માલદીવ સરકારે ભારતને ત્રીજી વખત 400 મિલિયન ડોલરના ચલણ સ્વેપ કરારનો કાર્યકાળ લંબાવવા વિનંતી કરી છે. જોકે ભારતે હજી સુધી આ વિનંતી અંગે કોઈ સત્તાવાર નિવેદન કે જવાબ જાહેર કર્યો નથી. કરારની શરતોને ધ્યાનમાં રાખીને, આ સમયગાળો ફરી એકવાર લંબાવવો એ ભારત માટે એક પડકારજનક સંભાવના માનવામાં આવે છે. આ વર્ષે માલદીવમાં ભારતનું સૌથી મોટું બાકી રોકાણ છે.
માલદીવ સરકારે સપ્ટેમ્બર 2026 પહેલા 50 મિલિયન ડોલરના બે ટ્રેઝરી બિલ ચૂકવવા પણ જરૂૂરી છે. વર્તમાન આર્થિક વાતાવરણને જોતાં, આ જવાબદારીઓની સમયસર ચુકવણી અંગે અનિશ્ચિતતા યથાવત છે.માલદીવ હાલમાં મોહમ્મદ મુઇઝુના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા સંચાલિત છે, જેમણે સપ્ટેમ્બર 2023ની ચૂંટણીમાં ’ઇન્ડિયા આઉટ’ ઝુંબેશ સાથે વિજય મેળવ્યો હતો. પદ સંભાળ્યા પછી, તેમણે માલદીવમાં તહેનાત ભારતીય લશ્કરી કર્મચારીઓને દેશ છોડી દેવાનો નિર્દેશ આપ્યો હતો. વધુમાં, ભારત દ્વારા પૂરા પાડવામાં આવેલા હેલિકોપ્ટર, વિમાન અને નૌકાદળના જહાજો પરત કરવાની ઓફર કરવામાં આવી હતી.
ત્યાં તહેનાત ભારતીય લશ્કરી કર્મચારીઓને નાગરિક મિશન માટે તહેનાત કરવામાં આવ્યા હતા. મુઇઝુએ તેમની પહેલી વિદેશ મુલાકાત માટે ભારત કરતાં ચીનને પ્રાથમિકતા આપી, જે દ્વિપક્ષીય સંબંધોમાં પરિવર્તનનો સંકેત આપે છે.
