી કે તેને બોલવા દેવા માંગતા નથી અને પોતે જ જાતે વહીવટ કરવા માંગે છે.
અમરેલી
જાફરાબાદના સનખડા ગામે નદીમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત
દસેક મિત્રો સાથે માલણ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયો હતો
મૂળ અમરેલી જિલ્લા નાં જાફરાબાદ તાલુકાના જયદિપ વાધેલા નામનો 20 વર્ષિય યુવક પોતાના સનખડા ગામે થી અભ્યાસ કરવા આવતા યુવાનો સાથે મિત્રતા કેળવી હોય અને ઉના નાં સનખડા ગામે ભાદરવી પૂનમનો ભવ્ય મેળો ભરાય છે તે માણવા મિત્રો ની સાથે સનખડા ગામે આવેલ હતો બપોરના સમયે દશ બાર મિત્રો માલણ નદી માં નાહવા ગયેલ આ દરમિયાન જયદિપ વાધેલા શ્મશાન નજીક આવેલા ઊંડા ભુવા નાં પાણીમાં તણાવવા લાગતાં ડૂબવા લાગ્યો હતો અને બુમાબુમ પાડતાં તેનાં મિત્રો દ્વારા બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ રાવલ નદીમાં પાણી નાં પ્રહાર ભારે વહેતાં હોવાનાં કારણે બચાવવો મુશ્કેલ બનતાં તાત્કાલિક ગામલોકો ને જાણ થતાં મોટીસંખ્યામાં લોકો નદી કાંઠે ઉમટી પડી પહેલાં તરવૈયા યુવાનો એ શોધખોળ કરતાં નિષ્ફળ રહ્યા હતા.
ત્યાર બાદ ત્યાં બંદોબસ્ત માં રહેલ પોલીસ એ નદી નાં કાંઠે ભેગા થયેલાં લોકો ને દુર કરી મામલતદાર અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા એન.ડી.આર.એફ ટીમ ને સ્થળે બોલાવી શ્મશાન નજીક તપાસ શરૂૂ કરતાં બે કલાક ની ભારે જહેમત બાદ આશાસ્પદ યુવાન જયદિપ વાધેલા ઉવ20 નાં મૃતદેહ ને પાણી માંથી બહાર કાઢીને સનખડા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો મૃતક જયદીપ વાધેલા નાં પરીવાર ને જાણ કરાતાં તે પણ જાફરાબાદ થી સનખડા દોડી આવ્યા હતા અને પોતાનાં લાડકવાયા જવાન જોધ દિકરા નાં મૃતદેહ ને જોતાં ભાગી પડ્યા હતાં અને શોકમય વાતાવરણ ફેલાયું હતું.
અમરેલી
જાફરાબાદના ટીંબી ગામે રૂા. 1.30 લાખનો શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે બે પકડાયા
જાફરાબાદ તાલુકાના ટીંબીમાથી પોલીસે વાહનમાથી ઘઉંની 40 બોરીનો શંકાસ્પદ જથ્થો કબજે લઇ બે શખ્સોની અટકાયત કરી 1.30 લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. નાગેશ્રી પોલીસ મથકના પીએસઆઇ પી.વી.પલાસ અને ટીમે ગત રાત્રીના પેટ્રોલીંગ દરમિયાન ટીંબીમાથી એક ટેમ્પો નંબર જીજે 08 વાય 5668ને અટકાવી તલાશી લીધી હતી.
ટેમ્પોમા ઘઉંની 40 બોરી કુલ બે હજાર કિલો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે પુછપરછ કરતા કોઇ આધાર પુરાવા વગરનો હોય પોલીસે ટીંબીમા રહેતા મુસ્તાક ઉર્ફે બાપુ જુમાશા પઠાણ અને આરીફશા સુલેમાનશા કનોજીયા નામના શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે ઘઉંનો જથ્થો તેમજ વાહન મળી કુલ રૂૂપિયા 1.30 લાખનો જથ્થો કબજે લીધો હતો અને બીએનએસએસ કલમ 35(1) ઇ 106 મુજબ કાર્યવાહી કરી હતી.
અમરેલી
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા રહેતી એક સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે કૌટુંબિક ભાઇએ જ એકલતાનો લાભ લઇ છરી બતાવી નદીના પટમા લઇ જઇ દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.
સગીરા પર દુષ્કર્મની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા નદીના પટમા બની હતી. અહી રહેતી એક સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ઼ હતુ કે તે બિમાર હોય મજુરીકામે ગઇ ન હતી અને ઘરે એકલી હતી ત્યારે તેના મોટાબાપુના દીકરા ભાઇ અબ્દુલ દિનમહમદ ઝુણેજા તેના ઘરે આવ્યો હતો.આ શખ્સે તેને છરી બતાવી બળજબરીપુર્વક સાથે લઇ ગયો હતો. આ શખ્સે નદીના પટમા તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ કે.બી.જાડેજા ચલાવી રહ્યાં છે.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