જામનગરનો બ્રાસ ઉદ્યોગ મંદીના અજગર ભરડામાં: હજારો કારીગરો બેરોજગાર

એક સમયે વિશ્વભરમાં તેનું નામ રોશન કરનાર જામનગરનો બ્રાસ ઉદ્યોગ આજે મંદીના ભરડામાં સપડાયો છે. વધતી સ્પર્ધા અને માંગમાં ઘટાડાને કારણે હજારો કારખાનાઓ બંધ થવાની…

એક સમયે વિશ્વભરમાં તેનું નામ રોશન કરનાર જામનગરનો બ્રાસ ઉદ્યોગ આજે મંદીના ભરડામાં સપડાયો છે. વધતી સ્પર્ધા અને માંગમાં ઘટાડાને કારણે હજારો કારખાનાઓ બંધ થવાની આરે છે. જામનગરમાં બ્રાસ પાર્ટ્સનું ઉત્પાદન મોટા પાયે થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. માંગમાં ઘટાડો થતાં અને કાચા માલના ભાવમાં વધારો થતાં ઉદ્યોગકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. પરિણામે, ઘણા કારખાનાઓને બંધ કરવાની નોબત આવી છે.આ સ્થિતિને કારણે હજારો કારીગરો બેરોજગાર થઈ ગયા છે. આ ઉપરાંત, ઉદ્યોગકારોને પણ ખર્ચ કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. દિવાળી પછીથી ઘણા કારખાનાઓ હજુ સુધી શરૂૂ થયા નથી. વધતી સ્પર્ધા, કાચા માલના ભાવમાં બેફામ વધારો અને પ્રોડશન સામે તૈયાર માલની માંગમાં ઘટાડાને કારણે આ ઉદ્યોગ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જેના કારણે હજારો કારીગરો બેરોજગાર થઈ રહ્યા છે.


જામનગરનો બ્રાસ ઉદ્યોગ વિશ્વભરમાં તેની ઉચ્ચ ગુણવત્તા માટે જાણીતો છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન જેવા દેશોના ઉદ્યોગો સાથેની સ્પર્ધાને કારણે આ ઉદ્યોગને ભારે નુકસાન થયું છે. ચીનના ઉત્પાદકો સસ્તા ભાવે ઉત્પાદન કરીને બજારમાં પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે. મોંઘવારી અને કાચા માલના ભાવમાં થયેલા વધારાએ ઉત્પાદન ખર્ચમાં વધારો કર્યો છે. જેના કારણે ઉત્પાદકોને તેમના ઉત્પાદનો મોંઘા ભાવે વેચવા પડે છે. પરંતુ વધતી સ્પર્ધાને કારણે તેઓ તેમના ઉત્પાદનો મોંઘા ભાવે વેચી શકતા નથી. જેના કારણે તેમને નુકસાન થઈ રહ્યું છે.આ બધી પરિસ્થિતિઓને કારણે જામનગરનો બ્રાસ ઉદ્યોગ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. હજારો કારીગરો બેરોજગાર થઈ રહ્યા છે અને ઉદ્યોગો બંધ થવાની સ્થિતિમાં છે. સરકારે આ સમસ્યાના ઉકેલ માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂૂર છે.

આર્થિક પેકેજ જાહેર કરવા માંગ

જામનગરનો પ્રખ્યાત બ્રાસ ઉદ્યોગ મંદીના ભરડામાં સપડાયો છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારીગરો અને ઉદ્યોગકારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિમાં ઉદ્યોગકારો સરકાર પાસેથી આર્થિક પેકેજની માંગ કરી રહ્યા છે. ઘણા વર્ષોથી જામનગર બ્રાસ ઉદ્યોગ ગુજરાતનું ગૌરવ રહ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. વધતી જતી સ્પર્ધા, કાચા માલના ભાવમાં વધારો અને મંદીના કારણે ઉદ્યોગકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે, તેઓ સરકારને હંમેશા ટેક્સ ચૂકવતા આવ્યા છે, પરંતુ જ્યારે તેઓ મુશ્કેલીમાં છે ત્યારે સરકાર તેમને મદદ કરવામાં નિષ્ફળ જાય છે. ઉદ્યોગકારોએ સરકાર પાસેથી આર્થિક પેકેજ, વ્યાજ સબસિડી, કાચા માલ પર સબસિડી અને વિદેશી બજારોમાં પ્રવેશ મેળવવા માટે સહાયની માંગ કરી છે. આ સમસ્યાના નિરાકરણ માટે સરકારે તાત્કાલિક પગલાં ભરવાની જરૂૂર છે. જો સરકારે સમય રહેતાં કોઈ પગલાં ન લીધા તો આ ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ થઈ જવાની શક્યતા છે. આનાથી હજારો કારીગરો અને ઉદ્યોગકારો બેરોજગાર થઈ જશે અને જામનગરનું અર્થતંત્રને પણ મોટું નુકસાન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *