દિલ્હીમાં માતા-પુત્રની હત્યા, દાગીના-રોકડ રકમ ગાયબ

લૂંટની આશંકા પર પોલીસ તપાસ શરૂ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ડબલ મર્ડરનો એક મામલો પ્રકાશમાં આવ્યો છે. સંપૂર્ણ તૈયારી સાથે આવેલા હુમલાખોરો માતા અને પુત્રની હત્યા…

લૂંટની આશંકા પર પોલીસ તપાસ શરૂ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ડબલ મર્ડરનો એક મામલો પ્રકાશમાં આવ્યો છે. સંપૂર્ણ તૈયારી સાથે આવેલા હુમલાખોરો માતા અને પુત્રની હત્યા કર્યા પછી રોકડ અને દાગીના લઈને ભાગી ગયા. પોલીસ હાલમાં નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે, અને શંકાસ્પદોને શોધવા માટે ટીમો બનાવવામાં આવી છે.
અહેવાલો અનુસાર, 38 વર્ષીય શારદા અને તેના 13 વર્ષના પુત્ર ખુશાલની અજાણ્યા હુમલાખોરોએ છરીના ઘા મારીને હત્યા કરી હતી. ખુશાલ 7મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. હત્યાઓ પછી, આરોપીઓ ઘરમાં રાખેલા આશરે ₹10 થી ₹12 લાખ રોકડા અને દાગીના લઈને ભાગી ગયા હતા. ગુના પાછળ લૂંટનો મુખ્ય હેતુ હોવાની શંકા છે, પોલીસ અન્ય ખૂણાઓથી પણ તપાસ કરી રહી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફરિયાદી, વિષ્ણુ સાહુ, સાપ્તાહિક બજારમાં ફળો અને શાકભાજી વેચે છે. તે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ ઘરે પાછો ફર્યો. પહોંચ્યા પછી, તેણે જોયું કે આગળનો દરવાજો બહારથી બંધ હતો. ઘરમાં પ્રવેશતાં, તેણે તેની પત્ની અને પુત્રના મૃતદેહ જોયા, બંને પર છરીના અનેક ઘા હતા. ગુનાના સ્થળનું નિરીક્ષણ કરતાં પોલીસને ખબર પડી કે કબાટમાંથી રોકડ અને દાગીના ગાયબ હતા. ઋજક (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *