ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત યુનિ. દ્વારા આજની તમામ પરીક્ષાઓ મોકૂફ

સુરત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પ્રવર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓની સલામતી અને…

સુરત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પ્રવર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓની સલામતી અને ટ્રાફિકની મુશ્કેલીઓ ટાળવાના ઉદ્દેશ્યથી યુનિવર્સિટી દ્વારા આજની 29/09/ ના રોજ યોજાનારી BSC, BCA અને BBA ની તમામ નિયમિત પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

પરીક્ષા નિયામક દ્વારા જાહેર કરાયેલી નોંધ મુજબ, મોકૂફ રખાયેલી આ પરીક્ષાઓની નવી તારીખ હવે પછી યુનિવર્સિટીની અધિકૃત વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. યુનિવર્સિટીએ આચાર્યો, સુપ્રિટેન્ડેન્ટ અને સ્ટાફ સહિત પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા તમામને આ અંગે વિદ્યાર્થીઓને સત્વરે જાણ કરવા સૂચના આપી છે, જેથી કોઈ વિદ્યાર્થી અજાણ ન રહે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હેઠળ આવતા જિલ્લાઓમાં સતત વરસાદના કારણે ઊભી થયેલી મુશ્કેલ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા યુનિવર્સિટી વહીવટીતંત્ર દ્વારા આ મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. VNSGU દ્વારા આ નિર્ણય લેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવા, ટ્રાફિક જામ અને અન્ય અવરોધો ઊભા થવાની શક્યતાને કારણે, વિદ્યાર્થીઓ અને પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા સ્ટાફને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી શકે છે. આ પરિસ્થિતિને ટાળવા માટે, યુનિવર્સિટીએ 29/09/2025 ના રોજ યોજાનારી BSC, BCA અને BBAની તમામ નિયમિત પરીક્ષાઓને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

મોકૂફ રખાયેલી આ પરીક્ષાઓની નવી તારીખ હવે પછી યુનિવર્સિટીની અધિકૃત વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને નિયમિતપણે વેબસાઇટ તપાસતા રહેવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *