રાષ્ટ્રીય
સરકારી કર્મચારીને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર કરતી સરકાર
સાતમા પગાર પંચ હેઠળના તમામ કર્મચારીઓને લાભ મળશે, 1 જાન્યુ. 24થી વધારો ગણી ત્રણ હપ્તામાં ચૂકવાશે
માર્ચમાં મોંઘવારી ભથ્થામાં (ડીઆર)માં 4% વધારો કરવાના ગુજરાત સરકારના આદેશ પછી, ફરી ગઇકાલે 4 ટકાનો વધારો જાહેર કરાયો છે. જાન્યુઆરીથી જૂન 2024 સુધીની વધારાની રકમ પેન્શનરોને ઓગસ્ટથી ઑક્ટોબર 2024 સુધી ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે.
દરેક કેસમાં ડીઆરની પાત્ર રકમની ગણતરી પેન્શન વિતરણ સત્તાધિકારીની જવાબદારી રહેશે. રાજ્યમાં 7મા પગારપંચ હેઠળ પેન્શન મેળવતા પેન્શનધારકોને આ વધારાનો લાભ મળશે.
પેન્શનરોને મૂળ પગારના 46%નો વચગાળાનો વધારો આપવામાં આવ્યો હતો, જે જાન્યુઆરી 2024થી વધારીને 50% કરવામાં આવશે. જાન્યુઆરીથી જૂન સુધીના સૂચિત વચગાળાના વધારાની તફાવતની રકમ હપ્તામાં ચૂકવવામાં આવશે. એ જ રીતે, પહેલો હપ્તો જુલાઈના પેન્શન સાથે ઑગસ્ટમાં, બીજો હપ્તો ઑગસ્ટના પેન્શન સાથે સપ્ટેમ્બરમાં અને ત્રીજો હપ્તો ઑક્ટોબરમાં સપ્ટેમ્બરના પેન્શન સાથે ચૂકવવામાં આવશે.
મનોરંજન
કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાન દુલ્હન બની
બ્રાઇડલ લૂકમાં વીડિયો શેર કર્યો
બ્રેસ્ટ કેન્સર સ્ટેજ 3ની સારવાર લઈ રહેલી હિના ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હિના ખાન બ્રાઈડલના લુકમાં જોવા મળી રહી છે. તેમણે રેમ્પ વોક પણ કર્યું હતું.
ટીવી સ્ટાર હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. તેમ છતાં તેમણે કામમાંથી બ્રેક લીધો નથી. હાલમાં અભિનેત્રી પોતાની હેલ્થને લઈ ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે હેલ્થ અપટેડ શેર કરતી રહી છે.
એક બાજુ કીમોથેરાપીની સારવાર ચાલી રહી છે, તો બીજી બાજુ તેમણે પોતાનું કામ પણ ચાલું રાખ્યું છે. હવે અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે. બ્રાઈડલ લુકમાં હિના ખાન કોન્ફિડન્સ સાથે વોક કરી રહી છે. આ જોઈ ચાહકો પણ ખુશ થયા છે. તેમણે હેવી જ્વેલરી અને બ્રાઈડલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો છે. આ વીડિયો શેર કરી એક નોટ પણ લખી છે.
Sports
બાંગ્લાદેશને હળવાશથી ન લેતા, ટીમ ઈન્ડિયાને ગાવસ્કરે આપી ચેતવણી
ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરથી બે ટેસ્ટ મેચ માટે બાંગ્લાદેશની યજમાની કરી રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ આ ટેસ્ટ સિરીઝ માટે ઘણો પરસેવો પાડી રહી છે.
પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈના ખઅ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બાંગ્લાદેશની ટીમે હાલમાં જ પાકિસ્તાન વિરૂૂદ્ધ પાકિસ્તાનમાં બે મેચની ટેસ્ટ સિરીઝ જીતી હતી. ત્યારે સુનીલ ગાવસ્કરે રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશને કોઈપણ રીતે હળવાશમાં લેવાની ભૂલ ન કરવાની ચેતવણી આપી છે. બે વર્ષ પહેલા ઢાકામાં રમાયેલી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ભારતને મુશ્કેલી મૂકી હતી, જો કે શ્રેયસ અય્યર અને આર અશ્વિને મળીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી અને બાંગ્લાદેશને ભારત સામે તેની પ્રથમ ટેસ્ટ જીત નોંધાવતા અટકાવ્યું હતું.
ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું છે કે, નપાકિસ્તાનમાં રમાયેલી બંને ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવીને બાંગ્લાદેશે બતાવ્યું કે તેમની પાસે કેટલી તાકાત છે. આટલું જ નહીં બે વર્ષ પહેલા જ્યારે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો ત્યારે પણ આ ટીમે ભારતને ટક્કર આપી હતી. હવે પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ તેમનું મનોબળ વધી ગયું છે અને હવે તે ભારતને પણ હરાવવા માંગશે. ગાવસ્કરે આગળ કહ્યું કે, તેમની પાસે કેટલાક સારા ખેલાડીઓ છે અને કેટલાક યુવા ક્રિકેટરો પણ પ્રભાવિત કર્યા છે, જેઓ વિપક્ષનો સામનો કરવાથી ડરતા નથી.
હવે જે પણ ટીમ તેમની સામે રમશે, તેમને(બાંગ્લાદેશ) હળવાશમાં નહીં લે, કારણ કે તેઓ જાણે છે કે બાંગ્લાદેશે પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવ્યું છે. ત્યારે આ સિરીઝ જોવા જેવી રહેશે.
રાષ્ટ્રીય
લિકર કેસમાં સીબીઆઇ, ઇડી પાસે પુરાવા જ નથી?
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કથિત એક્સાઈઝ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન લઈને જેલની બહાર આવ્યા પછી મુખ્ય મંત્રીપદ છોડવાની જાહેરાત કરી તેની ચોતરફ ચર્ચા છે. કેજરીવાલે કોઈને કલ્પના ના આવે એવો રાજકીય દાવ રમી નાખ્યો તેથી આ ચર્ચા સ્વાભાવિક છે પણ તેના કારણે એક મહત્ત્વનો મુદ્દો બાજુ પર રહી ગયો છે. આ મુદ્દો લિકર કેસમાં કેજરીવાલને જામીન મળ્યા તેના સૂચિતાર્થ છે.
કેજરીવાલને જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે આડકતરી રીતે લિકર કૌભાંડ રાજકીય રીતે ઊભું કરાયેલું તિકડમ છે એવું કહી દીધું છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને રાજકીય ઈશારે વર્તવાના બદલે ન્યાયી રીતે વર્તવાનું કહ્યું, પાંજરામાં પુરાયેલા પોપટ તરીકેની તેની ઈમેજ બદલવા કહ્યું તેના પરથી સ્પષ્ટ છે કે, સુપ્રીમ કોર્ટ પણ લિકર કેસમાં ચાલી રહેલા ચલકચલાણાથી કંટાળી છે ને તેને પણ ખબર પડી ગઈ છે કે, આ તલમાં તેલ નથી.
સીબીઆઈએ 9 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમાંથી અમનદીપ સિવાયના બાકીના 8ને જામીન મળી ગયા છે. ટૂંકમાં અમનદીપ સિવાયના બાકીના આરોપીઓ બહાર આવી ગયા છે. આ સંજોગોમાં માત્ર અમનદીપને જેલમાં રાખવાનો અર્થ નથી. સીબીઆઈ અને ઈડીએ કેજરીવાલ ઉપરાંત મનિષ સિસોદિયા, સંજયસિંહ અને કે. કવિતા એમ ચાર ટોચના નેતાઓની ધરપકડ કરી હતી. હવે આ ચારેય જેલની બહાર છે ને સીબીઆઈ કે ઈડી નવું કશું લાવી શક્યાં નથી એ જોતાં આ કેસ ડેડ એન્ડ પર આવીને ઊભો રહી ગયો છે.
આ સ્થિતિ એટલા માટે સર્જાઈ કે, ઈડી અને સીબીઆઈ બંનેએ પહેલા દિવસથી કોઈ પણ પ્રકારના નક્કર પુરાવા વિના એવો કેસ ઊભો કરી દીધો કે જેનો ઉદ્દેશ ભાજપના રાજકીય ફાયદો કરાવવાનો હતો. ભાજપ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને સીધા જંગમાં પછાડી શકે તેમ નથી એટલે લેફ્ટનન્ટ ગવર્નર અને બીજા અધિકારીઓને હાથો બનાવીને કેજરીવાલ સરકારને પરેશાન કર્યા કરે છે. લિકર કેસના બહાને ભાજપ એક કદમ આગળ વધ્યો. મોદી સરકારે કેજરીવાલ સરકારે બનાવેલી એક નીતિને આધાર બનાવીને ભ્રષ્ટાચારનો કેસ તો કરી દીધો પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું સાબિત ના કરી શક્યા.
સીબીઆઈ અને ઈડીનો કેસ એકદમ ખોખલો હતો. આખો કેસ ભાજપના નેતાઓના આક્ષેપોને આધારે ઊભો કરાયો અને તેના આધારે ધરપકડ કર્યા પછી ધરપકડ કરાયેલા ત્રણ આરોપીને સરકારી સાક્ષી બનાવીને આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કે. કવિતાને અંદર કરી દેવાયાં. ઓરોબિંદો ફાર્માના ડિરેક્ટર પી સરથચંદ્ર રેડ્ડી, ટીડીપીના લોકસભાના સભ્ય મગુંતા શ્રીનિવાસુલુ રેડ્ડીના પુત્ર રાઘવ મગુંતા અને બિઝનેસમેન દિનેશ અરોરા એ ત્રણ સરકરી સાક્ષી બની ગયેલા આરોપીઓનાં નિવેદનોને બાદ કરતાં સીબીઆઈ અને ઈડી પાસે કોઈ પુરાવા જ નથી. આ કેસમાં ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટ જોશો તો આ વાત સમજાશે.
આ કેસમાં અરવિંદ કેજરીવાલને એટલે આરોપી બનાવાયા કે, આમ આદમી પાર્ટીના સંરક્ષક હોવાથી અરવિંદ કેજરીવાલ પાર્ટી દ્વારા કરવામાં આવતા દરેક કાર્ય માટે જવાબદાર છે. આમ આદમી પાર્ટી આ કૌભાંડ અને અપરાધમાંથી મળેલી આવકની મુખ્ય લાભાર્થી છે એવો દાવો છે પણ પહેલાં આમ આદમી પાર્ટીએ કોઈ અપરાધ કર્યો છે એવું તો સાબિત કરવું પડે કે નહીં ?
-
રાષ્ટ્રીય24 hours ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય1 day ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત20 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત20 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય20 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ગુજરાત20 hours ago
રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા