કુદરતી સ્ત્રોત અને વન્ય જીવનના સંરક્ષણ ક્ષેત્રે કઠોર મહેનતને બિરદાવી ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે વનતારાને તેની વિરુદ્ધની તમામ રજૂઆતોને રદ કરીને એક ઉત્કૃષ્ટ કામગીરી તરીકે આગળ વધવા સંપૂર્ણ છૂટ આપી છે. આ આદેશથી તમામ ગેરકાયદેસરતા અને ગેરરીતિના આક્ષેપોને ખારિજ કરતા, એક વિશિષ્ટ તપાસ ટીમ, (એસ આઈ ટી) દ્વારા કરવામાં આવેલી વ્યાપક અને નિર્ભય તપાસ પૂર્ણ થઈ છે. એસ આઈ ટી ના વિગતવાર અહવાલ પર આધારિત આ ચુુકાદો પ્રાણી કલ્યાણ અને સંરક્ષણ પ્રત્યે વનતારાની પ્રતિબદ્ધતાનું મજબૂત સમર્થન કરે છે.
વનતારા વિરુદ્ધ આક્ષેપો જાહેર હિત તરીકે કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં કોઈ આધારભૂત પુરાવા ન હતા છતાં સુપ્રીમ કોર્ટે આક્ષેપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પૂર્વ ન્યાયાધીશો અને પૂર્વ પોલીસ કમિશનરનો સમાવેશ કરતી ઉચ્ચસ્તરીય એસ આઈ ટી રચી હતી આ તપાસમાં કેન્દ્રિય પ્રાણી ઉદ્યાન પ્રાધિકરણ, વાઈલ્ડલાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો, સીઆઈબીઆઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ અને કસ્ટમ્સ વિભાગ સહિત અનેક એજન્સીઓએ સહયોગ આપ્યો હતો. તપાસે પ્રાણીઓની ખરીદી કથિત સ્મગલિંગના ખોટા આક્ષેપો, મની લોન્ડરિંગ, પ્રાણી કલ્યાણ, સંરક્ષણ કાર્યક્રમો અને આર્થિક અનિયમિતતાઓ સહિત વિશાળ વિષયો આવરી લીધા હતા.
સુપ્રીમ કોર્ટે અભિયાનકારોને ચેતવણી પણ આપી હતી કે આ પહેલને બદનામ ન કરવામાં આવે કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ જ આક્ષેપો આધારિત કોઈ નવી ફરિયાદ કે કાર્યવાહી હવે કોઈ પણ ન્યાયિક કે વહીવટી મંચ પર સ્વીકારવામાં આવશે નહીં.
એસ આઈ ટીના નિષ્કર્ષો સ્પષ્ટ હતા. “વન્તારા દ્વારા વાઈલ્ડલાઈક પોટેક્શન એક્ટ, 1972, ઝૂ નિયમો, 2009, કસ્ટમ્સ એક્ટ 1962, ફોરેન ટ્રેડ એક્ટ, 1992, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002, ભારતીય ન્યાય સંહિતા 2023, અથવા આંતરરાષ્ટ્રીય સંધિઓનો કોઈ ભંગ થયો નથી.” સુપ્રીમ કોર્ટે અહેવાલને સ્વીકારી જણાવ્યું કે “આમાં કોઈ શંકા નથી કે તમામ કાર્યવાહી કાયદેસર હતી.” કોર્ટે વધુમાં નોંધ્યું કે વન્તારાની કામગીરી જેમાં બચાવેલા પ્રાણીઓની સ્વીકારણી અને તેમનું પ્રજનન માટેનું નિવાસ શામેલ છે, “બહુસ્તરીય કાયદેસર મંજૂરીઓ, પ્રક્રિયા અને દસ્તાવેજીકરણ”થી પસાર થઈ છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે તમામ આયાત “માન્ય પરવાનગી મેળવ્યા પછી જ” કરવામાં આવી હતી અને “પ્રાણી સ્મગલિંગ અથવા મની લોન્ડરિંગના આક્ષેપોમાં કોઈ સાર નથી”
વનતારા ટીમે આ ચુકાદાને આવકારતા નિવેદનમાં જણાવ્યું,”અત્યંત નમ્રતા અને આભાર સાથે અમે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વિશિષ્ટ તપાસ ટીમના નિષ્કર્ષોને સ્વીકારીએ છીએ, અહેવાલ અને માનનીય સુપ્રીમ કોર્ટનો આદેશ સ્પષ્ટ કરે છે કે વન્તારાની પ્રાણી કલ્યાણ મિશન સામે કરવામાં આવેલા આક્ષેપો આધારહીન હતા આ માન્યતા અમને વધુ શક્તિ અને પ્રેરણા આપે છે કે અમે નિરંતર નમ્રતા અને સમર્પણથી અવાજવિહીનોની સેવા કરી શકીએ”
એસ આઈ ટીના પ્રાણી કલ્યાણ સંબંધિત નિષ્કર્ષો ખાસ નોંધપાત્ર છે. નિષ્ણાતોની સલાહ બાદ એસ આઈ ટી એ માન્યું કે વન્તારાની સુવિધાઓ નિર્ધારિત ધોરણોથી ઊંચી છે. સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું કે,”વન્તારાની સુવિધાઓ પ્રાણી કલ્યાણ,પશુચિકિત્સા કાળજી અને પ્રાણી સંભાળના ક્ષેત્રે ધોરણોથી વધુ છે”
વિશ્વપ્રસિદ્ધ ગ્લોબલ હ્યુમેન સોસાયટી (GHS) દ્વારા કરાયેલા ઓડિટમાં પણ વન્તારા આંતરરાષ્ટ્રીય ધોરણોથી વધુ પ્રમાણિત થયો હતો અને તેને ગ્લોબલ હ્યુમેન સીલ ઑફ એપ્રુવલ, એનાયત કરવામાં આવ્યું
વનતારા ટીમે વધુમાં ઉમેર્યું, “વન્તારા હંમેશા નિર્વાચિત પ્રાણીઓ માટે પ્રેમ, દયા અને જવાબદારીનું પ્રતિક છે. દરેક બચાવેલ પ્રાણી અને પક્ષી આપણને યાદ અપાવે છે કે તેમનું કલ્યાણ માનવજાતના કલ્યાણથી જુદું નથી અમે સરકાર, રાજ્ય સરકારો અને તમામ સહયોગીઓ સાથે મળીને પૃથ્વીને તમામ જીવો માટે વધુ સારી જગ્યા બનાવવા પ્રતિબદ્ધ છીએ”
એસ આઈ ટીનું અધ્યક્ષપદ પૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જે ચેલમેશ્વરએ સંભાળ્યું હતું, જે તેમની નિષ્પક્ષતા માટે જાણીતા છે તેમની આગેવાની હેઠળ વન્તારા સામેના તમામ આક્ષેપો ખોટા સાબિત થયા.
