ગુજરાત મિરર, રાજકોટ તા. 1-ઉત્તર રેલ્વેના લખનૌ ડિવિઝનમાં સ્થિત જંઘાઈ-ફાફા મઉ સેક્શનમાં નોન-ઈન્ટરલોકિંગ કાર્યને કારણે, 2 જાન્યુઆરી, 2025ની ઓખા-વારાણસી એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂૂટ પર દોડશે. 02.01.2025 ની ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂૂટ વાયા પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-બનારસ-વારાણસી થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં જંઘાઈ અને ભદોહીનો સમાવેશ થાય છે. રેલ્વે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry. indianrail.gov.inની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
