એસ.વી. રાજપૂતને પો.ઇન્સ. સાયબર ક્રાઇમને વધારાનો ચાર્જ સોંપાયો
જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેકટરોની બદલી થયેલ છે તેમાં 1. એલસીબીના એમ.વી.પટેલને પ્રભાસપાટણ પો. સ્ટે.માં બદલી થયેલ છે. 2. ઉના પો. સ્ટે.ના એમ.એન. રાણા લીવ રિઝર્વમાં છે. 3. પ્રભાસપાટણના એન.બી. ચૌહાણને ઉના પો. સ્ટે.માં બદલી થયેલ છે. 4. ગીરગઢડાના યુ.બી. રાવલને સોમનાથ મંદિર સુરક્ષામાં બદલી થયેલ છે અને 5. વેલણ આઉટ પોસ્ટ (કોડીનાર પો. સ્ટે.)નાપો. સબ ઈન્સ. એચ.એલ. જેબલિયાને ગીરસોમનાથ એલસીબીમાં બદલી થયેલ છે.એલસીબી ઈન્સન્સ્પેકટરની બદલી કરાતા તેમના હસ્તકનો ચાર્જ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી એસ.વી. રાજપુત પો. ઈન્સ. સાયબર ક્રાઈમ પોતાની ફરજ ઉપરાંત વધારાનો ચાર્જ સંભાળવાનો રહેશે.
