ઇરાનમાં ઇઝરાયેલી હુમલાના ભયે ખામેનેઇની દફનવિધિ મોકૂફ

લાખો લોકો એકત્ર થવાનો અંદાજ, ટૂંક સમયમાં નવી તારીખ જાહેર થશે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇના તેહરાનમાં અંતિમ વિધી મુલતવી રાખવામાં આવી છે. તેમની…

લાખો લોકો એકત્ર થવાનો અંદાજ, ટૂંક સમયમાં નવી તારીખ જાહેર થશે

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇના તેહરાનમાં અંતિમ વિધી મુલતવી રાખવામાં આવી છે. તેમની અંતિમ વિધીની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઇઝરાયલી અને અમેરિકન હુમલામાં માર્યા ગયેલા અલી ખામેનેઇને ઈરાનના મશહદમાં દફનાવવામાં આવશે. તેહરાનની ઇસ્લામિક વિકાસ સંકલન પરિષદના વડા મોહસેન મહમૂદે મીડિયાને જણાવ્યું હતું કે આનું એક મુખ્ય કારણ લાખો લોકોની અપેક્ષિત હાજરી છે. ત્યારે અમેરિકા- ઇઝરાયેલના હુમલાના ભયે દફનવિધી હાલ મુલતવી રાખવામાં આવી છે.
ખામેનેઇની દફન વિધીની તૈયારીઓ ચાલી રહી છે અને મોટી ભીડની અપેક્ષા છે.

જેના કારણે અંતિમ વિધી પર યુએસ અને ઇઝરાયલી હુમલાઓનું જોખમ વધી રહ્યું છે. 1989માં આયાતુલ્લાહ રુહોલ્લાહ ખામેનેઇની અંતિમ વિધીમાં આશરે 10 મિલિયન લોકો હાજર રહ્યા હતા.

ઈરાનના ઇસ્લામિક પ્રચાર પરિષદના વડા હોજ્જતોલેસ્લામ મહમૂદે અગાઉ જણાવ્યું હતું કે, વિદાય સમારંભ રાત્રે 10 વાગ્યે તેહરાનના ઇમામ ખોમેનેઇની પ્રાર્થના હોલમાં શરૂૂ થશે અને ત્રણ દિવસ સુધી ચાલશે. મહમૂદે કહ્યું હતું કે પ્રાર્થના હોલ મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે અને પ્રિયજનો વિદાય સમારંભમાં હાજરી આપી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *