જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં વોર્ડ નંબર -3 પાસેથી 60 વર્ષની વયના એક અજ્ઞાત બુજુર્ગનો મૃતદેહ મળી આવ્યો હતો. પોતાની બીમારીની સારવાર અર્થે આવેલા બુઝુર્ગનું સારવાર મળે તે પહેલાં મૃત્યુ નીપજયું હોવાનું તબિબ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
આ બનાવ અંગે ગૌરવભાઈ અશોકભાઈ દામાએ પોલીસની જાણ કરતાં સીટી બી. ડિવિઝન ના પી.એસ.આઇ. વી.એન ગઢવી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેની ઓળખ કરવા માટે મૃતદેહને જી.જી. હોસ્પિટલ ના કોલ્ડરૂૂમમાં મૂકી રાખ્યો છે.
