ખૌમેનીના ઇન્તકાલ પર મોદી સરકારનું મૌન કર્તવ્યચૂક: સોનિયા

મૌન કંઇ તટસ્થતા નથી: વિદેશનીતિ પર ગંભીર સવાલો ઉઠાવતા કોંગ્રેસ સુપ્રીમો કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટીના અધ્યક્ષા સોનિયા ગાંધીએ મોદી સરકારની ઈરાનના સુપ્રીમ લીડર આયતોલ્લાહ અલી ખામેનેઈની…

મૌન કંઇ તટસ્થતા નથી: વિદેશનીતિ પર ગંભીર સવાલો ઉઠાવતા કોંગ્રેસ સુપ્રીમો

કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટીના અધ્યક્ષા સોનિયા ગાંધીએ મોદી સરકારની ઈરાનના સુપ્રીમ લીડર આયતોલ્લાહ અલી ખામેનેઈની હત્યા પરની મૌનતાની તીવ્ર ટીકા કરી છે. તેમણે આ મૌનને ’તટસ્થતા’ નહીં પરંતુ ’કર્તવ્ય ત્યાગ’ ગણાવ્યું છે અને દાવો કર્યો છે કે આવી ચુપ્પી ભારતની વિદેશ નીતિની દિશા અને વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

સોનિયા ગાંધીએ તેમના લેખમાં (ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત) કહ્યું છે કે, “વિદેશી નેતાની લક્ષિત હત્યા પર આપણા દેશ તરફથી સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય કાયદાના સ્પષ્ટ રક્ષણ વિના મૌન રહેવું એ તટસ્થતા નથી, પરંતુ કર્તવ્ય ત્યાગ છે.” તેમણે ભારતની વિદેશ નીતિને ભારતીય બંધારણના અનુચ્છેદ 51 સાથે જોડીને કહ્યું કે તે શાંતિપૂર્ણ વિવાદ નિરાકરણ, સાર્વભૌમ સમાનતા, બિન-હસ્તક્ષેપ અને શાંતિ પ્રોત્સાહન પર આધારિત છે. આ ઘટના પર સરકારની ચુપ્પી આ સિદ્ધાંતોના ત્યાગનું સંકેત આપે છે.

તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈઝરાયેલ મુલાકાત માત્ર 48 કલાક પહેલાં થઈ હતી, જ્યાં તેમણે બેન્જામિન નેતન્યાહુ સરકારને સ્પષ્ટ સમર્થન આપ્યું હતું. આ સમયે ગાઝા સંઘર્ષમાં નાગરિકો (મોટા ભાગના સ્ત્રીઓ અને બાળકો)ના મોત પર વૈશ્વિક આક્રોશ વચ્ચે આ સમર્થન નૈતિક સ્પષ્ટતાના અભાવને દર્શાવે છે. સોનિયા ગાંધીએ કહ્યું, “આ મૌન એ ત્રાસદીનું મૌન સમર્થન સંકેત આપે છે અને ગ્લોબલ સાઉથના દેશોને ભારત પર વિશ્વાસ કરવાનું કારણ આપે છે કે તેમના સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે ભારત આજે ખચકાય છે.આ ટીકા વચ્ચે વિપક્ષી પાર્ટીઓએ પણ હત્યાની નિંદા કરી છે અને સરકાર પર આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘન પર ચુપ રહેવાનો આરોપ લગાવ્યો છે.

આ ઘટના પશ્ચિમ એશિયામાં અસ્થિરતા વધારી રહી છે અને ભારતના વ્યૂહાત્મક હિતો પર અસર કરી શકે છે. સોનિયા ગાંધીના નિવેદનથી રાજકીય ચર્ચા તેજ થઈ છે અને સરકાર પર દબાણ વધી રહ્યું છે કે તે આ મુદ્દે સ્પષ્ટ વલણ અપનાવે. અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં થઈ હતી, જેમાં તેહરાનમાં લક્ષિત હુમલા દ્વારા ખામેનેઈની હત્યા કરવામાં આવી. ઈરાન સરકારે 1 માર્ચે આ હત્યાની પુષ્ટિ કરી હતી.

આ હુમલો યુદ્ધની ઔપચારિક જાહેરાત વિના અને ચાલુ રાજનૈતિક વાટાઘાટો દરમિયાન થયો હતો, જેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવવામાં આવી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને ’ઈતિહાસના સૌથી દુષ્ટ વ્યક્તિનું અંત’ ગણાવીને વધુ હુમલાની ચેતવણી આપી હતી, જ્યારે ઈરાને વેર લેવાની ધમકી આપી છે.

ઇરાની વડાની હત્યાને મોદી સમર્થન આપે છે? રાહુલ
યુએસ-ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બોલવું જોઈએ અને જવાબ આપવો જોઈએ કે શું તેઓ વિશ્વ વ્યવસ્થાને વ્યાખ્યાયિત કરવાના માર્ગ તરીકે રાષ્ટ્રપ્રમુખની હત્યાને સમર્થન આપે છે. તેમણે કહ્યું કે ઈરાન પર એકપક્ષીય હુમલાઓ, તેમજ મધ્ય પૂર્વના અન્ય દેશો પર ઈરાનના હુમલાઓની નિંદા કરવી જોઈએ. લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ ડ ના રોજ કહ્યું, “મૌન હવે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠાને ઘટાડે છે.” તેમની આ ટિપ્પણી ઈરાને પુષ્ટિ આપ્યાના થોડા દિવસો પછી આવી છે કે તેના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીની અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા લક્ષ્યાંકિત હુમલાઓમાં હત્યા કરવામાં આવી હતી.ગાંધીએ કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતી દુશ્મનાવટ એક નાજુક પ્રદેશને વ્યાપક સંઘર્ષ તરફ ધકેલી રહી છે. તેમણે કહ્યું કે લગભગ એક કરોડ ભારતીયો સહિત કરોડો લોકો અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *