રાજકોટ જિલ્લાની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિર આગામી 20મીએ ઘેલા સોમનાથ ખાતે યોજવાની હતી. પરંતુ આગામી શુક્રવારને 20 મીના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલેકટર પ્રભવ જોશી હાજરી આપવા જવાના હોવાના કારણે ચિંતન શિબિર હાલ પૂરતી મોકુફ રાખવામાં આવી છે. અને ટૂંક સમયમાં ફરી નવી ચિંતન શિબિર અંગેની તારીખ જાહેર કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર શુક્રવારને 20 તારીખના રોજ રાજકોટ જિલ્લાની ચિંતન શિબિર ઘેલા સોમનાથ ખાતે યોજવાના છે જેમાં વિવિધ વિભાગના 60 થી પણ અધિકારીઓ હાજર રહેવાના હતા. પરંતુ હાલ પૂરતી આ ચિંતન શિબિર કલેક્ટર દ્વારા મોકુફ રાખવામાં આવી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને રેવન્યુ વિભાગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ મુદ્દાઓને પણ આવરી લેવામાં આવે છે ખાસ કરી સરકારે જમીન ઉપર દબાણ ધાર્મિક દબાણો અંગેની કામગીરી અંગેનો રિપોર્ટ પણ માંગવામાં આવશે સાથે જ અન્ય કામગીરી અંગેનો રિપોર્ટ પણ કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારી આ બેઠકમાં રિપોર્ટ રજૂ કરશે
