સ્વ. વિજયભાઇના વૈકુંઠ રથને 500 કિલોથી વધુના ફૂલોથી શણગારાયો

ફૂલોની વિવિધ જાતનો ઉપયોગ કરાયો : રવિવારથી જ સેવકો લાગ્યા હતા શણગારવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીના અંતિમ સંસ્કાર આજે રાજકોટમાં કરવામા આવ્યા હતા. તેમના…

ફૂલોની વિવિધ જાતનો ઉપયોગ કરાયો : રવિવારથી જ સેવકો લાગ્યા હતા શણગારવા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીના અંતિમ સંસ્કાર આજે રાજકોટમાં કરવામા આવ્યા હતા. તેમના મૃત્યુથી શહેર શોકમાં છે. લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમની અંતિમયાત્રામા જોડાયા હતા . રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીને ભાવનાત્મક વિદાય આપવાની તૈયારીઓ તેમના શબવાહિનીને સજાવવાનું કામ હેમંત શુકનગઢ અને તેમની ટીમ દ્વારા કરવામા આવ્યુ હતુ.

હેમંતે કહ્યું કે આ તેમના માટે દુ:ખદ ક્ષણ છે, પરંતુ તેઓ વિજય ભાઈને આદરપૂર્વક વિદાય આપવા માંગે છે. તેમના મતે, શબવાહિનીને સજાવવા માટે ઊટી, મધ્યપ્રદેશ, પુણે અને વિદેશથી ફૂલો લાવવામા આવ્યા હતા. લગભગ અડધા ટન ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમા ફૂલોની ઘણી જાતોનો સમાવેશ થાય છે. રવિવાર બપોરથી 15-20 લોકો આ કામમાં રોકાયેલા હતા.

હેમંતે કહ્યું વિજય ભાઈનું નિધન ગુજરાત અને સમગ્ર દેશ માટે મોટું નુકસાન છે. અમે તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેમણે કહ્યું કે છેલ્લી યાત્રા સાંજે 5 વાગ્યે શરૂૂ થશે અને ગ્રીન લાઇન ચોકડીથી પાર્વતી ચોક, ટ્રસ્ટની સામે અને મહાદેવ મંદિર થઈને રામનાથપુરા પહોંચશે. આ યાત્રા લગભગ 10 કિલોમીટરની હશે અને લગભગ દોઢ કલાકમાં પૂર્ણ થશે. રસ્તામાં લોકો વિજય રૂૂપાણીને શ્રદ્ધાંજલિ આપશે. હેમંતે કહ્યું, આ ફક્ત એક રસ્તો નથી, પરંતુ વિજય ભાઈની જીવનયાત્રા છે. તેમણે દરેક પગલે સમાજ માટે કામ કર્યું અને પોતાની છાપ છોડી. વિજય રૂૂપાણીનું જીવન સમાજ સેવાને સમર્પિત હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *