Uncategorized
ગઠબંધનમાં મમતા-કેજરીવાલ વિરૂદ્ધ લાલુ-નીતિશ
વિપક્ષી ગઠબંધન INDIAની ચોથી બેઠક દિલ્હીની અશોકા હોટલમાં મળી હતી. આ બેઠકમાં વિરોધ પક્ષો વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી પરંતુ જેવો મમતા બેનરજીએ પીએમ તરીકે કોંગ્રેસ અધ્યક્ષના નામનો પ્રસ્તાવ મૂક્યો કે તરત મોટો ડખો સામે આવ્યો હતો અને બે મોટા નેતાને આ પ્રસ્તાવ જરા વહેલો મૂકાયો હોવાનું લાગ્યું હતું અને તેઓ ભારે નારાજ થયા હતા અને તેઓ અધવચ્ચે ઉઠીને ચાલતી પકડી હતી.
ભારત ગઠબંધનની બેઠકમાં મમતા બેનર્જીએ વડાપ્રધાન પદના ઉમેદવાર માટે મલ્લિકાર્જુન ખડગેનું નામ લેતા જ લાલુ પ્રસાદ અને નીતિશ કુમારને આ વાતે ગુસ્સો આવી ગયો હતો. મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મુકવાથી નારાજ લાલુ અને નીતિશ ગઠબંધનની બેઠક વહેલા છોડીને ચાલ્યા ગયા હતા અને પ્રેસ કોન્ફરન્સમાં પણ સામેલ થયા નહોતા. ઉલ્લેખનીય છે કે, લાલુએ થોડા દિવસ પહેલા નીતિશ કુમારના સમર્થનમાં નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, નીતિશ કુમાર સામે કોઇ પડકાર નથી.
બેઠકમાં નીતિશ કુમારે શક્ય તેટલી વહેલી તકે બેઠકોની વહેંચણી પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી હતી. આ બેઠકમાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે ખડગેને પીએમ પદના ઉમેદવાર બનાવવા માટે તેમણે અરવિંદ કેજરીવાલ, ઉદ્ધવ અને અન્ય લોકો સાથે ચર્ચા કરી છે. અરવિંદ કેજરીવાલે દલિત પાસા પર દલીલ કરતી વખતે મમતા બેનર્જીના પ્રસ્તાવને જોરદાર ટેકો આપ્યો હતો.
બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, પહેલી પ્રાથમિકતા જીતની છે અને જીત બાદ પીએમનું નામ નક્કી થઈ શકે. ભારતીય ગઠબંધનો વચ્ચે સીટોની વહેંચણી રાજ્ય સ્તર પર થશે. જો આ ફોર્મ્યુલા કામ નહીં કરે તો આપણે સૌ સાથે મળીને આ બાબતે નિર્ણય કરીશું. જાણકારી અનુસાર ટીએમસી એટલા માટે ખુશ નહોતી કારણ કે બંગાળમાં સીટોની વહેંચણી પર કોંગ્રેસે હજુ સુધી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી નથી. આ પછી ટીએમસી સહિત ભારત ગઠબંધનની ઘણી પાર્ટીઓએ સીટોની વહેંચણીને અંતિમ રૂૂપ આપવા માટે 31 ડિસેમ્બર સુધીની ડેડલાઈન નક્કી કરી છે.
આ બેઠકમાં ટીએમસીએ પ્રસ્તાવ મૂક્યો હતો કે કોંગ્રેસે લગભગ 300 બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ, જ્યાં તેની સીધી ટક્કર ભાજપ સાથે છે. બાકીની બેઠકો પર કોંગ્રેસે પ્રાદેશિક પક્ષોને ટેકો આપવો જોઈએ. ટીએમસી, જેડીયુ સહિત અનેક પક્ષોએ 31 ડિસેમ્બર સુધીમાં બેઠકોની વહેંચણી પર મહોર લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ઈવીએમ સાથે વીવીપીટીની 100 ટકા ગણતરી કરો: બેઠકમાં ઠરાવ પસાર
વિપક્ષી ગઠબંધનની બેઠકમાં ઈવીએમ અને સાંસદોના સસ્પેન્શનની ચર્ચા થઈ હતી ઈવીએમના ઉપયોગ સામેે ઠરાવ પસાર કરાયો હતો ઠરાવમાં જણાવ્યું હતું કે, ઈવીએમના ઉપયોગ બાબતે સંદેહ છે આથી મતપત્ર પ્રણાલી ફરી અપનાવી જોઈએ વિકલ્પમાં વીવીપીટી મતોની 100% ગણતરી કરતા માંગણી કરવામાં આવી છે. બીજીબાજુ લોકસભાની ચુંટણી આડે માત્ર ચાર મહિના રહ્યા છે ત્યારે આરજેડી સાંસદ મનોજ ઝાએ ત્રણ સપ્તાહમાં બેઠક વહેંચણીનું કામ પુરુ કરવા સુચન કર્યુ હતું જે માન્ય રખાયું હતું.
Uncategorized
શહેર-જિલ્લામાં દારૂ વેચનારાઓ પર પોલીસની ધોંસ
આઠ દરોડામાં ઈંગ્લિશ દારૂની નાની મોટી 11પ બાટલી ઝડપાઈ: નવ શખ્સોની અટકાયત
જામનગર શહેર તેમજ જિલ્લામાં પોલીસે જુદા જુદા 8 સ્થળોએ દારૂ અંગેના દરોડા પાડી કુલ ઈંગ્લીશ દારૂની નાની મોટી 11પ બોટલ કબજે કરી છે અને આઠ જેટલા શખ્સોની મુદામાલ સાથે ધરપકડ કરી છે.
જામનગર સીટી એ ડિવિઝન પોલીસે દિગ્વિજય પ્લોટ શેરી નંબર 42 માં રજા મેન્શન પાસે રહેણાંક મકાનમાં રેડ પડી હતી. આ દરમિયાન યોગેશ્વર રમણીકલાલ વિઠલાણીના રહેણાંક મકાનમાંથી 3500ની કિંમતની 7 બોટલ તથા 31 ચપલા દારૂ સહિત 6600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે વધુ તપાસ કરતા અશોક ઉર્ફે મિર્ચી ખટાઉભાઈ મંગે નામના શખ્સનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં દારૂની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે કિસાન ચોકમાં આવેલ માલદે ભુવન શેરી નંબર ત્રણમાં રેડ પાડી હતી. આ વેળાએ 12000 ની કિંમતની 24 બોટલ દારૂના જથ્થા સાથે નીકળેલ કરણ ગુલાબભાઈ ડાભી નામના કોડીના દંગા પાસે સોનલ નગર મેઈન રોડ સર્કલ જામનગરમાં રહેતા શખ્સને પકડી પાડ્યો હતો.
આ ઉપરાંત પોલીસે દારૂ સંબંધીત વધુ એક દરોડો કિસાન ચોકમાં નંદા બ્રધર્સ વાળી ગલીમાં પાડ્યો હતો. જ્યાં રવિ અમરીશભાઈ ધેયડા નામના શખ્સના કબજામાંથી 24 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધી હતો.પોલીસે 12 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી આદરી છે. આ ઉપરાંત જામનગર શહેરના વિશ્રામ વાડી વિસ્તારમાં રહેતા ક્રિષ્ના ઉર્ફે એકો મહેન્દ્ર ગોરી ના રહેણાંક મકાનમાંથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો. જોકે આરોપી હાજર મળ્યો ન હતો.
તેજ રીતે દિગ્વિજય પ્લોટ 58 માં આવેલ બાળકોના સ્મશાન પાસેથી સુરેશ ઉર્ફે સુરિયો ગંગારામ જોશી દારૂૂની બોટલ સાથે પકડાયો હતો. જ્યારે દર્શન ઉર્ફે ખેતો હરીશભાઈ ચાંદરાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ આદરી છે. તો નાગર ચકલા પાસે જાહેરમાં દારૂની બાટલી સાથે નીકળેલા કૃણાલ મહેશભાઈ ઝીંઝુવાડીયાને પોલીસે પકડી પાડ્યો હતો.
મેઘપર પોલીસે મોટીખાવડી ગામે આવેલ નાગાર્જુન પેટ્રોલ પંપ પાછળ નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજાની ટ્રાન્સપોર્ટ ની ઓફિસમાં રેડ પડી હતી જ્યાં ત્રણ બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. મેકર પોલીસે નરેન્દ્રસિંહ જાડેજા તેમજ નવલભાઇ ખેરાભાઈ બુજડ નામના બંને શખ્સોની અટક કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સીટીસી ડિવિઝન પોલીસે અંતરાશ્રમ ફાટક પાસે આવાસ કોલોની બ્લોક નંબર 51 માં બીપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયાના મકાનમાં રેડ પડી હતી. જ્યાં તપાસ હાથ ધરતા 9200 ની કિંમતની 23 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પરિસ્થિતિ પારખી આરોપી બીપીન હાજર ન મળતા તેમને ફરારી જાહેર કરાયો છે.
Uncategorized
વડાપ્રધાનની સભા પહેલાં કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ પાંચ આતંકી ઢેર
બારામુલ્લા અને કઠુઆમાં સેનાની કાર્યવાહી, બે જવાનની શહીદીનો બદલો લેવાયો
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આજે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે ઉત્તર કાશ્મીર જિલ્લાના પટ્ટન વિસ્તારમાં ચક ટેપર કરીરીમાં ગોળીબાર શરૂૂ થયો હતો. આ ઓપરેશન હાલ ચાલુ છે.
Uncategorized
શહેરમાં ગાબડારાજ: પ્રજાના કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય
સરકારે પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી..
જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની હાલત દિનપ્રતિદિન વણસતી જાય છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ ઉબડખાબડ બની ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો સ્થિતિ વધુ ગંભીર છે. લોકોને સ્વયંભૂ ખાડા પૂરવાની ફરજ પડી છે. શહેરી વિસ્તારોમાં સરકાર દ્વારા માર્ગોની મરામત માટે નાણા ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ નાણાંનો ઉપયોગ કેટલી હદે થશે તે અંગે શંકાઓ વ્યક્ત થઈ રહી છે.
સરકારી તંત્ર દ્વારા પ્રેસ રિલીઝ અને અન્ય માધ્યમો દ્વારા સતત માહિતી આપવામાં આવે છે, પરંતુ આ માહિતીમાં મોટાભાગે કરાયેલી કામગીરીની વાહવાહી અને આંકડાઓની માયાજાળ જોવા મળે છે. વાસ્તવિક સ્થિતિ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટે લેવામાં આવતા પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને મળતી નથી. મેયર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પંચાયતના પ્રમુખો, કલેક્ટરો વગેરેએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા વાસ્તવિક સ્થિતિ જાહેર કરવી જોઈએ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની માહિતી આપવી જોઈએ.
લોકો સરકારી તંત્ર પાસેથી વાસ્તવિક માહિતી અને કાર્યક્ષમ કામગીરીની અપેક્ષા રાખે છે. લોકો સરકારી તંત્રની ઢીલાશ અને ભૂલો સ્વીકારવા તૈયાર છે, પરંતુ તેને છુપાવવાના પ્રયાસો સામે વિરોધ કરે છે. સરકારી તંત્રને લોકોની અપેક્ષાઓને પૂરી કરવા માટે વધુ પારદર્શી અને જવાબદાર બનવું જરૂૂરી છે. વાસ્તવિક સ્થિતિ સ્વીકારવી અને તેના સંદર્ભમાં તત્કાળ પગલાં લેવા, કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને આપવી અને પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી છે.
પ્રશાસનિક અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરવો જોઈએ. જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની દયનીય સ્થિતિ પાછળ સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર જવાબદાર છે. પ્રજાનાં કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે લોકોએ એક થઈને સરકારને જવાબદાર બનાવવી પડશે.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય11 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો