ગુજરાત
રાજકોટમાં 20 કરોડના ખર્ચે બનેલ ‘ઉમાભવન’નું લોકાર્પણ
ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના કાર્યાલયનો પણ પ્રારંભ: સિદસર ખાતે ડિસેમ્બર-2024માં ઉજવાશે સેવા શતાબ્દી મહોત્સવ
કડવા પાટીદાર આસ્થાનું કેન્દ્ર ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્રારા થતા સામાજીક સેવાકીય પ્રવૃતિઓ માટે રાજકોટ ખાતે રૂૂા. 20 કરોડના ખર્ચે નિર્માણાધીન ‘ઉમા ભવન’ નું તા. 13 ઓકટોબર દશેરાના દિવસે મુખ્યદાતા જીવનભાઈ ગોવાણીના હસ્તે લોકાર્પણ થયું હતું.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ સમાજ વ્યવસ્થાઓ તથા પાટીદાર સંસ્થાઓની ભૂમીકા અંગે વકતવ્ય આપ્યું હતું. ઉમિયા માતાજી મંદિર સિદસરના રાજકોટ કાર્યાલય તરીકે આધુનીક સુવિધા સભર રૂૂા. 20 કરોડના ખર્ચે નિર્માણાધીન ‘ઉમા ભવન’ નું લોકાર્પણ તથા દાતા સન્માન કાર્યક્રમમાં મુખ્ય દાતા જેઠીબેન ગોરધનભાઈ ગોવાણી પરિવારના જીવનભાઈ ગોવાણી તથા દિપકભાઈ ગોવાણી, પ્રાર્થનાહોલના દાતા લાભુબેન ડાયાભાઈ ઉકાણી પરિવારના સોનલબેન તથા મૌલેશભાઈ ઉકાણી, વહીવટી કાર્યાલયના દાતા મગનલાલ મોહનભાઈ ફળદુ (ટોટાવાળા) પરિવાર, શૈક્ષણિક પ્રવૃત્તિ ફલોરના ઓરપેટ ઓમની ઉચ્ચ શિક્ષણ સહાયક ટ્રસ્ટ-રાજકોટ, ઉતારા ફલોરના દાતા ધનજીભાઈ આણંદજીભાઇ માકાસણા (પૂર્વ ધારાસભ્ય), પ્રાર્થના હોલ વિંગ-5 દાતા સનહાર્ટ ગ્રુપ, મીટીંગ હોલના દાતા સ્વ ઠાકશીભાઇ નરશીભાઈ ધમસાણીયા પરિવાર, ટ્રસ્ટ ઓફિસના દાતા ફાલ્કન ગ્રુપના જગદીશભાઈ કોટડીયા, લીફટના દાતા ભૂપતભાઈ ભાયાણી પરિવારનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આગામી ડીસેમ્બરમાં યોજાનારા શ્રી સવા શતાબ્દી મહોત્સવ પૂર્વ રાજકોટ ખાતે ઉમાભવનનું લોકાર્પણ અને દાતાઓના સન્માન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરૂશોતમભાઇ રૂપાલાએ પ્રાસંગિક પ્રવચન ર્ક્યુ હતું.
પ્રાસંગીક ઉદ્બોધન કરતા ઉમિયા માતાજી સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાએ જણાવ્યુ હતુ કે આગામી 2પથી 28 ડીસેમબર દરમ્યાન ઉમિયાધામ સિદસર ખાતે યોજાનાર શ્રી સવા શતાબ્દી મહોત્સવની સાથે-સાથે પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે રૂૂા. પ00 કરોડની ત્રીજી સમૃધ્ધી યોજના અમલી બનાવાય છે જે અંતર્ગત ઉમિયા ધામ સિદસર ખાતે રૂૂા. 60 કરોડ, રાજકોટના ઇશ્વરીયા ખાતે શૈક્ષણીક પ્રોજેકટ માટે રૂૂા. 125 કરોડ, રાજકોટમાં ગોવાણી કુમાર છાત્રાલયના નવનિર્માણ માટે રૂૂા. 40 કરોડ તથા અમદાવાદમાં 1000 દિકરા-દિકરીઓ માટે છાત્રાલય નિર્માણ માટે રૂૂા. 1રપ કરોડના કાર્યો થશે. ઉમિયાધામ સિદસરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયાએ શ્રી સવા શતાબ્દી મહોત્સવ થકી પાટીદાર સમાજને એક છત્ર હેઠળ લાવી સહીયારા પુરૂૂષાર્થ થકી સમાજ ઉપયોગી પ્રવૃત્તિની કેડી કંડારવા આહવાન કર્યુ હતુ.
ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ ઉમાભવનના દાતાઓની દિલેરીને બિરદાવતા કહયુ હતુ કે પૈસાના ત્રણ પ્રકાર છે. પૈસા વેડફવા, પૈસા વાપરવા, અને પૈસાને વાવવા આ તમામ માં પૈસાને દાન દ્વારા ’વાવી’ સહભાગી થનાર દાતાઓ ઉતમ સમાજ વ્યવસ્થામાં મદદરૂૂપ બને છે તેમ જણાવ્યુ હતુ. પાટીદાર સમાજમાં સમૃધ્ધિ યોજનાના વિચારને 1999 માં અમલી બનાવનાર પૂર્વ કલેકટર અને ઉમિયાધામ સિદસરના ટ્રસ્ટી બી.એચ.ધોડાસરા એ સામાજીક, શૈક્ષણીક, આરોગ્યલક્ષી, સેવાકીય, પ્રવૃત્તિ માટે સમૃધ્ધિ યોજનાનું મહત્વ સમજાવ્યુ હતુ, ઉમા ભવનના મુખ્યદાતા જીવનભાઈ ગોવાણી એ જણાવ્યુ હતુ કે નાનપણમાં માતા જેઠીબેન ગોવાણીની શીખ તેમના માટે પ્રેરણારૂૂપ બની હતી કે ’કુંવા માંથી જેટલું પાણી ઉલેચશો તેટલું નવું આવશે’ બસ ત્યારથી જીવનભાઈ તથા ગોવાણી પરિવાર તેમની સંપતિ સમાજ ઉપયોગી કાર્યોમાં દાન કરે છે.
ઉમિયાધામ સિદસરના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ એ લોકાર્પણ તથા દાતા સન્માન સમારોહમાં સ્વાગત પ્રવચનમાં ડીસેમ્બર-2024, માં ઉમિયાધામ ખાતે યોજાનારા સવા શતાબ્દી મહોત્સવની માહીતી આપી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ચીમનભાઈ શાપરીયા, અરવિંદભાઈ પટેલ, નંદલાલભાઈ માંડવીયા, નાથાભાઇ કાલરીયા, વલ્લભભાઈ વડાલીયા ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટી કૌશીકભાઈ રાબડીયા, તથા આભારવિધિ ટ્રસ્ટી રમેશભાઈ રાણીપા એ કરી સમગ્ર કાર્યક્રમ વ્યવસ્થા ઉમિયા પરિવાર મહિલા સંગઠન પ્રમુખ સરોજબેન મારડીયા, મનસુખભાઈ કાલરીયા, ઓધવજીભાઈ ભોરણીયા, બ્રિજેશ રોજીવાડીયા, અતુલ દેત્રોજા, પીયુષ સીતાપરા સહીતની ટીમે સંભાળી હતી.
ગુજરાત
વરસાદ સાથે ત્રાટકેલી વીજળીએ બે ભોગ લીધા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ પણ ચાલુ રહેલા કમોસમી વરસાદ સાથે ત્રાંટકેલી વિજળીએ સૌરાષ્ટ્રમાં બે લોકોના ભોગ લીધા છે. વિસાવદર તાલુકાના સરસઈ ગામે તથા તળાજાના દેવળિયા ગામે વિજળી પડવાથી બે મહિલાના મોત થયા છે. બીજી તરફ આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન 41 તાલુકામાં ઝાપટાથી માંડી બે ઈંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કોટડા સાંગાણી-માણાવદરમાં બે ઈંચ, રાણાવાવ, જામકંડોરણા, માળિયા હાટીના, જગડિયા, કુકાવાવ, અમરેલી, જૂનાગઢ, માંગરોળ અને ઓલપાડમાં એકથી બે ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. જ્યારે વિસાવદરના સરસઈ ગામે વિજળી પડતા મજુર મહિલાનું તેમજ ભાવનગરના દેવળિયા ગામે વિજળી પડતા મહિલાનું મોત થયું હતું.
કોટડાસાંગાણી
કોટડાસાંગાણી માં સવારથી ગરમી નો ઉકરાટ અને સવારથી બપોરના સુમારે તરકો અને ગરમી નો ઉકરાટથી એકાએક સાંજના સુમારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા સાંજ ના સમયે 6 વાગ્યાથી વરસાદી વાતાવરણ થયેલ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને 6 થી 7 વાગ્યા સુધી ડોટ ઈંચ જેટલો વરસાદ પડેલ વીજળી ના કરાકાભરક સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો એક કલાક માં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.
બગસરા
બગસરા શહેરમાં સવારથી અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બપોર બાદ બગસરા તેમજ આજુ બાજુના ગામો જેવાકે સાપર, સુડાવડ, મૂંજીયાસર, રાફળા, માણેકવાડા, જેવા ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પાડ્યો હતો. જેના હિસાબે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અને શહેરના મુખ્ય માર્ગો ઉપર જાણે નદી વહેવા લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળિયા હતા.જયારે ખેડૂતોની માઠી દશા બેસી ગઈ છે. બે દિવશ પહેલા જ 3.5 ઇંચ જેવો વરસાદ પડેલ હતો ત્યાર બાદમાં એક દિવશના વિરામ બાદ આજે ફરી પાછો અડધી કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જેના પગલે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. અને કુદરતે જાણે મોઢામાં આપેલ કોળિયો છીનવી લીધો હોય તેમ કપાશ,માંડવી તેમજ સોયાબીન જેવા પાકોમાં વ્યાપક નુકશાન થયું છે. જેના લીધે ખેડૂતો પાયમાલ થઇ ગયા છે.
દેવળિયા ગામે વીજળી પડતા મહિલાનું મોત
ભાવનગર જિલ્લાના દેવળીયા ગામે વિજળી પડતાં મહિલા નું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ના દેવળીયા ગામે ખેત મજૂરી કરતા દયાબેન ભીમજીભાઈ મકવાણા ઊં.વ.50 ઉપર વીજળી પડતા તેણી નું કરુણ મોત નિપજ્યું હતું. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 35.7 ડીગ્રી રહ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 28.0 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 61% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 10 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
ગુજરાત
ખંભાળિયામાં ઝેરી ટીકડા ખાઈ આપઘાત
ખંભાળિયામાં આવેલી કણઝાર હોટલ પાસે રહેતા પ્રકાશભાઈ ધીરજલાલ જાદવાણી નામના 40 વર્ષના યુવાને ગત તારીખ 16 ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવાના ટીકડા પી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ કિશોરભાઈ ધીરજલાલ જાદવાણી (ઉ.વ. 50, રહે. જામપર) એ અહીંની પોલીસને કરી છે.
બાઈક સ્લીપ
ઓખા મંડળના મીઠાપુર નજીક આવેલા મૂળવેલ તથા મૂળવાસર ગામ વચ્ચે જી.જે. 37 એલ 3696 નંબરના મોટા સાયકલ લઈને જઈ રહેલા રઘુકુમાર નરેશ પ્રસાદ કુસવાહા (મૂળ રહે. બિહાર, હાલ સુરત) એ પોતાનું મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા આ મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું. જેના કારણે બાઇકની પાછળ બેઠેલા તેમના મિત્ર હરીસંગભા નાગશીભા કેરને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત બાદ આરોપી રઘુકુમાર તેનું મોટરસાયકલ લઇને નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મૃતક હરીસંગભાના પિતા નાગશીભા કાયાભા કેર (ઉ.વ. 64, રહે. હાલ જામનગર, મૂળ રહે. ગોરીંજા – દ્વારકા)ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે આરોપી બાઈક ચાલક રઘુકુમાર નરેશ પ્રસાદ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત દ્વારા હાથ ધરવામાં આવી છે.
ક્રાઇમ
ગુજરાતમાં ડ્રગ્સ બનાવી 7 રાજ્યમાં મોકલવાના કાવતરાનો પર્દાફાશ
દુબઇથી વિરેન્દ્ર વસોયા ઉર્ફે વીરૂ યુકેના સતવિંદર મારફતે ડ્રગ્સ ઘુસાડતો હતો: ગુજરાતમાં ફાર્મા કંપનીમાં રીફાઇન કરીને દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં સપ્લાય કરાતું હતું
દુબઈ સ્થિત ગેંગસ્ટર વિરેન્દ્ર બસોયા ઉર્ફે વીરુની સૂચના પર યુકેનો દાણચોર સતવિંદર તેને દરિયાઈ માર્ગે ગુજરાતમાં પહોંચાડતો હતો. ગુજરાતમાંથી તેને દિલ્હી અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી હતી.
દિલ્હી અને ગુજરાતમાંથી 13 હજાર કરોડ રૂૂપિયાના ડ્રગ્સ ઝડપાયાના મામલામાં નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન, સ્પેશિયલ સેલને જાણવા મળ્યું કે દાણચોરોનું નેટવર્ક દિલ્હી, પંજાબ, કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ફેલાયેલું છે. પભારતનો નકામા માલથ સૌથી પહેલા ગુજરાતમાં પહોંચ્યો હતો.
આ નેટવર્કમાં આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક દાણચોરોનો સમાવેશ થાય છે. દુબઈ સ્થિત કિંગપિન વીરેન્દ્ર બસોયા ઉર્ફે વીરુની સૂચના પર, યુકેનો દાણચોર સતવિંદર તેને દરિયાઈ માર્ગે ગુજરાતમાં લઈ જતો હતો, જ્યાં કાચા માલને ફાર્માસ્યુટિકલ કંપનીમાં રિફાઈન કરીને દિલ્હી મોકલવામાં આવતો હતો, જેનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ થતો હતો. દાણચોરી આ પછી તેને અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવ્યો હતો. હજુ પણ ઘણા આરોપીઓ ફરાર છે.
કોકેઈનનું ક્ધસાઈનમેન્ટ ગુજરાતમાં પહોંચાડનારા અનેક ફરાર આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓએ એવો પણ ખુલાસો કર્યો છે કે અત્યાર સુધીમાં ઝડપાયેલા લગભગ 1,300 કિલો કોકેઈનનું ક્ધસાઈનમેન્ટ દક્ષિણ અમેરિકન દેશોના દાણચોરો દ્વારા ગુજરાતની ડ્રગ્સ કંપનીમાં પહોંચાડવામાં આવ્યું હતું. જોકે, આ ગેંગનો પર્દાફાશ થતાં જ નેટવર્ક સાથે સંકળાયેલા ઘણા મોટા ખેલાડીઓ, ખાસ કરીને યુકેના નાગરિકો અને તેના નેટવર્ક સાથે સંકળાયેલા દાણચોરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગુજરાતમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ – વિજય ભેસનિયા, અશ્વની રામાણી, બ્રિજેશ કોઠિયા, મયુર દેસલે અને વડોદરાના રહેવાસી અમિત – યુકે સ્થિત હેન્ડલર્સ સાથે નજીકના સંબંધો ધરાવતા હતા.
ટોળકીના કોઈને પણ ખબર ન હતી કે કોણ શું કામ કરે છે. વાસ્તવમાં, આ નેટવર્ક મુખ્યત્વે દુબઈના વીરેન્દ્ર બસોયા, યુકેના સતવિંદર અને ભારતના તુષાર ગોયલ દ્વારા સંચાલિત હતું. ત્રણેયનું પોતાનું અલગ નેટવર્ક હતું. ત્રણેય લોકલ નેટવર્ક સાથે જોડાયેલા લોકો સાથે કોડ વર્ડ્સમાં વાત કરતા હતા. દાણચોરીને છુપાવવા માટે આનો ઉપયોગ સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે થતો હતો. અત્યાર સુધીમાં 13 હજાર કરોડ રૂૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરે સ્પેશિયલ સેલે દિલ્હીના મહિપાલપુરમાં એક વેરહાઉસમાંથી 560 કિલોથી વધુ કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો. તેની કિંમત 5,620 કરોડ રૂૂપિયા આંકવામાં આવી હતી અને ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં અન્ય બે અમૃતસર અને ચેન્નાઈમાંથી ઝડપાયા હતા. આ કેસમાં હજુ પણ ઘણા તસ્કરો ફરાર છે, જેમને સ્પેશિયલ સેલ શોધી રહી છે.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
રાષ્ટ્રીય18 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય18 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત