PM મોદીની ચીનની મુલાકાત પૂર્વે ભારત આવેલા ચીનના વિદેશમંત્રીનું મહત્વનું નિવેદન
ભારતની બે દિવસીય મુલાકાતે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ તેમના સમકક્ષ વિદેશ મંત્રી એસ જયશંકરને ભારતની ત્રણ મુખ્ય ચિંતાઓ ઉકેલવાનું વચન આપ્યું છે. સૂત્રોએ જણાવ્યું છે કે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વિદેશ મંત્રી જયશંકરને ખાતરી આપી છે કે તેમનો દેશ ચીન ખાતર, દુર્લભ પૃથ્વી ખનિજો અને ટનલ બોરિંગ મશીનોની ભારતની જરૂૂરિયાતો પૂરી કરશે. ચીનના વિદેશ મંત્રીએ આ ખાતરી એવા સમયે આપી છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાદ્યો છે.
ભારત લાંબા સમયથી ચીન સાથે દુર્લભ પૃથ્વી ખનિજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે વાતચીત કરી રહ્યું છે, જે ઇલેક્ટ્રિક વાહનો, પવન ટર્બાઇન અને સંરક્ષણ ઉત્પાદન સહિત વિવિધ ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ છે. અગાઉ, વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે તેમના ચીની સમકક્ષ વાંગ યીને કહ્યું હતું કે ભારત અને ચીને પરસ્પર આદર, સંવેદનશીલતા અને પરસ્પર હિતોના આધારે સંબંધોને આગળ વધારવા માટે સ્પષ્ટ અને રચનાત્મક અભિગમ અપનાવવો જોઈએ. વાંગ સાથેની મુલાકાતમાં તેમની શરૂૂઆતની ટિપ્પણીમાં, વિદેશ મંત્રી જયશંકરે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (કઅઈ) નજીકના સરહદી વિસ્તારોમાં તણાવ ઘટાડવાની પ્રક્રિયાને આગળ વધારવા પર ભાર મૂક્યો હતો. આ વિસ્તારમાં બંને દેશોની સેનાઓ વચ્ચે ચાર વર્ષથી વધુ સમયથી ગતિરોધ ચાલી રહ્યો છે.
વિદેશ પ્રધાને કહ્યું, આ પ્રયાસમાં, આપણે ત્રણ પરસ્પર સિદ્ધાંતો – પરસ્પર આદર, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિત દ્વારા માર્ગદર્શન મેળવવું પડશે. મતભેદો વિવાદનું કારણ ન બનવું જોઈએ અને સ્પર્ધા સંઘર્ષમાં ન ફેરવવી જોઈએ. ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સરહદ મુદ્દા પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (ગજઅ) અજિત ડોભાલ સાથે વાતચીત કરવા માટે દિલ્હીની બે દિવસની મુલાકાતે છે.
