અવધના ઢાળિયા વીરસાવરકર ટાઉન શીપ પાસે વૃધ્ધનો આપઘાત

આર્થિક ભીંસથી કંટાળી એસીડ પી લીધું કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસે વિરસાવરકર ટાઉનશીપ પાસે વૃધ્ધે આર્થિક ભીંસથી કંટાળી એસીડ પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા…

આર્થિક ભીંસથી કંટાળી એસીડ પી લીધું

કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસે વિરસાવરકર ટાઉનશીપ પાસે વૃધ્ધે આર્થિક ભીંસથી કંટાળી એસીડ પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા તેમન સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વીરસાવરકર ટાઉનશીપમાં રહેતા ભાવેશભાઇ નવીનભાઇ નથવાણી (ઉ.વ.59) નામના વૃધ્ધ પોતાના ઘરે હતા ત્યારે તેમણે અચાનક એસીડ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. જયાં તેમનું સારવારમાં મોત નીપજયું હતું. તેમણે આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભરી લીધું હતું. આ અંગે એએસઆઇ હિતેશભાઇ જોગડા તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *