રાજકોટ શહેર ખાતે શ્રીનાથધામ હવેલીના પટાંગણમાં 18 ફેબ્રુઆરી ના રોજ વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયના મંગલ સાનિધ્યમાં હજારોની સંખ્યામાં શહેરીજનોએ હોલી રસિયા – ફુલ ફાગ મહોત્સવનો લાભ લીધો.
રાજકોટના શ્રીનાથધામ હવેલી, સ્પીડવેલ પાર્ટી પ્લોટના સામેના પટાંગણમાં તારીખ 18 ફેબ્રુઆરી બુધવારના રોજ શ્રીનાથધામ હવેલી દ્વારા પૂજ્યવ્રજરાજકુમારજી મહોદયની મંગલ ઉપસ્થિતિમાં ભવ્ય હોલી રસિયા – ફુલ ફાગ મહોત્સવનો લાભ હજારોની સંખ્યામાં શહેરીજનોએ લીધો હતો. જેમાં સુરતના સુપ્રસિદ્ધ કલાકાર કુમાનદાસ આસોદારીયા તથા સાથી વૃંદ દ્વારા હોલી રસિયા કરવામાં આવ્યા હતા.
આ મહોત્સવમાં સ્વાગત અધ્યક્ષ તરીકે મૌલેશભાઈ ઉકાણી, જગદીશભાઈ કોટડીયા, માર્ગદર્શક તરીકે અશોકભાઈ શાહ તેમજ મહોત્સવમાં વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ડો. ભરતભાઈ બોઘરા હાજર રહ્યા હતા. આ મહોત્સવમાં રાજકોટ શહેરના નામાંકિત ઉધ્યોગપતિઓ ભીખુભાઈ વિરાણી – બાલાજી વેફર, મનસુખભાઈ પાન – પાન હેલ્થ, અશોકભાઈ ઝિંઝુવાડીયા – રાધિકા જ્વેલર્સ અને રીટાબેન યોગેશભાઈ પૂજારા – પૂજારા ટેલિકોમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના સંયોજક જયેશભાઈ વાછાણી અને જતીનભાઈ ધોળકિયા ના માધ્યમથી કરવામાં આવ્યું હતું. તેમજ પુનીતભાઈ ચોવટીયા, હેમંતભાઈ પટેલ, રાજેશભાઇ કાલરીયા અને નીશીતભાઈ ચોટાઈ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
