ભાવનગરમાં વર્ક્યો વ્યાજંકવાદ, પઠાણી ઉઘરાણી સાથે કરાયો હુમલો

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે લીધેલ રકમ ચૂકવી આપી હોવા છતાં વધુ રકમની માંગણી કરી ત્રણ શખ્સે હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી…


ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે લીધેલ રકમ ચૂકવી આપી હોવા છતાં વધુ રકમની માંગણી કરી ત્રણ શખ્સે હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે.


આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ કે.પી.ઈ.એસ. કોલેજની પાછળના ભાગે રહેતા યુવાન યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એ ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા કૃણાલ ભટ્ટ પાસેથી રૂા.20,000/-20 ટકાના વ્યાજે લીધા હતા અને ઓનલાઇન તેમજ રોકડ મળી કુલ રૂ.40,000/- પરત આપી દીધા હોવા છતાં તેની પાસે વધુ રૂા.20,000/- ની પઠાણી ઉઘરાણી કરતા હતા.

ગઈકાલે યુવરાજસિંહ ગોહિલ તેના મિત્ર સાથે સરદારનગર વિસ્તારમાં બેઠા હતા ત્યારે સંદીપ બાબરીયા એ ફોન કર્યા બાદ કૃણાલ ભટ્ટ, સંદીપ બાબરીયા અને વિશાલ ભરવાડ બાઈક ઉપર આવ્યા હતા અને રૂા.20,000/- ની ઉઘરાણી કરી સંદીપ બાબરીયા અને વિશાલ ભરવાડે હાથમાં પહેરેલ કડા વડે માર મારી ઇજા પહોંચાડી હતી અને ધમકી આપી જતા રહ્યા હતા.


આ બનાવ અંગે યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલે કૃણાલ ભટ્ટ, સંદીપ બાબરીયા અને વિશાલ ભરવાડ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *