Connect with us

ગુજરાત

દિવાળી ફળી: પાંચ દિવસમાં એસટીમાં 9.60 કરોડની એડવાન્સ ટિકિટ બુક

Published

on

દૈનિક 75 હજારથી વધુ ટિકિટનું થતું બુકિંગ

દિવાળીમાં આ વર્ષે એસટી બસોના એડવાન્સ ટિકિટ બુકિંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તા.9 થી 13 ઓક્ટોબરના છેલ્લા પાંચ દિવસમાં જ 9.60 કરોડની કિંમતની કુલ 3,97,290 ટિકિટો એડવાન્સમાં બુકિંગ થઈ જવા પામી છે. મુસાફરોના મિજાજ જોતા આ વર્ષે દિવાળીના તહેવારમાં અતિભારે ધસારો જોવા મળશે.
હાલ અમદાવાદ ગીતા મંદિર સ્ટેશને રોજની પાંચકે હજાર ટિકિટો કાઉન્ટરો પરથી એડવાન્સ બુક થઈ રહી છે. જેના માટે મુસાફરોના ભારે ધસારા વચ્ચે પડાપડીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદમાંથી સૌરાષ્ટ્ર તરફ સૌથી વધુ બુકિંગ થયા હોવાનું જાણવા મળે છે. સુરતથી સૌરાષ્ટ્ર તરફ તેમજ અમદાવાદ અને સુરતથી દાહોદ-ગોધરા માટેના બુકિંગ વધારે છે. ગત તા. 13 ઓક્ટોબરે એક જ દિવસમાં 83,576 ટિકિટો બુક થઇ હતી. જેના થકી નિગમને 1.97 કરોડની જંગી આવક થવા પામી હતી.


સામાન્ય દિવસોમાં રોજ 55 હજારથી 60 હજાર ટિકિટોનું એડવાન્સ બુકિંગ થતું હોય છે, પરંતુ હાલમાં રોજની 75 હજારથી વધુ ટિકિટો બુક થઇ રહી છે. ગત તા. 9 ઓક્ટોબરે 77,401 ટિકિટ બુક થઇ હતી. તેવી જ રીતે અનુક્રમે તા. 10ના રોજ 75,637 તા. 11ના રોજ 77,607 તા. 12ના રોજ 83,069 ટિકિટ બુક થઇ હતી. હાલ ઓનલાઇન એપ અને વેબસાઇટ પરથી બુકિંગ કરવા પર એક ટકો ડિસ્કાઉન્ટ મળતું હોય છે. બીજી તરફ સ્ટેશનો પર જઇને કાઉન્ટરો પરથી પણ બુકિંગ કરાવવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.

ગુજરાત

એસ.ટી. બસોમાં પણ ખાનગી બસો જેવી સુવિધા આપવામાં આવશે: સંઘવી

Published

on

By

ભાવનગરમાં નવનિર્મિત વિભાગીય કચેરીના લોકાર્પણ માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ કાર્યક્રમમા એક નિવેદન આપ્યુ હતુ. એસ.ટી બસમાં મુસાફરીને લઈને હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યુ છે.


ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભાવનગરમાં નવનિર્મિત વિભાગીય કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત એસટીને લઈને એક મહત્વનુ નિવેદન આપ્યુ હતુ. તેમણે નિવેદન આપતા જણાવ્યુ કે, ગુજરાતમાં એસટી બસ સેવામાં સુધારો કરવામાં આવશે. હવે કોઈપણ એક શહેરથી બીજા કોઈપણ શહેરમાં જવા આવવા માટે જો તમે આખી બસનું બુકિંગ કરાવશો તો એસટી બસ તમારા ઘરના આંગણા સુધી આવી જશે.


ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યુ કે, ગુજરાતમાં પ્રાઇવેટ બસો દ્વારા જનતાને જે સુવિધાઓ આપવામાં આવે છે. તેવી જ સુવિધાઓ હવે ગુજરાત એસ.ટીની બસોમાં પણ આપવામાં આવશે. જેથી લોકો આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સુરક્ષીત રીતે જઈ શકશે. તેમણે કહ્યુ કે, સમગ્ર રાજ્યના તમામ નાગરિકોને આ વ્યવસ્થાનો લાભ મળશે.


દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોય ગુજરાત એસટી દ્વારા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવાળીનો તહેવાર હોય એટલે લોકો એક બીજાને મળવા માટે મુસાફરી કરતા હોય છે. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર જવર કરવા માટે ઘણુ હેરાન થવુ પડતુ હોય છે. બસોમાં લોકોનો ઘસારો એટલો હોય છે કે બેસવા માટે જગ્યા પણ માંડ મળતી હોય છે. અમુક સમયે મસગ્ર મુસાફરી દરમિયાન બસમાં ઉભા રહેવાનો પણ વારો આવી શકે છે. ત્યારે હવે દિવાળીના વેકેશન ગુજરાત એસટીએ લોકો માટે ખાસ સુવિધા કરી છે. સુરતથી ભાવનગર અને અમરેલી જેવા શહેરોમાં આવવા-જવા માટે એસટી તંત્ર તરફથી બસોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઈ મુસાફરને આવવા જવામાં તકલીફનો સામનો ન કરવો પડે.

Continue Reading

ગુજરાત

સ્વ.પોપટભાઇ સોરઠિયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહની સજા માફીને હાઇકોર્ટમાં પડકાર

Published

on

By

પૌત્ર હરેશ સોરઠિયાની અરજી દાખલ, સરકારને કોર્ટની નોટિસ


15મી ઓગસ્ટ 1988ના રોજ કોંગ્રેસના તત્કાલિન ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયાની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે ટાડા હેઠળ આજીવન કેદની સજા સંભળાવતા અનિરુદ્ધસિંહ જાડેજા (રિબડા)ને આપવામાં આવેલી માફીને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.


મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાની અરજીના આધારે ન્યાયમૂર્તિ ડીએમ દેસાઈએ રાજ્ય સરકાર, જેલના નિવૃત્ત એડીજીપી અને સુધારણા ટીએસ બિષ્ટ અને અનિરુદ્ધસિંહને નોટિસ પાઠવી વધુ સુનાવણી 28 ઓક્ટોબરે રાખી છે.


ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિને જાહેર ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા પોપટભાઇ સોરઠીયાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે ત્યારબાદ જાડેજા અને એક નિલેશ કુમારની ધરપકડ કરી હતી, જેમને સાક્ષીઓ પ્રતિકૂળ હોવાથી કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, રાજ્ય સરકારની અપીલના આધારે, જઈએ 1997માં જાડેજાને આજીવન કેદની સજા ફટકારી હતી.


દરમિયાન, અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ 29 જાન્યુઆરી, 2018ના રોજ ટી.એસ. બિષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. બાદમાં તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો કારણ કે તેણે તેની સજાના 18 વર્ષની સજા ભોગવી હતી. જો કે, હરેશે એડવોકેટ સુમિત સિકરવાર મારફત અરજી દાખલ કરીને માફીને પડકારી હતી. તેમણે દલીલ કરી હતી કે 2017માં ઘડવામાં આવેલી માફીની નીતિનું પાલન કરવામાં આવ્યું નથી. જાડેજા ત્રણ વર્ષથી ફરાર હતો. તેથી, તેમને જેલમાં પાછા મોકલવા જોઈએ, સોરઠીયાએ દલીલ કરી હતી.

Continue Reading

ક્રાઇમ

લોરેન્સ બિશ્ર્નોઈના સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર ઉપર પ્રતિબંધ

Published

on

By

કેન્દ્રીય ગૃહમંત્રાલયે ટ્રાન્સફર-સ્થળાંતર ઉપર પ્રતિબંધ ઓગસ્ટ-2025 સુધી લંબાવી દીધો

કોઈ પણ રાજ્યની પોલીસને કસ્ટડી મળશે નહીં, પૂછપરછ સાબરમતી જેલમાં જ કરવી પડશે

અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈનું ના મુંબઈના એનસીપી અજીત પવાર જૂથના નેતા બાબા સીદીકી ઉપરાંત કેનેડાના ખાલિસ્તાન તરફી નેતા હરદિપસિંહ નિજ્જરની હત્યામાં ઉછળ્યું છે. પરંતુ ગુજરાત બહારની પોલીસ સાબરમતી જેલમાંથી તેનો કબજો લઈ શકતી નથી તેની પાછળ કાયદાકીય જોગવાઈ હોવાનુું જણાય છે.


ગોંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈના ટ્રાન્સફર-સ્થળાંતર ઉપર કેન્દ્રીય ગૃહમંત્રાલયે પ્રતિબંધ ફરમાવ્યો છે. એક વર્ષના પ્રતિબંધની મુદત ગત ઓગસ્ટ માસમાં પૂર્ણ થતાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફરી એકવર્ષ એટલે કે, ઓગસ્ટ-2025 સુધી આપ્રતિબંધ લંબાવી દીધો છે. જેથી કોઈપણ રાજ્યની પોલીસને લોરેન્સની કસ્ટડી મળી શકશે નહીં અને મંજુરી લઈને જ સાબરમતિ જેલમાં પુછપરછ કરી શકશે.


મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે. જેને લઈને મુંબઈ પોલીસ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી ઈચ્છે છે, પરંતુ વારંવાર મુંબઈ પોલીસની અરજી ફગાવી દેવામાં આવી રહી છે. ક્યા કારણે મુંબઈ પોલીસને લોરેન્સ બિશ્ર્નોઈની કસ્ટડી મળી નથી તે જાણવું રસપ્રદ છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. એપ્રિલ મહિનામાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ અને હવે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આવી સ્થતિમાં મુંબઈ પોલીસ પૂછપરછ માટે ગેંગસ્ટરની કસ્ટડી માંગી રહી છે.
એપ્રિલની ઘટના બાદ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, મુંબઈ પોલીસે સાબરમતી જેલમાંથી લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી માટે ઘણીવાર અપીલ કરી, પરંતુ ગૃહ મંત્રાલયના એક આદેશના કારણે તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઓગસ્ટ મહિનામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સ્થળાંતર પ્રતિબંધ (ટ્રાન્સફર પ્રતિબંધ)ને એક વર્ષ માટે લંબાવ્યો હતો, જેના કારણે તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ તેને રાખવામાં આવ્યો છે.
જો કોઈ રાજ્યની પોલીસ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવા માંગે છે તો તેને જેલ પરિસરની અંદર જ કરવી પડશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ આદેશના કારણે જ મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી બાબા સિદ્દીકીની હત્યા મામલે ગેંગસ્ટર સામે તપાસ ચાલી રહી છે.


ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 268 હેઠળ લાદવામાં આવેલો પ્રતિબંધક આદેશ આ વર્ષે ઓગસ્ટમાં સમાપ્ત થવાનો હતો, પરંતુ હવે તેને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023ની કલમ 303 હેઠળ લંબાવવામાં આવ્યો છે. સાબરમતી સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ ડીઆઈજી શ્વેતા શ્રીમાળીએ પુષ્ટિ કરી કે આ નવો આદેશ ઓગસ્ટ 2025 સુધી અમલમાં રહેશે.

ડ્રગ્સના કેસમાં સાબરમતી જેલમાં બંધ છે લોરેન્સ બિશ્ર્નોઈ
રાજસ્થાનનો ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈને ડ્રગ્સના કેસમાં ગુજરાત પોલીસે પકડ્યો હતો. કચ્છમાંથી પકડાયેલ ડ્રગ્સકાંડમાં લોરેન્સ બિશ્ર્નોઈને પકડવામાં આવ્યા બાદ તે એક વર્ષથી સાબરમતિ જેલમાં છે. લોરેન્સના જેલવાસ દરમિયાન જ સલમાનખાનના ઘર ઉપર ફાયરીંગ, અમુક વેપારીઓને કોલ કરી ખંડણી માંગવી અને છેલ્લે મુંબઈમાં બાબાસીદીકીની હત્યામાં તેનું નામ ઉછળી રહ્યું છે. પરંતુ અન્ય રાજ્યોની પોલીસને આજ સુધી લોરેન્સ બિશ્ર્નોઈનો કબજો મળ્યો નથી.

Continue Reading
ગુજરાત4 mins ago

એસ.ટી. બસોમાં પણ ખાનગી બસો જેવી સુવિધા આપવામાં આવશે: સંઘવી

ગુજરાત6 mins ago

સ્વ.પોપટભાઇ સોરઠિયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહની સજા માફીને હાઇકોર્ટમાં પડકાર

ક્રાઇમ12 mins ago

લોરેન્સ બિશ્ર્નોઈના સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર ઉપર પ્રતિબંધ

રાષ્ટ્રીય18 mins ago

સલમાન મુક્તિધામ મુકામ પર આવી માફી માગે તો બિશ્નોઈ સમાજ માફ કરશે

આંતરરાષ્ટ્રીય22 mins ago

ફૂટબોલ ચાહકોના દિલ તૂટશે, મેસીએ આપ્યો નિવૃત્તિનો સંકેત

રાષ્ટ્રીય25 mins ago

નિકિતા પોરવાલે ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો

Sports27 mins ago

સનરાઈઝર્સ હૈદરાબાદ વિસ્ફોટક વિકેટકીપર હેનરિક ક્લાસેનને ચૂકવશે 23 કરોડ રૂપિયા

Sports30 mins ago

ભારત-ન્યૂઝીલેન્ડની તમામ વન-ડે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

આંતરરાષ્ટ્રીય45 mins ago

છ વર્ષ બાદ ધ વિકટોરિયાઝસિક્રેટ ફેશન શોની જમાવટ

આંતરરાષ્ટ્રીય47 mins ago

ખાલિસ્તાનીઓના કારણે ભારત કેનેડાના સંબંધો વધુ બગડશે

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય19 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય19 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત20 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Trending