એસ આઈ ટીએ વધુમાં સ્પષ્ટ કર્યું કે વન્તારાનું સ્થાન ઉદ્યોગ વિસ્તારમાં હોવા છતાં, પ્રજાતિઓ માટે હવામાન અનુકૂળ છે તે માત્ર ખાનગી સંગ્રહ નથી, પરંતુ એક વિશાળ વ્યાવસાયિક સંસ્થા છે, જેમાં 3,000 કર્મચારીઓ વૈશ્વિક નિષ્ણાતો અને અનેક રાજ્ય સરકારો તથા વિદેશી સત્તાઓ સાથેના કરાર શામેલ છે. હાલમાં વન્તારા 41 દુર્લભ પ્રજાતિઓ માટે સંરક્ષણ પ્રજનન કાર્યક્રમ ચલાવી રહ્યો છે. ચીતાના 17 નવજાત બચ્ચાં આ સફળતાનું સાક્ષી છે અંતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે પાણી અને કાર્બન ક્રેડિટ સંબંધિત આક્ષેપો “સંપૂર્ણપણે નિરાધાર” છે આવા ખોટા આક્ષેપો કરવી પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે તેથી કોર્ટે સ્પષ્ટ રીતે આ મામલે અંતિમતા લાવી છે અને તમામ ફરિયાદોને “તપાસીને બંધ” જાહેર કરી છે
“ભારતની નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના તારણોનું અમે અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વાગત કરીએ છીએ.SITના રિપોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પરથી એ બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે કે વનતારાના પ્રાણી કલ્યાણ મિશન સામે ઉઠાવવામાં આવેલી તમામ શંકાઓ અને આરોપો તદ્દન પાયાવિહોણા હતા.SITના માનનીય અને અત્યંત આદરણીય સભ્યો દ્વારા સત્યને અપાયેલી માન્યતા વનતારા સાથે સંકલિત દરેકના માટે માત્ર રાહતરૂપ જ નથી પરંતુ એક આશીર્વાદ રૂપ પણ છે, કારણ કે તે આપણી કામગીરીને જ પોતાના માટે બોલવાની મંજૂરી આપે છે.
SITના તારણો અને સર્વોચ્ચ અદાલતનો આદેશ આપણને મૂંગા પ્રાણીઓની નમ્રતા અને નિષ્ઠા સાથે સેવા કરવાનું ચાલુ રાખવા માટે વધુ ઊર્જા અને પ્રોત્સાહન આપે છે. સમગ્ર વનતારા પરિવાર આ માન્યતા આપવા બદલ હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને દરેકને કરુણા સાથે પ્રાણીઓ અને પક્ષીઓનું રક્ષણ અને જતન કરવાની અમારી આજીવન પ્રતિબદ્ધતાની ખાતરી આપે છે.
વનતારા હંમેશાથી આપણી વચ્ચેના મૂંગા પ્રાણીઓ પ્રત્યે પ્રેમ, કરુણા અને જવાબદારી સાથે વર્તતું આવ્યું છે. અમે જે પણ પ્રાણીને રેસ્ક્યુ કરીએ છીએ, જે દરેક પક્ષીને સાજું કરીએ છીએ, દરેક અબોલ જીવ જેને આપણે બચાવીએ છીએ તે એ વાતની યાદ અપાવે છે કે તેમની સુખાકારી એ કાંઈ આપણાથી અલગ નથી – તે સમગ્ર માનવજાતના કલ્યાણનું જ એક અવિભાજ્ય અંગ છે. આપણે મૂંગા પ્રાણીઓની સંભાળ રાખીએ છીએ, ત્યારે આપણે માનવતાના આત્માની પણ સંભાળ રાખીએ છીએ.
અમે આ પ્રસંગે ભારત સરકાર, રાજ્ય સરકારો અને પ્રાણીઓની સંભાળના વિશાળ અને પડકારજનક કાર્યમાં જોડાયેલા અન્ય તમામ હિસ્સેદારો સાથે અમારી એકતાના શપથ લઈને ખાતરી આપીએ છીએ કે વનતારા હંમેશા તેમની સાથે નિકટતાથી કામગીરી કરવા તૈયાર રહેશે. ચાલો, આપણે સહુ સાથે મળીને ધરતી માતાને બધા જીવો માટે વધુ સારું સ્થળ બનાવીએ”
ટીમ વનતારા
