આંતરરાષ્ટ્રીય
અમેરિકાના 9/11ના ભયાનક હુમલાની ખોફનાક તસવીરો
વિશ્ર્વભરમાં આતંકનો ઓછાયો કાયમ છવાયેલો રહે છે. સમયાંતરે અલગ-અલગ દેશોમાં આતંકી હુમલાઓ થતા રહે છે. આવી જ કલંકિત ઘટના એટલે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર થયેલો 11 સપ્ટેમ્બરનો હુમલો પેન્ટાગોન અને પેન્સિલવેનીયાના એક ક્ષેત્રમાં હાઇજેક કરવામાં આવેલા જેટલાઇનર્સ વર્લ્ડ ટે્રડ સેન્ટર સાથે અથડાયા બાદ 3,000થી વધુ લોકો મોતને ભેટ્યા હતા. આ ભયાનક ઘટનાની તસવીરો જે તે સમયનો ખોફનાક માહોલ દર્શાવી રહી છે. સળગતા વર્લ્ડ ટે્રડ સેન્ટરમાંથી બહાર આવતા લોકો, યુદ્ધના ધોરણે ચાલતી બચાવ કામગીરી, સળગતા ટાવર વગેરે નજરે પડે છે.
આંતરરાષ્ટ્રીય
ચાહકોની ગેરવર્તણૂકથી સ્ટેજ છોડી ભાગી જાણીતી સિંગર શકીરા
ડ્રેસની નીચેથી વીડિયો લેવા પ્રયાસ કરી રહ્યા હતા
કોલંબિયાની જાણીતી ગાયિકા શકીરા તેના લોકપ્રિય ગીતો અને નૃત્યને લઈને દુનિયાભરમાં જાણીતી છે. તાજેતરમાં, એક શર્મજનક ઘટના બની જેમાં તેને સ્ટેજ પર ગેરવર્તણૂકનો સામનો કરવો પડ્યો. એ સમયે, શકીરા પોતાના ચાહકોને કોઈ ગેરવર્તણૂક ન કરવા માટે વારંવાર વિનંતી કરતી હતી, પરંતુ ઘણી કિસ્સામાં તેમ છતાં ગેરવર્તણૂક ચાલુ રહી હતી તે જોતાં સિંગરે સ્ટેજ છોડવું પડ્યું હતું.
સોશિયલ મીડિયા પર શકીરાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શકીરા સ્ટેજ પર ડાન્સ કરી રહી છે અને વારંવાર પોતાનો ડ્રેસ એડજસ્ટ કરતી વખતે તે ફેન્સને કંઈ ખોટું ન કરવા માટે કહી રહી છે, પરંતુ આ દરમિયાન શકીરાની પાછળથી કેટલીક યુવતીના ચાહકો તેને હેરાન પણ કરે છે. જોવા મળ્યો હતો. શકીરા વારંવાર લોકોને આમ કરવા માટે મનાઈ કરે છે, પરંતુ ચાહકો અટકતા નથી અને શકીરાને સ્ટેજ છોડવાની ફરજ પડી છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે શકીરા સ્ટેજ પર છે અને ત્યાં હાજર ફેન્સ તેના ડ્રેસની નીચેથી તેનો વીડિયો લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. શકીરાના ઇનકાર પછી પણ, જ્યારે તેઓ સંમત થતા નથી, ત્યારે તે નારાજ થઈ જાય છે અને ત્યાંથી જતી રહે છે. હવે યુઝર્સ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આ ખૂબ જ છે. અન્ય એક યુઝરે કહ્યું કે આટલું જ કરવાનું છે. અન્ય એક યુઝરે લખ્યું કે આ બધું કરીને લોકો શું મેળવવા માંગે છે. બીજાએ લખ્યું કે હવે વધુ શું જોવાનું બાકી છે. આ વીડિયો પર યુઝર્સ આવી કોમેન્ટ કરી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય
SIIMA-2024માં ઐશ્ર્વર્યા રાયને પોનિયન સેલ્વન-2 માટે ક્રિટિક્સ એવોર્ડ
દીકરી આરાધ્યા સાથે ફંકશનમાં હાજરી રહી
દુબઈમાં એસઆઇઆઇએમએ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ઐશ્વર્યા રાયે એસઆઇઆઇએમએ 2024 માં ‘પોનીયિન સેલ્વન: ઈંઈં’ માં તેની અદભૂત ભૂમિકા માટે ક્રિટીક્સ એવોર્ડ જીત્યો હતો. અભિનેત્રીએ મણિરત્નમની ફિલ્મમાં નંદિની તરીકે પોતાના અભિનયથી લાખો લોકોના દિલ જીતી લીધા હતા અને હવે તેને તેના માટે આ સન્માન મળ્યું છે. આ ઈવેન્ટમાં ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન પણ જોવા મળી હતી.
ઐશ્વર્યાને ફિલ્મ નિર્માતા કબીર ખાને સ્ટેજ પર એવોર્ડ આપ્યો હતો. આ પછી અભિનેત્રીએ કહ્યું, નમને એવોર્ડથી સન્માનિત કરવા બદલ એસઆઇઆઇએમએનો ખૂબ ખૂબ આભાર. તે મારા માટે ઘણું અર્થપૂર્ણ છે કારણ કે આ ફિલ્મ મારા હૃદયની ખૂબ જ નજીક હતી, પોનીયિન સેલ્વન જેનું નિર્દેશન મારા ગુરુ મણિ રત્નમે કર્યું હતું. શ્રેષ્ઠ અભિનેત્રી માટે પોનીયિન સેલવાનમાં નંદિની તરીકે મારા કામ માટે સન્માનિત થવું એ ખરેખર સમગ્ર ટીમના કામની ઉજવણી છે.
ઐશ્વર્યા પોનીયિન સેલ્વન 2થમાં ડબલ રોલમાં જોવા મળી હતી. અભિનેત્રી નંદિની અને મંદાકિની દેવી તરીકે જોવા મળી હતી. ઐશ્વર્યા રાયની આ ફિલ્મ એક તમિલ નવલકથા પરથી લેવામાં આવી છે. તેમાં કાર્તિ, જયમ રવિ, ત્રિશા, જયરામ, પ્રભુ, આર સરથકુમાર, શોભિતા ધુલીપાલા, ઐશ્વર્યા લક્ષ્મી, વિક્રમ પ્રભુ, પ્રકાશ રાજ, રહેમાન અને આર પાર્થિબન પણ સામેલ હતા.
Sports
બાંગ્લાદેશને હળવાશથી ન લેતા, ટીમ ઈન્ડિયાને ગાવસ્કરે આપી ચેતવણી
ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરથી બે ટેસ્ટ મેચ માટે બાંગ્લાદેશની યજમાની કરી રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ આ ટેસ્ટ સિરીઝ માટે ઘણો પરસેવો પાડી રહી છે.
પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈના ખઅ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બાંગ્લાદેશની ટીમે હાલમાં જ પાકિસ્તાન વિરૂૂદ્ધ પાકિસ્તાનમાં બે મેચની ટેસ્ટ સિરીઝ જીતી હતી. ત્યારે સુનીલ ગાવસ્કરે રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશને કોઈપણ રીતે હળવાશમાં લેવાની ભૂલ ન કરવાની ચેતવણી આપી છે. બે વર્ષ પહેલા ઢાકામાં રમાયેલી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ભારતને મુશ્કેલી મૂકી હતી, જો કે શ્રેયસ અય્યર અને આર અશ્વિને મળીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી અને બાંગ્લાદેશને ભારત સામે તેની પ્રથમ ટેસ્ટ જીત નોંધાવતા અટકાવ્યું હતું.
ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું છે કે, નપાકિસ્તાનમાં રમાયેલી બંને ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવીને બાંગ્લાદેશે બતાવ્યું કે તેમની પાસે કેટલી તાકાત છે. આટલું જ નહીં બે વર્ષ પહેલા જ્યારે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો ત્યારે પણ આ ટીમે ભારતને ટક્કર આપી હતી. હવે પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ તેમનું મનોબળ વધી ગયું છે અને હવે તે ભારતને પણ હરાવવા માંગશે. ગાવસ્કરે આગળ કહ્યું કે, તેમની પાસે કેટલાક સારા ખેલાડીઓ છે અને કેટલાક યુવા ક્રિકેટરો પણ પ્રભાવિત કર્યા છે, જેઓ વિપક્ષનો સામનો કરવાથી ડરતા નથી.
હવે જે પણ ટીમ તેમની સામે રમશે, તેમને(બાંગ્લાદેશ) હળવાશમાં નહીં લે, કારણ કે તેઓ જાણે છે કે બાંગ્લાદેશે પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવ્યું છે. ત્યારે આ સિરીઝ જોવા જેવી રહેશે.
-
રાષ્ટ્રીય1 day ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય1 day ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત21 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત21 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય21 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ધાર્મિક19 hours ago
ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે