ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો હોય તેમ જણાય છે. આગામી 12 તારીખે ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગર ખાતે યોજાનાર આંદોલન હવે સ્થગિત કરી દેવાયું છે. Kisan Sangh Agitation Postponed અંગેની સત્તાવાર જાહેરાત કિસાન સંઘના મહામંત્રી આર.કે.પટેલે કરી છે.
ભારતીય કિસાન સંઘે ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવી હતી અને ‘ચલો ગાંધીનગર’ ના નામે મહાત્મા મંદિર પાસે એક વિશાળ સંમેલનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી અંદાજે 70 હજાર જેટલા ખેડૂતો એકઠા થવાના હતા. જોકે, Kisan Sangh Agitation Postponed ઙજ્ઞતિાંજ્ઞક્ષયમ થવા પાછળનું મુખ્ય કારણ સરકાર સાથેની સફળ મંત્રણા અને સુરક્ષા વ્યવસ્થા હોવાનું જણાવાઈ રહ્યું છે.
કિસાન સંઘના મહામંત્રીના જણાવ્યા મુજબ, જે સ્થળે આંદોલન થવાનું હતું તે વિસ્તાર પ્રધાનમંત્રી (PM) અને જર્મનીના વાઈસ ચાન્સેલરના રૂૂટની નજીક હતો. આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની મુલાકાત અને સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંઘ દ્વારા આ કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આંદોલન સ્થગિત થવાનું બીજું અને સૌથી મહત્વનું કારણ સરકારનું હકારાત્મક વલણ છે. આ બેઠકમાં ખેડૂતોની 12 જેટલી મુખ્ય માંગણીઓ પર સરકારે સંમતિ દર્શાવી છે. સરકારના આ હકારાત્મક નિર્ણય બાદ કિસાન સંઘની બૃહદ કારોબારી બેઠકમાં આંદોલન મોકૂફ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.
