રાજકોટ લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક આગામી 25 ના રોજ યોજાશે. આ બેઠકમાં 100થી પણ વધુ કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવશે. તેમજ સરકારને નવી માર્ગદર્શિકા પ્રમાણે અરજદારોને રૂૂબરૂૂ પણ સાંભળવામાં આવશે 25 જેટલા અરજદારોને રૂૂબરૂૂ સાંભળવા માટે બોલાવવામાં આવશે.
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગની પ્રથમ બેઠક આગામી 25મીના રોજ યોજાશે એક સાથે 100 જેટલા કેસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. તેમજ રાજ્ય સરકારને નવી માર્ગદર્શિકા પ્રમાણે 25 જેટલા અરજદારોને લેન ગ્રેબિંગની બેઠક દરમિયાન રૂૂબરૂૂ પણ બોલાવવામાં આવશે. અને બંને પક્ષોને સાંભળવામાં આવશે ત્યારબાદ કાર્યવાહીની પ્રક્રિયા હાથ ધરવામા આવશે.