ફિલ્મ નિર્માતા સંદીપસિંહને એકટ્રેસ અંકિતા લોખંડે-વિકી જૈને બચાવ્યા
મુંબઈના અંધેરી પશ્ચિમ વિસ્તારમાં 23 માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગી હતી તેમાં તમામ લોકોને બચાવી લેવાયા છે. આ ઘટના વીરા દેસાઈ રોડ પર ક્ધટ્રી ક્લબ નજીક સોરેન્ટો ટાવર ખાતે ગુરુવારે સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગ્યા બાદ લગભગ 40 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ ભયાનક ઘટના પછી ફિલ્મ સ્ટાર અંકિતા લોખંડે અને વિકી જૈને ફિલ્મ નિર્માતા સંદીપ સિંહને આગમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી.
16મા માળના આશ્રય વિસ્તારમાંથી 30-40 લોકોને સીડી દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે એક મહિલા સહિત ત્રણ અન્ય લોકોને શ્વાસ લેવાના ઉપકરણનો ઉપયોગ કરીને 15મા માળે આવેલા ફ્લેટમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
14મા માળે મેરી કોમ, સરબજીત, અલીગઢ, ઝુંડ, સાવરકર, સફેદ અને છત્રપતિ શિવાજી મહારાજ જેવી ફિલ્મો માટે જાણીતા ફિલ્મ નિર્માતા સંદીપ સિંહનું પરિસર છે. હર્નિયાની સારવાર કરાવ્યા બાદ તેમને કોકિલાબેન હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અભિનેત્રી અંકિતા લોખંડે અને તેમના પતિ વિકી જૈન, જેઓ સંદીપના મિત્રો છે, તેમની મદદ માટે આવ્યા અને સાવચેતીના પગલા તરીકે તેમને તેમના નિવાસસ્થાને લઈ ગયા.
