હૃદયરોગનો હુમલો: યુવક અને વૃદ્ધાનો શ્ર્વાસ થંભી ગયો

હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ શહેરમાં સોની બજારમાં રહેતા યુવક અને નાગેશ્વરમાં રહેતા વૃદ્ધાનુ હૃદયરોગના હુમલાથી મોત નિપજતા બંને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…

હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ શહેરમાં સોની બજારમાં રહેતા યુવક અને નાગેશ્વરમાં રહેતા વૃદ્ધાનુ હૃદયરોગના હુમલાથી મોત નિપજતા બંને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સોની બજારમાં આવેલી સવજીભાઈની શેરીમાં રહેતા અને નાસ્તાની દુકાનમાં કામ કરતા રણજીત જયદેવભાઈ પુરકાઈન નામનો 43 વર્ષનો યુવાન સાંજના પાંચેક વાગ્યાના સમયે પોતાના ઘરે હતો. ત્યારે હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રણજીતભાઈ ત્રણ ભાઈ હતા અને તેમને સંતાનમાં બે દીકરી હોવાનું જાણવા મળ્યું છે.


બીજા બનાવમાં જામનગર રોડ ઉપર નાગેશ્વરમાં આવેલા તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા ભાનુબેન રમેશભાઈ વ્યાસ નામના 72 વર્ષના વૃદ્ધા પોતાના ઘરે હતા ત્યારે ઉલટી થતાની સાથે જ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. ભાનુબેન વ્યાસનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.


આ ઉપરાંત ત્રીજા બનાવમાં પુનિતનગરમાં આવેલ વૃંદાવન ગ્રીનમાં રહેતા પરિવારની ધાનાલીબેન યશવંતભાઈ લાખાણી નામની 9 માસની માસુમ બાળકી સવારના સાડા પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે શ્વાસની બીમારી સબબ બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. માસુમ બાળકીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *