Connect with us

ગુજરાત

સસ્પેન્ડ TPOની જામીન અરજી, મિલકતોના મુદ્દે કોર્ટમાં કાનૂની જંગ

Published

on

TPO બન્યા પહેલાંની મિલકતો પણ ACBએ અપ્રમાણસર ગણાવી દીધી; સાગઠિયાનો બચાવ

અગાઉની મિલકતો હોયતો તેના કોઇ આધાર-પુરાવા સાગઠિયાએ રજૂ કર્યા નથી: સરકારી વકીલનો દાવો


રાજકોટ સહિત દેશભરમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી ટીપીઓ મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અપ્રમાણસર મિલકતના કેસમાં જેલ હવાલે રહેલા ટીપીઓ સાગઠિયાએ અગ્નિકાંડ કેસની સાથે સાથે એસીબીના ગુનામાં પણ જામીન મુક્ત થવા અરજી કરી હતી. અગ્નિકાંડ કેસમાં સાગઠિયાની જામીન અરજી રદ થઈ હતી. જ્યારે અપ્રમાણસર મિલકતના કેસમાં કોર્ટે સાગઠિયાની જામીન અરજી ઉપર કોઈ પણ ઘડીએ ચુકાદો સંભળાશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.આ કેસની હકીકત મુજબ રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ ભભૂકી ઉઠતા 27 લોકો જીવતા ભુંજાયા હતા. જે અગ્નિ કાંડના રાજકોટ સહિત દેશભરમાં ઘેરા પડઘા પડ્યા હતા. જે અગ્નિકાંડમાં બેદરકાર પોલીસ અધિકારીઓ સહિતનાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જ્યારે મહાનગરપાલિકાના ટીપીઓ મનસુખ સાગઠીયા સહિત 16 વ્યક્તિની સંડોવણી ખુલતા ગુનો દાખલ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં ટીપીઓ મનસુખ સાગઠીયા પાસેથી 26 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. ત્યાર બાદ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવતા બંને વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટીપીઓ મનસુખ સાગઠીયાએ જેલ મુક્ત થવા અગ્નિકાંડ અને અપ્રમાણસર મિલકતના કેસમાં જુદી જુદી બે જામીન અરજી કરી હતી જેમાં અદાલતે અગ્નિકાંડ કેસમાં આરોપી પૂર્વ ટીપીઓ સાગઠીયાની જામીન અરજી ફગાવી દીધી છે. જ્યારે અપરમાણસર મિલકતના કેસમાં બંને પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી છે. સાગઠિયાના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી. કે સાગઠિયા સામે અપ્રમાનસર મિલકતનો જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમાં માત્ર વર્ષ 2012 થી વર્ષ 2024 સુધીની આવકને ધ્યાને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષ પહેલાંની મિલકતો કે આવકને ધ્યાનમાં લેવામાં આવી નથી તેવી દલીલો કરવામાં આવી હતી.

જ્યારે સરકાર પક્ષે સ્પે.પીપી દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે પૂર્વ ટીપીઓ સાગઠિયા પાસે અગાઉની મિલકતો હોય તો તેના કોઈ પણ આધાર-પુરાવા સાગઠિયા દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા નથી. બને પક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલોના આધારે અદાલત ગમે તે ઘડીએ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની જામીન અરજી ઉપર ચુકાદો સંભળાવે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છેઆ કેસમાં સાગઠિયાના બચાવ પક્ષે એડવોકેટ જામનગરના એડવોકેટ વી.એચ. કનારા, વી.એસ. ખીમાણીયા અને રાજકોટના ભાર્ગવ બોડા તેમજ સરકાર પક્ષે સ્પે. પીપી સંજયભાઈ કે. વોરા રોકાયા છે.

અગ્નિકાંડ કેસમાં પણ કોર્ટની ફટકાર: જામીન અરજી રદ

રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર જાગવાનારા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના પાંચ આરોપીની જામીન અરજી નામંજૂર થયા બાદ પૂર્વ ટીપીઓ સાગઠિયા જેલ મુક્ત થવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે જામીન અરજી સુનાવણી ઉપર આવતા અગ્નિકાંડનો દોષનો ટોપલો પૂર્વ ટીપીઓ સાગઠિયાએ મ્યુ. કમિશનર પર ઢોળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અગ્નિકાંડમાં પુત્ર ગુમાવનાર હતભાગી પ્રદીપસિંહ રણજીતસિંહ ચૌહાણે સાગઠિયાની જામીન અરજી રદ કરવા કરેલી વાંધા અરજીને લઈને સરકાર પક્ષી સ્પે. પીપી અને હતભાગી પરિવારો વતી રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ અદાલતે પૂર્વ ટીપીઓ સાગઠિયાની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.

ગુજરાત

કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત

Published

on

By

શહેરના રેલનગરમાં આવાસ ટાઉનશીપમાં રહેતા યુવાને કોઈના દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં તેવી સ્યુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.


જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલી ભગીની ટાઉનશીપમાં રહેતા અક્ષય ભીમજીભાઈ સરવૈયા (ઉ.વ.24) નામના યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પ્રનગર પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોિસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસને મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, મારા મોત માટે હું જ જવાબદાર છું તેમ લખેલું હતું.


પ્રાથમિક તપાસમાં મૃતક અક્ષય એક બહેનનો એકનો એક મોટો ભાઈ હતો તે અગાઉ સીટીબસમાં નોકરી કરતો હતો તેના પિતા રીક્ષાચાલક છે. યુવાને આ પગલું શા માટે ભરી લીધું? તે અંગે પરિવારજતો પણ અજાણ હોયપોલીસે આપઘાતનું કારણ જાણ તપાસ હાથ ધરી છે. જ્યારે એકના એકપુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Continue Reading

ગુજરાત

વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું

Published

on

By

ત્રણ કરોડની 3000 ચો.મી. સરકારી જમીન દબાણમુક્ત કરાવાઇ: લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ તોળાતી કાર્યવાહી

કાલાવડ રોડ પર વાગુદડ ગામમાં મહંતયોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશ ધામેલીયા દ્વારા સરકારી ખરાબાની 3000 ચોરસ મીટર જગ્યા ઉપર આશ્રમ બનાવી અને દબાણ કરી કબજો કરવામાં આવ્યો હતો. આ આશ્રમમાંથી તાજેતરમાં જ ગાંજાના છોડવા પણ ઝડપાયા હતા. સરકારી જમીન પર કબજો જમાવતા તંત્ર દ્વારા નોટીસ ફટકારવાામં આવી હતી. નોટીસનો જવાબ નહીં આપતા રાજકોટ કલેકટરના માર્ગદર્શન અને સુચનાથી આજે ત્રણ કરોડની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલ આશ્રમના દબાણ ઉપર બુલડોઝર ફેરવી અને ખુલ્લી કરાવાઇ હતી.


રાજકોટના ભાગોળે આવેલ વાગુદડ ગામે વિવાદિત યોગી ધર્મનાથ સાધુના આશ્રમ આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. રાજકોટ જિલ્લા કલેકટર ની સૂચના મુજબ લોધિકા મામલતદાર તેમજ ફાયરની અને પોલીસને બંદોબસ્ત વચ્ચે યોગી ધર્મનાથ સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું હતું. વાગુદાળ -વાજડીવડનો સર્વે નંબર 32 પર સરકારી જમીન પર આશ્રમ બનાવી લેવામાં આવ્યો હતો જે આજે તંત્ર દ્વારા 3000 ચો. મી જેટલી જમીન ખુલી કરવામાં આવી હતી આ જમીનની બજારની અંદાજિત કિંમત 3 કરોડ રૂૂપિયા જેટલી આંકવામાં આવી હતી અને આગામી દિવસોમાં ફરી કોઈ દબાણ ન કરે તે માટે જમીનને ફરતે આગામી દિવસોમાં બાઉન્ડ્રી દિવાલ બાંધવામાં આવશે


પરમહંતયોગી ધરમ નાથ ઉર્ફે જીજ્ઞેશ ધામેલીયા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ અનુસંધાને આગામી દિવસોમાં કલેક્ટર તંત્ર દ્વારા સાધુ સામે લેનગ્રેબિંગની ફરિયાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે. આગામી દિવસોમાં મામલતદાર દ્વારા લેનગ્રેબિંગ કમિટીને આ અંગે ભલામણ કર્યા બાદ સરકાર તરફથી ફરિયાદી બને અને મહંત સામે ફરિયાદ નોંધાય તેવી સુત્રોમાં ચર્ચા થઇ રહી છે. કલેકટર તંત્ર જિલ્લામાં રહેલા બે હજારથી વધુ ધાર્મિક દબાણ પર નોટીસો આપવામાં આવી છે. અને ટૂંક સમયમાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે

Continue Reading

ગુજરાત

રાજકોટ શહેર-જિલ્લાના 22 નાયબ મામલતદારોની બદલી

Published

on

By

બે વર્ષથી એક જ જગ્યાએ રહેલા નાયબ મામલતદારો બદલ્યા

દિવાળીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકર પ્રભવ જોશી દ્વારા દિવાળી પહેલા નાયબ મામલતારોને બદલી કરવામાં આવી છે. એક સાથે રાજકોટ શહેર અને ગ્રામ્યના 22 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. એક જ જગ્યાએ બે વર્ષથી પણ વધુ સમય રહેલા નાયબ મામલતારોની બદલી કરવામાં આવી છે.


જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા ગઈકાલે 22 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી હતી. મુખ્યત્વે ઘણા સમયથી ખાલી જગ્યાઓ પડેલી જગ્યા ઉપર બદલી કરવામાં આવી છે તેમજ અન્ય તે મહેસુલ પુરવઠા દબાણ સહિતની જગ્યાઓ બે વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા નાયબ મામલેદારોની બદલી જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે ત્યારે દિવાળી પહેલા બદલી કરવામાં આવતા જ નાયબ મામલતારોને દિવાળી પણ બગડી છે.


આગામી દિવસોમાં નાયબ મામલતદારોના પ્રમોશન પણ આવી શકે છે અને રાજકોટ જિલ્લાના છ જેટલા નાયબ મામલતદારને મામલતદારના પ્રમોશન તેવી શક્યતાઓ છે. તે પહેલા કલેકટર દ્વારા નાયબ મામલતદારોની બદલીનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો છે.

કલેકટરો સાથે રેવન્યુ સચિવની રેવ્યૂ બેઠક
રાજકોટ સહિત રાજ્યભરના કલેકટરો સાથે રેવન્યુ સચિવ દ્વારા આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેવન્યુ અને દબાણો અંગે માહિતી મેળવવામાં આવી હતી તેમજ વિવિધ કલેકટરો અને કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી સમયમાં સરકારી જમીનો ખુલ્લી કરવા અંગેની પણ માહિતીઓ કલેકટર પાસેથી રેવન્યુ સચિવએ મેળવી હતી.

Continue Reading
રાષ્ટ્રીય9 hours ago

ફરી રેલ દુર્ઘના..આસામમાં લોકમાન્ય તિલક એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર

રાષ્ટ્રીય9 hours ago

ડેન્ગ્યુના દર્દીએ ભૂલથી પણ ન ખાવી આ વસ્તુઓ, વધી જશે તકલીફ અને રિકવરીમાં થશે સમસ્યા

રાષ્ટ્રીય10 hours ago

‘UPમાં એન્કાઉન્ટર નહીં પરંતુ હત્યા થઇ રહી છે…’ બહરાઇચ હિંસા મામલે અખિલેશ યાદવે યોગી સરકાર પર કર્યા આકરા પ્રહારો

Sports10 hours ago

શિખર ધવનનું સુખ અને સફળતાનું સમીકરણ,જાણો કઈ રીતે મેળવી સફળતા

ગુજરાત10 hours ago

કોઈનો દોષનો ટોપલો કોઈના ઉપર મુકતા નહીં, નોટ લખી યુવાનનો આપઘાત

ગુજરાત10 hours ago

વાગુદડના ધમાલિયા સાધુના આશ્રમ પર બુલડોઝર ફર્યું

ગુજરાત10 hours ago

રાજકોટ શહેર-જિલ્લાના 22 નાયબ મામલતદારોની બદલી

રાષ્ટ્રીય10 hours ago

ચિટફંડ કેસમાં EDના સહારા ગ્રૂપની વિવિધ ઓફિસો પર દરોડા

રાષ્ટ્રીય10 hours ago

મથુરામાં વીજથાંભલા સાથે ગાડી ટકરાયા બાદ રિવર્સ લેવા જતા ચાર કચડાઇ મર્યા

રાષ્ટ્રીય10 hours ago

બિહારમાં લઠ્ઠાકાંડ 28ને ભરખી ગયો, 25થી વધુ સારવારમાં, 3ની ધરપકડ

ક્રાઇમ14 hours ago

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

રાષ્ટ્રીય12 hours ago

બહુચરાઈ હિંસાના આરોપીઓ આવ્યા સામે,મુખ્ય આરોપી સરફરાઝનું એન્કાઉન્ટર,નેપાળ ભાગી રહ્યા હતા

આંતરરાષ્ટ્રીય1 day ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

રાષ્ટ્રીય1 day ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

ગુજરાત1 day ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

ગુજરાત1 day ago

શેઠ હાઇસ્કૂલનું ગ્રાઉન્ડ શરદોત્સવ માટે નહીં મળતા કોંગ્રેસના ધરણાં

ગુજરાત1 day ago

શાકભાજીના કચરામાંથી ખાતર બનાવતા પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર દેસાઇ

ગુજરાત1 day ago

શહેરમાં લટકતા જોખમી 1270 બોર્ડ-બેનરો ઉતારતી મનપા

ગુજરાત1 day ago

ફાયર વિભાગ માટે 3.54 કરોડના 4 વાહનોનું લોકાર્પણ

ગુજરાત1 day ago

ગોંડલ તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

Trending