રાષ્ટ્રીય
અર્થતંત્રના અચ્છે દિન: વિકસિત ભારતની શરૂઆત થઈ ચૂકી છે: નાણામંત્રી
વર્ષ 2024ના પહેલાં ક્વાર્ટરમાં 8.2 ટકાનો વિકાસ દર, મોંઘવારી પણ કાબુમાં રહેશે : આવતીકાલે બજેટમાં રાહતોની ભરમારથી આવતા વર્ષનો વિકાસ દર 6.50થી 7 ટકા રહેવાનું અનુમાન રજૂ કરાયું
બજેટના એક દિવસ પહેલા આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમન દ્વારા આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો હતો અને આ સર્વેમાં ભારતના અર્થતંત્ર પર કોરોનાની અસર સમાપ્ત થઈને હવે આવતાં વર્ષે 6.50 થી 7 ટકા દરે અર્થ તંત્ર વિકાસ પામશે તેવું અનુમાન રજૂ કરવામાં આવ્યું છે. આજે રજુ કરાયેલા આર્થિક સર્વેમાં એક પણ દાવો કરવામાં આવ્યો છે કે આવતા વર્ષે મોંઘવારી 4.5 ટકા અને ત્યારબાદ વર્ષ 2026માં 4.1 ટકાના દર આસપાસ રહેશે. આગામી સમયમાં પર્યાવરણ કે વૈશ્ર્વિક પરિબળો ખાસ અસર ન કરે તો ભારતીય અર્થતંત્રની તેજી જળવાઈ રહે તેવો આશાવાદ પણ રજૂ કરવામાં આવ્યો છે.
આજે રજુ કરાયેલ આર્થિક સર્વેમાં ભારતના અર્થતંત્રને લાગતા તમામ પરિબળોનો ચિતાર રજુ કરવામાં આવ્યો છે. આ સર્વેમાં મેન્યુફેચરીંગ, કૃષિ, પર્યાવરણ, ખાનગી ક્ષેત્ર, સર્વિસ સેકટર, ઉપરાંત એકસપોર્ટ ઈમ્પોર્ટ સહિતના અલગ અલગ માપદંડો પર ભારતીય અર્થતંત્રનો વાસ્તવિક ચિતાર રજુ કરવામાં આવ્યો છે. આજે રજુ કરાયેલા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલ ભારતની અર્થવ્યવસ્થા ટૂંકા ગાળા માટે ખૂબ જ મજબૂત છે. પરંતુ વૈશ્ર્વીક પરિબળોને લઈને એક લાંબા સમયની નીતિ પણ બનાવવી જોશે. જેથી અર્થતંત્રને આવનારા પડકારોથી બચાવી શકાય.
આજે રજુ કરાયેલ ઈકોનોમીક સર્વેમાં વર્ષ 2024 દરમિયાન અર્થતંત્ર 8.2 ટકાના દરે વિકાસ પામ્યું હતું. આ ઉપરાંત નોંધપાત્ર રીતે આરબીઆઈ દ્વારા પગલાં લેવામાં આવતાં મોંઘવારી પણ કોરોના પછી 5.4 ટકાના સૌથી નીચલા સ્તરે છે.
ભારતના 50 ટકા ગ્રેજ્યુએટ પાસે નોકરી માટે જરૂરી સ્કિલ નથી
ભારતની ઝડપથી વિકસતી વસ્તીના 65 ટકા લોકો 35 વર્ષથી ઓછી વયની છે અને ઘણી પાસે આધુનિક અર્થતંત્ર માટે જરૂૂરી કૌશલ્યોનો અભાવ છે. આર્થિક સર્વેક્ષણ 2024 મુજબ અંદાજો દર્શાવે છે કે લગભગ 51.25 ટકા યુવાનોને રોજગાર લાયક ગણવામાં આવે છે. બાકીના ગેરલાયક છે. બીજા શબ્દોમાં કહીએ તો, લગભગ બેમાંથી એક કોલેજમાંથી બહાર પડતાં ગ્રેજ્યુએટ સહેલાઈથી નોકરીપાત્ર નથી, જો કે, એ નોંધવું જોઈએ કે છેલ્લા દાયકામાં ટકાવારી લગભગ 34 ટકાથી વધીને 51.3 ટકા થઈ છે, 2022-23માં બેરોજગારીનો દર ઘટીને 3.2 ટકા થવા સાથે છેલ્લા છ વર્ષમાં ભારતીય શ્રમ બજારના સૂચકાંકોમાં સુધારો થયો છે.
આખી પરીક્ષા સિસ્ટમ જ ફ્રોડ, રાહુલના નિવેદનથી હોબાળો
સંસદમાં ચોમાસું સત્ર શરૂૂ થઈ ચૂક્યું છે. પ્રથમ દિવસે જ લોકસભામાં પેપર લીક મામલે હોબાળો થઈ ગયો છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ નીટ પેપર લીક મુદ્દે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ‘દેશની પરીક્ષા સિસ્ટમ જ ફ્રોડ છે. શિક્ષણ મંત્રીને ખબર જ નથી કે શું થઈ રહ્યું છે? દેશમાં લાખો વિદ્યાર્થીઓ છે. જે એ વાતથી ચિંતિત છે કે શું થઈ રહ્યું છે અને તેમને વિશ્વાસ છે કે ભારતની એક્ઝામ સિસ્ટમ એક દગા સમાન બની ગઈ છે. લાખો લોકો માને છે કે જો તમે ધનિક છો અને તમારી પાસે પૈસા છે તો તમે ભારતની આ એક્ઝામ સિસ્ટમને ખરીદી શકો છો. વિપક્ષ પણ આવું જ વિચારે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સમગ્ર દેશ સામે સ્પષ્ટ છે કે આપણી શિક્ષણ પ્રણાલીમાં ગંભીર ખામી છે. ફક્ત NEETમાં જ નહીં પણ તમામ મુખ્ય પરીક્ષાઓમાં ગરબડ થઈ રહી છે. મંત્રી (ધર્મેન્દ્ર પ્રધાન)એ પોતાના સિવાય બધાને દોષિત ઠેરવ્યા છે. મને નથી લાગતું કે અહીં જે કંઈ થઈ રહ્યું છે તે એના મૂળ સિદ્ધાંતોને પણ સમજે છે. રાહુલ ગાંધીના આરોપો પર પલટવાર કરતાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, મારૂૂ શિક્ષણ અને સંસ્કાર તેમજ મારા જાહેર જીવનને મારા નાગરિકોની મંજૂરીની મહોર મળી છે. મારે ગૃહમાં કોઈ પ્રકારની સ્વીકૃત્તિ જોઈતી નથી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, છેલ્લા સાત વર્ષમાં પેપર લીક અંગે કોઈ પુરાવા નથી. આ કેસ પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ચીફ જસ્ટિસ તેના પર સુનાવણી કરી રહ્યા છે.
રાષ્ટ્રીય
જમીનથી 20 ફૂટ નીચે જીવન યુદ્ધ, રાજસ્થાનના દૌસામાં 2 વર્ષની માસૂમ બાળકી બોરવેલમાં ખાબકી , 16 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક માસૂમ બાળક બોરવેલમાં પડી જવાનો કિસ્સો સામે આવ્યો છે. બાંડીકુઈના વોર્ડ નંબર એકમાં બુધવારે સાંજે 5 વાગ્યે 2 વર્ષની માસૂમ બાળકી મેદાનમાં રમતી વખતે 600 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકી મેદાનમાં બોરવેલ પાસે રમી રહી હતી.
બાળકી બોરવેલમાં પડી હોવાની માહિતી મળતા જ વહીવટી વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી, બાંડીકુઇ એસડીએમ, તહસીલદાર, પોલીસ સ્ટેશનના પ્રભારી સહિત વહીવટી સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પ્રશાસને બાળકીને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત NDRF અને SDRFની ટીમોને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. બાંદિકૂઈ પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રેમચંદ બૈરવાએ જણાવ્યું કે બાળકીને બોરવેલમાંથી બચાવવા માટે જેસીબી મશીન અને અન્ય સાધનો વડે બોરવેલથી 25 ફૂટ દૂરથી માટી ખોદવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. લગભગ 16 કલાકથી માસૂમ બાળકને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
પોલીસ સ્ટેશન ઈન્ચાર્જના જણાવ્યા અનુસાર માસૂમ બાળકી બોરવેલમાં લગભગ 20 થી 25 ફૂટ નીચે ફસાઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દરેક વ્યક્તિ બાળકીના સુરક્ષિત બહાર નીકળવા માટે પ્રાર્થના કરી રહી છે. તબીબોની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. બોરવેલમાં ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તે જ સમયે, આ ઘટના પછી, બાળકીના પરિવારના સભ્યો ખરાબ હાલતમાં છે અને રડી રહ્યા છે.
ઘટનાના બે કલાક પછી પણ ટીમ પહોંચી ન હતી
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, બોરવેલમાં પડી જવાની ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી, પરંતુ ઘટનાના 2 કલાક પછી પણ
એસડીઆરએફ અને એનડીઆરએફ ત્યાં પહોંચી હતી. 7 વાગ્યા સુધી ટીમ ઘટનાસ્થળે પહોંચી ન હતી. બાળકીને બચાવવા યુદ્ધના ધોરણે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
રાષ્ટ્રીય
વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી
આઝાદી પછી ચાર વખત વન નેશન, વન ઈલેક્શન થઈ ચૂક્યા છે
પ્રથમ બે ટર્મમાં વડાપ્રધાન મોદીની સરકારે નોટબંધી, જીએસટી, લોકડાઉન, કલમ 370 નાબુદી જેવા ઐતિહાસિક નિર્ણયો લીધા બાદ હવે ત્રીજી ટર્મમાં મોદી સરકાર દેશભરમાં લોકસભા અને ધારાસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાના ઐતિહાસિક એજન્ડા ઉપર આગળ વધી રહી હોય તેમ આજે મળેલી કેન્દ્રીય કેબિનેટ મંત્રીમંડળની બેઠકમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ના પ્રશ્તાવને લીલીઝંડી આપી દીધી છે. અને હવે સંસદના આગામી શિયાળુ સત્રમાં આ અંગેનું બીલ પણ લાવવામાં આવે તેવા નિર્દેશો મળે છે.
જો કે, મોદી સરકારના આ પગલાને વિપક્ષોએ વધુ એક ઉતાવળિયો નિર્ણય ગણાવ્યો છે. અને ભૂતકાળમાં પણ વનનેશન વન ઈલેક્શન નિષ્ફળ ગયાનું જણાવી ભવિષ્યમાં પણ આ યોજનાની સફળતા સામે સવાલો ઉઠાવ્યા છે.
છેલ્લા ઘણા સમયથી સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી હતી કે વન નેશન વન ઇલેક્શનને મંંજૂરી મળી શકે છે. પરંતુ આજે આ સમાચાર પર મોદી કેબિનેટે મ્હોર મારી દીધી છે. વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. મોદી કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવની મંજૂરી મળી ગઇ છે. રામનાથ કોવિંદ કમિટીના રિપોર્ટને બેઠકમાં આપવામાં આવી મંજૂરી.ત્યારે હવે શિયાળુ સત્રમાં સરકાર આ બિલ લઇને આવશે તેવી માહિતી સામે આવી રહી છે.
મોદી સરકાર દ્વારા પોતાના ઢંઢેરામાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, કાશ્મીર કલમ 370ને સમાપ્ત કરવી અને નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ કરવાનો વાયદો પુરો કરી દીધો છે. પીએમ મોદી પણ સ્વતંત્રતા પર લાલથી તમારા ભાષણમાં દિવસની ચૂંટણી અને સંસદીય ચૂંટણી એક સાથે સાથેની વકીલાત પણ કરી હતી. તમને જણાવી દઈએ કે ગયા મહિને સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં પવન નેશન, વન ઈલેક્શનથની હિમાયત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે અવારનવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઉભી કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે પએક રાષ્ટ્ર, એક ચૂંટણીથ માટે દેશે આગળ આવવું પડશે. તેમણે રાજકીય પક્ષોને લાલ કિલ્લા અને રાષ્ટ્રીય ત્રિરંગાને સાક્ષી તરીકે લઈને રાષ્ટ્રની પ્રગતિ સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. નોંધનીય છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં મુખ્ય વચનોમાંના એક તરીકે પએક રાષ્ટ્ર, એક ચૂંટણીથનો સમાવેશ કર્યો હતો.
રાષ્ટ્રીય
સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ
સિંધુ, સહિત છ નદીના પાણી અને પાવર ઉત્પન્ન કરારની સમીક્ષા કરવા માંગ\
ભારતે સિંધુ જળ કરારમાં ફેરફારની માંગ કરી છે. આ સંબંધમાં ભારત દ્વારા 30 ઓગસ્ટે પાકિસ્તાનને ઔપચારિક નોટિસ મોકલવામાં આવી છે. આ સંબંધમાં બંને દેશો વચ્ચે 1960માં સિંધુ અને અન્ય 5 નદીઓના પાણીના ઉપયોગને લઈને સમજૂતી કરવામાં આવી હતી. સિંધુ જળ સંધિની કલમ ડઈંઈં (3) મુજબ, તેની જોગવાઈઓ સમયાંતરે બદલાઈ શકે છે જેથી બંને દેશોના હિતોની પૂર્તિ થઈ શકે. ભારતે 1960ના કરારમાં ફેરફારની માંગને લઈને કેટલીક દલીલો પણ આપી છે કે તેની શા માટે જરૂૂર છે.
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકારે કહ્યું છે કે 1960 પછી સંજોગોમાં ઘણો બદલાવ આવ્યો છે. આવી સ્થિતિમાં સિંધુ જળ કરારની શરતોમાં કેટલાક ફેરફારો કરવાની જરૂૂર છે. આ માટે ખાસ કરીને ત્રણ કારણો આપતા ભારતે કહ્યું કે 1960માં જે શરતો નક્કી કરવામાં આવી હતી તેનો હવે કોઈ આધાર નથી. ત્યારથી વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે. પ્રથમ કારણ આપવામાં આવ્યું છે કે ડેમોગ્રાફીમાં ફેરફાર થયો છે. આ કારણે ખેતી અને અન્ય વસ્તુઓમાં પાણીના ઉપયોગમાં પણ ફેરફાર થયો છે.
આ સિવાય ભારત હાનિકારક ગેસના ઉત્સર્જનને દૂર કરીને સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધવા માંગે છે. આ માટે સિંધ જળ કરાર મુજબ ફરી એકવાર નદીના પાણી પરના અધિકારો નક્કી કરવામાં આવે તે જરૂૂરી છે. આ સિવાય ત્રીજું કારણ આપવામાં આવ્યું છે કે સરહદ પારના આતંકવાદને કારણે આ સમજૂતીનો યોગ્ય રીતે અમલ થઈ રહ્યો નથી. આ કારણે ભારત તેના અધિકારોનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતું નથી. કિશનગંગા અને રેટલ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ અંગે પાકિસ્તાનના વલણથી પણ ભારત ચિંતિત છે. ભારતનું કહેવું છે કે પાકિસ્તાને આ પ્રોજેક્ટ્સમાં અવરોધો ઊભા કર્યા છે, જ્યારે ભારતે હંમેશા જળ સમજૂતીને લઈને ઉદાર વલણ અપનાવ્યું છે.
વાસ્તવમાં, સિંધુ જળ કરાર ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 નદીઓના પાણીની વહેંચણી વિશે છે, જેને સિંધુ નદી પ્રણાલીનો ભાગ માનવામાં આવે છે. આ કરાર પર 19 સપ્ટેમ્બર, 1960ના રોજ કરાચીમાં તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિશ્વ બેંકે આ કરારમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
ગુજરાત17 hours ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
રાષ્ટ્રીય19 hours ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી