22 ફેબ્રુ.થી 23 માર્ચ સુધી રમાશે ICC, ODI વર્લ્ડ કપના ક્વોલિફાયર મેચ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આગામી 2027 ODI વર્લ્ડ કપ માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે અને ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર આપતા વર્લ્ડ…

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આગામી 2027 ODI વર્લ્ડ કપ માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે અને ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર આપતા વર્લ્ડ કપ ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આવતા વર્ષે રમાનારા આ મહાકુંભ પહેલાં, 10 ટીમો વચ્ચે 22 ફેબ્રુઆરીથી 23 માર્ચ, 2027 દરમિયાન ક્વોલિફાયર મેચો રમાશે. આ વખતે વર્લ્ડ કપ સંપૂર્ણપણે નવા ફોર્મેટમાં જોવા મળશે, જેમાં કુલ 14 ટીમો ક્રિકેટના આ સૌથી મોટા તાજ માટે મેદાનમાં ઉતરશે.

જોકે, ઈંઈઈ દ્વારા ક્વોલિફાયર મેચોની તારીખો તો જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ આ મેચો કયા દેશમાં કે કયા મેદાન પર રમાશે તેની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. નવા નિયમ મુજબ ક્વોલિફાયરમાં જે ટીમ વિજેતા બનશે, તે સીધી જ 14 ટીમોના મુખ્ય ગ્રુપમાં પોતાની જગ્યા પાકી કરી લેશે.

આ વખતે ટૂર્નામેન્ટનું માળખું ઘણું રસપ્રદ બનાવવામાં આવ્યું છે. ક્વોલિફાયર મેચોમાં બીજા, ત્રીજા અને ચોથા નંબરે રહેનારી ટીમોએ વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં એક ખાસ સુપર સિરીઝ રમવી પડશે. આ સુપર સિરીઝના રાઉન્ડમાં જે ટીમ બાજી મારશે, તેને સીધી ટોપ-12 માં એન્ટ્રી મળી જશે.

2027 નો આ વનડે વર્લ્ડ કપ કોઈ એક દેશ નહીં, પરંતુ ત્રણ દેશો-દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્ત રીતે હોસ્ટ કરવાના છે. વર્લ્ડ કપનો આ રોમાંચ 4 ઓક્ટોબરથી 21 નવેમ્બર દરમિયાન ચાલશે અને તમામ મેચો કુલ 12 અલગ-અલગ સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. જેમાં સૌથી વધુ 8 મેદાનો દક્ષિણ આફ્રિકાના હશે, જ્યારે ઝિમ્બાબ્વેમાં 3 અને નામિબિયામાં 1 મેદાન પર મેચો રમાશે. આ ક્વોલિફાયર રાઉન્ડમાં કુલ 10 ટીમો ભાગ લેવાની છે. આ દસ ટીમો કઈ હશે તે 30 સપ્ટેમ્બર, 2026 ના રોજ નક્કી થશે. આ તારીખ સુધીમાં નીચેની ટીમો વચ્ચે મુકાબલો થશે: તમને યાદ જ હશે કે બે ટાઈમની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમ 2023 ના છેલ્લા ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય નહોતી કરી શકી.

હવે ફરી એકવાર તેમની સામે વર્લ્ડ કપમાંથી બહાર થવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. અત્યારે કેરેબિયન ટીમ ODI રેન્કિંગમાં 10મા સ્થાને છે. 30 સપ્ટેમ્બરની કટ-ઓફ ડેટ પહેલા તેમની પાસે રમવા માટે માત્ર 2 જ વનડે મેચ બચી છે, અને આ બંને મેચો ભારત સામે છે.

આ ઉપરાંત, અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝના પરિણામ પર પણ વેસ્ટ ઈન્ડિઝનું ભવિષ્ય ટકેલું છે. જો આયર્લેન્ડની ટીમ 4-1 અથવા 5-0 થી આ સિરીઝ જીતે, અને વેસ્ટ ઈન્ડિઝ પોતાની બંને મેચમાં ભારતને હરાવે, તો જ તેમની પાસે ટોપ-8 માં પહોંચવાની જીવંત તક રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *